________________
આપ્તવાણી-૪
૨૩૩
૨૩૪
આપ્તવાણી-૪
પાડવાની. માટે કુદરતની આ વાતને સમજો.
ઈચ્છા, ત્યાં અંતરાય !
શોધી આપો. અને પછી જયારે ૧૮ વર્ષનો થયો ત્યારે કોઇ કહેવા આવ્યું કે, “અમારી એક છોડી છે જો તારે પૈણવું હોય તો.’ ત્યારે પેલો કહે, ના, હવે મારી ઇચ્છા મરી ગઇ છે.’
માજી ૭૦ વર્ષનાં થાય ત્યારે હીરાના કાપ લઇ આપે, તેનો શો અર્થ ?
પણ આ કુદરતના કાયદા જુદી જાતના છે. ઊર્ધ્વગતિમાં લઇ જવાના હોય તેના કાયદા જુદા અને અધોગતિમાં ઘસડી જવાના કાયદા જુદા. ઇચ્છા તો બધાયની પૂરી થવાની જ.
કુદરતનો કાયદો એવો છે કે ઇચ્છા થાય ને વસ્તુ મળે તો એ લપસી રહ્યા છે, અધોગતિમાં જઇ રહ્યા છે. અને ઇચ્છા હોય તો વસ્તુનું ઠેકાણું ના પડે અને ઠેકાણું પડે ત્યારે ઇચ્છા ના હોય, તે ઊર્ધ્વગતિમાં લઇ જનારું કહેવાય. સારું કહેવાય એ.
પ્રશ્નકર્તા : ઘણાંને તો ઇચ્છા થતાંની સાથે જ વસ્તુ હાજર થઇ જાય, એ શું કહેવાય ?
દાદાશ્રી : ઇચ્છા તરત પૂરી થાય એટલે પછી એ એવો રંગે ચઢે, એવો રંગે ચઢે કે પછી માર ખાઇ ખાઇને મરી જાય, ને અધોગતિમાં જાય. કારણ કે મનનો સ્વભાવ કેવો છે કે એક ફેર કૂદવાની જગ્યા મળી એટલે એ કંદમકૂદી કરી મેલે !
આ કળિયુગ છે તેથી ઇચ્છા થાય ને તેની પ્રાપ્તિ થાય એટલે પછી અહંકાર વધી જાય ને ગાડું ચાલે ઊંધું ! એટલે આ કાળમાં તો ઠોકરો વાગે તો જ સારું કહેવાય. પચ્ચેના આધારે ઇચ્છા પૂરી થઇ તે લોકોએ જે તોફાન માંડયા, ઇચ્છા પ્રમાણે થયું ત્યારે તો આ દશા થઇ ! પુણ્ય હતી તે વપરાઇ ગઇ ને આ ફસામણ ઊભી થઇ. ગાંડો અહંકાર તેથી જ ને ? માટે ઠોકરો ખાઇ ખાઇને પ્રાપ્તિ થાય તેમાં જ ફાયદો છે આ કાળમાં તો.
કુદરતે કેવી સુંદર ગોઠવણી કરી છે ! જેને ઊર્ધ્વગતિમાં જવાનું છે તેની બધી જ ઇચ્છા પ્રમાણે પૂરું પાડવાનું, પણ તે ઇચ્છા પૂરી થઇ ગયા પછી. અને અધોગતિમાં જવાનું છે તેને તરત જ વસ્તુ પૂરી
પ્રશ્નકર્તા : ઇચ્છાનું ઉદ્ભવસ્થાન શું ?
દાદાશ્રી : ઇચ્છા સંજોગોના દબાણથી ઉત્પન્ન થાય છે. અત્યારે આ બધાને ઓઢવાની ઇચ્છા થતી નથી, પણ ઠંડી એકદમ પડે તો બધાને એની ઇચ્છા થાય. એ સંજોગોના દબાણને લીધે છે.
પ્રશ્નકર્તા : ઇચ્છા એ પરતંત્રપણું છે. માટે ઇચ્છા શું રાખવી કશાની ?
દાદાશ્રી : ઇચ્છા ના રાખવી હોય તો છૂટે તેમ નથી ને ? પ્રશ્નકર્તા : પરબ્રહ્મમાં તો ઇચ્છા અને મન કંઈ રહેતું નથી.
દાદાશ્રી : પરબ્રહ્મમાં ઇચ્છા હોય જ નહીં. ઇચ્છા એ પરવશપણું છે. જગતમાં નિરૂઇચ્છુક પુરુષ હોય તો તે એક ‘જ્ઞાની પુરુષ' જ હોય. નિઇચ્છક એટલે જેને કોઇ પણ પ્રકારની ઇચ્છા ના હોય. આખા જગતનું સોનું આપે તો તેમને તે કામનું ના હોય. વિષયોનો જેને વિચાર જ ના આવે. માન, અપમાનની જેને કંઇ જ પડી ના હોય, કીર્તિના, શિષ્યોના, દેરાં બાંધવાના ભિખારી ના હોય; આ દેહનાય ભિખારી ના હોય. દેહનું સ્વામિત્વપણું છૂટી ગયું હોય. આવા ‘જ્ઞાની પુરુષ' આપણને નિઇચ્છક બનાવે.
પોતાના ઉપયોગમાં કયારે રહેવાય ? જયારે બધી ઇચ્છાઓ મંદ થઇ જાય ત્યારે. જયારે ત્યારે તો મંદ કરવી જ પડશે ને ? કિંચિત્ માત્ર ઇચ્છા એ ભીખ છે. અમે સંપૂર્ણ નિરઇચ્છક થયા છીએ ત્યારે જ આ જ્ઞાનીપદ પ્રાપ્ત થયું છે !
ઇચ્છાઓ પૂરી થાય ત્યારે અંતરાય ના રહે. ઇચ્છા કરે તો તેનો અંતરાય થાય.
જેને જે ઇચ્છા હોય તેને દેખાય નહીં. કારણ કે ઇચ્છાનું આવરણ ફરી વળે ને ?