________________
આપ્તવાણી-૪
૩૧૭
૩૧૮
આપ્તવાણી-૪
ઘરમાં વહુને ટેડકાવે તો એ જાણે કે, “કોઇએ સાંભળ્યું જ નથી ને, આ તો એમ ને એમ જ છે ને ?” નાનાં છોકરાં હોય ત્યારે એમની હાજરીમાં ધણી બૈરી ગમે તેવું બોલે. એ જાણે કે આ નાનું છોકરું શું સમજવાનું છે ? અલ્યા, મહીં ટેપ થાય છે તેનું શું? એ મોટું થશે ત્યારે એ બહાર પડશે !
પ્રશ્નકર્તા : જેને ટેપ ના કરવું હોય તેના માટે શું રસ્તો ?
દાદાશ્રી : કશું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ? આય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઇ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. એનાથી એકાદ ભવમાં ફેરફાર થઇને બધું બોલવાનું બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ
જયાં સુધી જગત વ્યવહારની તમને જરૂર છે ત્યાં સુધી મનોહર લાગે તેવું બોલો. જેનાં વાણી, વર્તન ને વિનય મનોહર થયાં એ પ્રેમાત્મા થઇ ગયો. પણ એ આવડે શી રીતે ? વાણી એવી બોલે કે પેલો ચા આપતો હોય તેય ના આપે.
કોઇ અજાણ્યા ગામમાં આપણે ગયા હોઇએ ને ત્યાં બોલ બોલ કરીએ કે, “આ બધાં બકાલાં આવાં આવાં છે' એવું ગા-ગા કરીએ તો સાંજે ખાવાનું મળે ખરું ? એના કરતાં ‘તમે બહુ સારા લોકો છો.” એવું કહીએ તો સામેથી લોકો પૂછે કે, ‘તમે કંઇ ખાધું કે નહીં?
આ કાળમાં તો મશ્કરી ના કરાય. એક શબ્દય ના બોલાય. જાડા હોય તો એને જાડા ના કહેવાય. લાંબા હોય તો એને લાંબા ન કહેવાય. આ લોક તો પ્લાસ્ટિક જેવાં થઈ ગયાં છે. આપણા લોક તો ગમે તેને વગોવે. એકલા મનુષ્યને તો ઠીક, પણ આ ફૂટસને પણ વગોવે. આ વાયડું છે, કહેશે. આ ગરમ પડશે. અલ્યા, તને વાયડું પડશે, બીજાને નહીં. પણ આમની ભાષા જ વાંકી છે ત્યાં શું ?
બોલથી જ જગત ઊભું થયું છે, અને બોલથી જ જગત બંધ થઈ જવાનું છે.
આ સુધરેલા ઘરોમાં-સભ્ય માણસોને ત્યાં અસભ્ય વર્તનનાં દુ:ખ નથી હોતાં, અસભ્ય વાણીનાં દુઃખ હોય છે. આ લોકોને ઘેર કંઇ પથરા માર માર કરાતા હશે ? ના, વચનબાણ મારે. હવે આ પથ્થર મારે તો સારો કે વાગ્માણ મારે તે સારું ?
હોય.
દાદાશ્રી : એટલે તમારી જવાબદારી રહે નહીં.
અમને તો કવિરાજના પદો ‘એક્કેક્ટ’ એ જ અવાજમાં, એ જ રાગમાં, બે-બે, ત્રણ-ત્રણ કલાક નિરંતર સંભળાયા જ કરે. એ શું હશે ? આ તો મશીન છે. આય મોટામાં મોટું સાયન્સ છે. પેલું મનુષ્ય બનાવેલું છે અને આ તો અનૌપચારિક છે. માણસથી બની શકે જ નહીં એવું આ મશીન છે. આમાં ઇલેકટ્રિક કરંટ ના જોઇએ બેટરી ના જોઇએ. રાતે, દહાડે, વરસાદ પડે, તાપ પડે, હિમ પડે તોય, આ મશીન ચાલુ રહે.
પંદર વરસ ઉપર આપણે કોઇ માણસ જોયો હોય તેને આજે જોઇએ તોય તે આપણને ફરી યાદ આવે કે જોયેલો હતો. એવું આ મશીન છે.
પરમાણુ પરમાણુમાં ટેપ કરવાની શક્તિ છે. આંખોને ફિલમ ઉતારવાની શક્તિ છે, મહીં પાર વગરની શક્તિ છે. આ એક મહીંની મશીનરી પરથી આ બીજી બધી પાર વગરની મશીનરીઓ બને છે. એટલે આ મશીન જબરજસ્ત પાવરફૂલ છે.
પ્રશ્નકર્તા : પથ્થર સારો.
દાદાશ્રી : આપણા લોકો પથ્થર પસંદ કરે છે ને આ નથી લાગતું તેને પસંદ નથી કરતાં. જે વાગે ને લોહી નીકળે, લહાય બળે તેની ડૉક્ટરને બતાવીને દવા કરી શકાય. એ રૂઝાઈ જાય. પણ આ શબ્દનો ઘા વાગે તે ના રૂઝાય. પંદર પંદર વરસ થાય તોય એ ઘા બળ્યા જ કરતો હોય ! એનું શું કારણ છે ? આ જાતે બોલે છે તેમ માની લીધું તેથી, અમે ગેરેન્ટી આપીએ છીએ કે જીવ માત્રની વાણી રેકર્ડ છે. આ અમારીય રેકર્ડ છે