________________
આપ્તવાણી-૪
૩૦૧
પ્રશ્નકર્તા : અત્યારે અમે તો અવસ્થામાં જ છીએ.
દાદાશ્રી : એ અવસ્થાઓ પાછી સમાધાની ના હોય. સર્વે અવસ્થામાં નિઃશંક સમાધાન રહે એનું નામ જ્ઞાન. આપણું જ્ઞાન કેવું છે કે દરેક અવસ્થામાં નિઃશંક સમાધાન જ હોય. આ તો ગજવું કપાય તોય ‘ડિપ્રેસ’ થઇ જાય અને કોઇ ફૂલ ચઢાવે તો ‘ટાઇટ' થઇ જાય.
પ્રશ્નકર્તા ઃ અવસ્થા અને પર્યાય શું છે ?
દાદાશ્રી : સાપેક્ષ જ્ઞાન બધું અવસ્થાનું જ્ઞાન છે. પર્યાય એ બહુ ઝીણી, સૂક્ષ્મ વસ્તુ છે. અને અવસ્થા એ જાડી વસ્તુ છે. પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવે એવી છે તે બધી અવસ્થાઓ કહેવાય અને પર્યાય એ જ્ઞાને કરીને સમજાય એવું છે.
દરેક વસ્તુ અવસ્થાવાળી છે. આ પંખો છે તે મૂળ સ્વરૂપે પંખો છે, અને અત્યારે એની ચાલવાની અવસ્થા છે ને પછી બંધ રહેવાની અવસ્થા હશે. અવસ્થા વિનાશી છે ને મૂળસ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, એ અવિનાશી
છે.
દરેક અવસ્થા છૂટવા માટે જ આવે છે. આ જેટલી અવસ્થા ઉત્પન્ન થાય છે, ખરાબ કે સારી, શાતા વેદનીય કે અશાતા વેદનીય, પણ એ છૂટવા માટે આવે છે. અવસ્થા શું કહે છે કે, ‘તમે છૂટો’. ત્યાં આપણે ઉપયોગપૂર્વક રહીએ એટલે ચોખ્ખું ચોખ્ખું છૂટી જાય. પેલું ડાઘવાળું આવે, ધોવું તો
આપણને જ પડે ને ?
܀܀܀܀܀
ખરો ?
(૩૯)
જ્ઞાતનું સ્વરૂપ : કાળતું સ્વરૂપ ! સ્વરૂપજ્ઞાતતો અધિકારી !
પ્રશ્નકર્તા ઃ પ્રારબ્ધના પાશથી બંધાયેલા પુરુષને જ્ઞાનનો અધિકાર
દાદાશ્રી : મહાવીર ભગવાનેય પ્રારબ્ધથી જ બંધાયેલા હતા, અને કેવળજ્ઞાનનો અધિકાર એમને હતો, તો તમને આત્મજ્ઞાનનો અધિકાર તો હોય ને ? પ્રારબ્ધથી દરેક માણસ બંધાયેલા તો હોય, તેથી તો અવતાર થાય. છેલ્લો અવતારેય પ્રારબ્ધથી બંધાયેલો હોય તો જ થાય.
પ્રશ્નકર્તા : પછી પ્રારબ્ધ મૂકી દે ?
દાદાશ્રી : પછી પ્રારબ્ધ બંધાય નહીં. અમે તમને જ્ઞાન આપીશું પછી તમને પ્રારબ્ધ બંધાશે જ નહીં. એટલે કર્મો ‘ડિસ્ચાર્જ’ થાય પણ નવા ‘ચાર્જ’ ના થાય, એવું આ વિજ્ઞાન છે.
પ્રશ્નકર્તા : સપત્ની જ્ઞાન લેવાનો અધિકાર ખરો ?
દાદાશ્રી : આ કાળમાં અધિકાર જ કોઇનો જોવા જેવો નથી. આ કાળમાં અધિકાર કોઇને હોય જ નહીં. એટલે અમે તો ગમે તે આવે તેના