________________
૨૧૮
આપ્તવાણી-૪
(૨૮) મુક્ત હાસ્ય ! સરળતા, તેટલું મુક્ત હાસ્ય !
પ્રશ્નકર્તા : આપનું હાસ્ય જોયું છે ને ? દાદાશ્રી : એ તમને મુક્ત લાગે છે ? પ્રશ્નકર્તા : હા, બિલકુલ વીતરાગ હાસ્ય લાગે છે. દાદાશ્રી : એ જ મુક્તહાસ કહેવાય.
પ્રશ્નકર્તા : અમને મુક્તહાસ થાય એવા સંજોગ છે તો એ શાથી અટકયું છે ?
દાદાશ્રી : તમારી મહીં બધાં ભૂતો ભરાઇ રહ્યાં છે તેનાથી તે અટકયું છે. મુક્તપુરુષ સિવાય કોઇ એ કઢાવે નહીં. મુક્તપુરુષ મુક્તહાસ્યથી તમને મુક્તહાસ્યમાં લાવે. મહીં જાતજાતની ખેંચો રહેલી છે, તેથી ૨ડવાને ટાઇમે રડતો નથી ને હસવાને ટાઇમ હસતો નથી.
હાસ્ય શાથી આવે છે ? આ ઘરડા કાકા વધારે શાથી હસે છે ? નિર્દોષતા છે એટલે, સરળ છે તેથી. સરળ એટલે જેમ વાળો તેમ વળી જાય, સોનાની પેઠ. તેમને એક કલાકમાં જેવો ઘાટ કરવો હોય એવો થાય.
પ્રશ્નકર્તા : એટલે નિર્દોષતા વધે એમ હાસ્ય વધે ?
દાદાશ્રી : હા, એ નિર્દોષતાનો જ ગુણ છે. આજના એટીકેટવાળા લોકો જે ટેબલ પર હસીને જમે છે એ બધું પોલીડ કહેવાય. એ પાછું નવી જ જાતનું, તૃતીયમ કહેવાય. આવું બનાવટી હસે તેનાં કરતાં મૂંજીપણું સારું બનાવટી બોલે તેનાં કરતાં ઓછું બોલે તે સારું.
આ કાકા જયારથી આવ્યા ત્યારથી જ એમને મહીં નવી જ જાતનો અનેરો આનંદ થાય છે. તે હું એકલો જ જાણું ને એ જાણે છે. કારણ કે સરળ છે, તેથી અમારાં દર્શનથી જ એમને આનંદ થઇ ગયો !
દાદાશ્રી : આપની ઉંમર કેટલી થઇ ? પ્રશ્નકર્તા : સિત્તેર.
દાદાશ્રી : જુઓને, આ ઉંમરે મારી સામું જોઇને હસે છે તે જાણે બાળક હસતું હોય ! એનું નામ સરળતા કહેવાય. શું હાસ્ય બધાની પાસેથી ખૂંચવી લીધું છે ? હસાતું કેમ નથી ? ત્યારે કહે, અસરળતા છે. એટલે આપણે એને શું કહીએ છીએ, કે ભાઇ, અહીં સત્સંગમાં રોજ બેસી રહેજે. એમ કરતાં કરતાં અસરળતા જતી રહેશે, એમ કરતાં કરતાં હાસ્ય ખૂલી જશે. આ આરતીમાં હાસ્ય ખૂલે એટલા માટે હું રસ્તો કરાવડાવું છું. હાસ્ય તો ડ્રેટીએથી ફૂટવું જોઇએ. આ તો અહીં ગળામાંથી જ હસે છે, તેનું શું કારણ ? મહીં મળ ભરાઇ રહેલાં છે તેથી. તે આરતીમાં બધા મળ નીકળી જાય.
પ્રશ્નકર્તા : મુક્તહાસ્ય કોને કહેવું ? દાદાશ્રી : તમે મુક્તહાસ્ય જોયેલું ?
મુક્તહાસ્ય, મુક્તપુરુષતું ! ‘જ્ઞાની પુરુષ' નિરંતર મુક્ત અવસ્થામાં હોય, તેથી સામાનું પણ