________________
આપ્તવાણી-૪
૨૬૯
૨૭૦
આપ્તવાણી-૪
શાનાથી ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી. એનાથી કર્મ હલકું થઇ જાય. ત્યાર પછી જ્ઞાતાદ્રષ્ટા રહેવાય. એના માટે તો પ્રતિક્રમણ નિરંતર કરવું પડે. જેટલા “ફોર્સ થી નિકાચિત થયું હોય તેટલા જ ‘ફોર્સ’વાળા પ્રતિક્રમણથી એ ધોવાય.
પ્રશ્નકર્તા : આ નિકાચિત કર્મ છે એની સામે પુરુષાર્થ કેવી રીતે માંડવો ?
પોસ્ટમેન આપી જાય એમાં પોસ્ટમેનનો શો દોષ ?
પ્રશ્નકર્તા : ચીકણાં કર્મ કોને કહેવાય ?
દાદાશ્રી : મન, વચન, કાયાના તદ્દન એકાકારથી કરે કે જેમાં બીજા વિરોધાભાસી ભાવ ના હોય તેનાથી ભયંકર ચીકણાં કર્મો બંધાય. ‘અહીં’ આત્માર્થે કરેલાં આવાં ચીકણાં કર્મ બે કે ત્રણ અવતારમાં છોડાવે અને સંસારનાં ચીકણાં કર્મ તો પરિપાક થતાં બહુ ટાઇમ લે. તેથી તો આ સંસાર ઊભો રહ્યો છે ને ?
કોઇ સીધો માણસ નવો નવો ગજવાં કાપવા જશે તો પકડાઇ જશે. કારણ કે એનું કર્મ તરત વિપાક થઇ જાય ને આ કર્મથી એ છૂટે છે. જયારે બનેલો-ઠનેલો પકડાય જ નહીં. હવે લોકો જે પહેલો ઝડપાઈ ગયો તેને ગુનેગાર કહેશે. પણ કુદરત તારા ‘ફેવર'માં છે. સુંવાળા કર્મવાળાને કર્મફળ આપી ઊર્ધ્વગતિમાં લઇ જાય, જયારે અઠંગ હોય તે ના પકડાય તેથી તેની અધોગતિમાં જવાની નિશાની છે.
- દાદાશ્રી : એમાં અત્યંત જાગૃતિ રાખવી પડે. લપસણું આવ્યું હોય ત્યાં કેવા જાગૃત રહો છો ? જંગલમાં વાઘ-વરૂ દેખાતા હોય ત્યાં કેટલી જાગૃતિ રહે છે ? તેમ આમાં જાગૃતિ રહે તો જ એમાંથી છૂટાય.
નિષ્કામ કર્મ' કઈ રીતે કરાય ?
શી
,
પ્રશ્નકર્તા : પુનર્જન્મ થાય છે તે આસકિતનું પરિણામ છે કે કર્મના પરિણામથી છે.
દાદાશ્રી : કર્મના પરિણામથી આસક્તિ રહે છે અને આસકિતથી પુનર્જન્મ થાય છે. આસકિત એ “સ્ટેપિંગ’ છે.
પ્રશ્નકર્તા : નિષ્કામ કર્મ કરે તોય પુનર્જન્મ થાય ?
દાદાશ્રી : નિષ્કામ કર્મ કરો તોય પુનર્જન્મ બંધ થાય તેમ નથી. એ તો સ્વરૂપનું જ્ઞાન થાય તો જ પુનર્જન્મ અટકે.
ચીકણા કર્મ એટલે શું ? કેટલાંક કર્મો તો એમ ને એમ ઊડી જાય. કેટલાંક કર્મો પસ્તાવો કરવાથી ઊડી જાય. અને જે પસ્તાવો કરો તોય ભોગવવાં જ પડે, તેને ચીકણાં કર્મ કહ્યાં, એને ભોગવ્યે જ છૂટકો. જૈનો એને નિકાચિત કર્મ કહે છે. કોઇએ આપણી પર થુંકયું હોય તો તેના પર પાણી રેડીએ તો તરત ધોવાઇ જાય. અને કોઇએ એવું થુંક્યું હોય કે સાબુ ઘસ ઘસ કરીએ, ધો ધો કરીએ તોય ના જાય, અત્યંત ચીકણાં કર્મ હોય.
પ્રશ્નકર્તા: ‘સમભાવે નિકાલ કરવાનો દૃઢ નિશ્ચય હોવા છતાંય ઝઘડો ઊભો રહે એ શાથી ?
દાદાશ્રી : કેટલી જગ્યાએ એવું થાય છે? સોએક જગ્યાએ ? પ્રશ્નકર્તા ઃ એક જ જગ્યાએ થાય છે. દાદાશ્રી : તો એ નિકાચિત કર્મ છે. એ નિકાચિત કર્મ ધોવાય
પ્રશ્નકર્તા : નિષ્કામ કર્મમાં કેમ કરીને કર્મ બંધાય ?
દાદાશ્રી: ‘હું ચંદુભાઈ છું” કરીને નિષ્કામ કર્મ કરવા જાઓ એટલે બંધ જ છે. નિષ્કામ કર્મ કરવાથી આ સંસાર સારી રીતે ચાલે. ખરી રીતે નિષ્કામ કર્મ ‘પોતે કોણ છે એ નક્કી થયા સિવાય થઇ જ ના શકે. જયાં સુધી ક્રોધ, માન, માયા, લોભ હોય ત્યાં સુધી નિષ્કામ કર્મ શી રીતે થઈ શકે ?