SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૨૧૫ ૨૧૬ આપ્તવાણી-૪ હેલ્પ ના કરી શકે. જયારે અસામાન્ય માણસ હેલ્પને માટે જ હોય. તેથી જ તેને જગત એક્સેપ્ટ કરે. માણસ માણસ ના હોય, સુપર હ્યુમન હોય ત્યારે જ નિખાલસ થાય. નિખાલસ તો એકદમ ‘પ્યૉર’, ‘ટ્રાન્સ્પેરન્ટ” જેવો હોય. એને એક વિચાર પણ ‘ઇચ્યૉર’ ના આવે. એવું તો હોય જ નહીં ને કયાંય ? સ્વરૂપ જ્ઞાન મળ્યા પછી ધીમે ધીમે એવા થવાય. પ્રશ્નકર્તા : વ્યવહારમાં નિખાલસ માણસનો લોકો ગેરલાભ ઉઠાવે પ્રશ્નકર્તા : અસામાન્ય માણસની વ્યાખ્યા શું ? દાદાશ્રી : અસામાન્ય એટલે પોતે જગતના બધા લોકોને, દરેક જીવમાત્રને હેલ્પફૂલ થઈ પડે. પોતે સ્વતંત્ર થાય, પ્રકૃતિથી પર થાય ત્યારે અસામાન્ય થાય. સામાન્ય માણસ લાચારી હઉ અનુભવે, ત્રણ દહાડા ભૂખ્યો રાખે તો લાચારી અનુભવે. માટે અસામાન્ય થવું. પછી તો પોતાનાં સુખનો પાર ના રહે.. અત્યારે કોઇ મોટો માણસ તમને દેખાય એટલે તમને લઘુતાગ્રંથિ ઉત્પન્ન થાય, તમે અંજાઇ જાવ. અલ્યા, એ જ સામાન્ય માણસ છે તો તેનાથી શું અંજાવાનું ? નિખાલસ થઇ ગયા એટલે જગતનો કંઇ ડર રાખવાની જરૂર જ ના હોય. એનું તો ‘ઓટોમેટિકલી” રક્ષણ થયા કરે, એનું કોઇ ભક્ષણ કરી શકતો જ નથી. સ્વરૂપ જ્ઞાન મળ્યા પછી એની પૂર્ણ દશા ઉત્પન્ન થશે ત્યારે કોઇ ભક્ષણ નહીં કરી શકે, કોઇ નામ પણ ના દે. દાદાશ્રી : ના. જે ગેરલાભ લેવા આવ્યો હોય તે સોએક ફૂટ છેટેથી જ અંદર ના આવી શકે. એની શક્તિ જ તૂટી જાય, ફ્રેકચર થઈ જાય. પ્રશ્નકર્તા : નિખાલસ એટલે સ્વ-સ્વરૂપમાં રહે છે ? દાદાશ્રી : સ્વ-સ્વરૂપમાં તો અમે જ્ઞાન આપીએ એટલે તમેય રહો. પણ એ નિખાલસતા ના કહેવાય. નિખાલસને સંસારનો એક પણ વિચાર ના આવે, હદય એકદમ પ્યોર હોય. તમને હજી વિચારો આવે, તેમાં તન્મયાકાર થઇ જાવ. ઘરના વિચારો આવે, વેપારના આવે, વિષયોના આવે, બીજી બધી જાતના વિચારો આવે ત્યાં સુધી ટ્રાફ્ફરન્ટ થાય નહીં. પ્રશ્નકર્તા : નિખાલસ માણસને શેનો વિચાર આવે ? દાદાશ્રી : એમને વિચાર જ ના હોય. એમનું મન ફર્યા કરતું હોય. સમયે સમયે એટલે સમયવર્તી થયેલું હોય. નિખાલસ પુરુષની પાર વગરની સિદ્ધિઓ હોય છે. પણ એ વાપરે નહીં. છેવટે તમારેય આવા નિખાલસ થવું પડશેને ? એક “એસે” (નિબંધ) લખી લાવજો કે શેના માટે જીવન જીવવાનું છે ! એની પોઝિટિવ, નિગેટિવ બધી જ સાઇડ લખી લાવવાની. આપણે પ્રગતિ તો કરવી પડશેને ? આમ સામાન્ય માણસની જેમ કયાં સુધી બેસી રહેવું ? મને તેરમાં વર્ષે અસામાન્ય થવાનો વિચાર આવેલો. સામાન્ય એટલે શાકભાજી એવું મને લાગેલું. સામાન્ય માણસને જે તકલીફ પડે છે કે કોઇ તકલીફ, અસામાન્ય માણસને ના પડે. સામાન્ય માણસ કોઇને
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy