________________
આપ્તવાણી-૪
૨૧૯
મહીં ખૂલી જાય ! અમારું મુક્ત મન રહે, કોઇ અવસ્થામાં એક ક્ષણ પણ એ બંધાય નહીં. ‘જ્ઞાની પુરુષ'નાં દર્શનથી જ બધા ઉલ્લાસમાં આવી જાય, ને એનાથી તો કેટલાંય કર્મો ઊડી જાય.
એક સંપૂર્ણ વીતરાગ ભગવાન સિવાય કશ્મરહિત હાસ્ય ના હોય. તે આ કાળમાં ઊભું થયું છે, અક્રમ વિજ્ઞાનના ‘જ્ઞાની પુરુષ’ પાસે પ્રગટ થયું છે-કામ કાઢી નાખે એવું છે, સર્વસ્વ કર્મો ભસ્મીભૂત કરે એવું છે! ‘જ્ઞાની પુરુષ'ને જયારે જુઓ, રાતે બે વાગે જુઓ તોય એક જ પ્રકારનું મુક્તહાસ્ય હોય ! જયારે બીજાનાં હાસ્ય કષાયોથી ચંભિત થઈ ગયેલાં હોય.
પ્રશ્નકર્તા : વૈરાગ આવે તેમાં મુકતહાય અટકી જાય છે ?
દાદાશ્રી : વૈરાગમાં તો ઉદાસીનતા આવે. ઉદાસીનતા અધૂરું કહેવાય; મુકતહાસ્ય પૂર્ણ કહેવાય.
પ્રશ્નકર્તા : આપની જોડે વાત કરતાં કરતાં અમને કોઇ વખત મુક્તપણે હસવું આવે છે, તે મુક્તહાસ્ય કહેવાય ?
દાદાશ્રી : હા, તે વખતે મુક્ત થાય છે. એમ કરીને પ્રેક્ટિસ પડે છે, નહીં તો આ ‘દાદા ભગવાનનાં અસીમ જય જયકાર હો' એવું અમારે શું કામ કરવાની જરૂર ? એ વખતે મહીંનો કચરો નીકળે છે ને મુક્ત થાવ છો.
(૨૯) ચિંતા : સમતા
ભૂતકાળ, ‘અત્યારે' કોણ સંભારે ?
પ્રશ્નકર્તા : આવતી કાલની ચિંતા ન કરે તો ચાલે શી રીતે ?
દાદાશ્રી : આવતી કાલ હોતી જ નથી. આવતી કાલ તો કોઇએ જોયેલી જ નહીં જગતમાં. જયારે જુઓ ત્યારે ‘ટુ ડે' જ હોય. આવતી કાલ તો મુશ્કેલીના સાધન તરીકે છે. ગઇ કાલનો અર્થ જે કાળ ગયો તે. ભૂતકાળ એનું નામ ગઇ કાલ. એટલે આવતી કાલની ચિંતા કરવાની જરૂર જ નથી.
પ્રશ્નકર્તા : તો અગાઉથી ટિકિટ શી રીતે કઢાવો છો ?
દાદાશ્રી : એ તો ‘એવિડન્સ' છે. એ સાચું નામ પડે કોઇ દિવસ. આ તમે પ્રોગ્રામ નથી કરતા કે ૨૫મી તારીખે મુંબઇ જવું છે, ૨૮મી તારીખે વડોદરા જવું છે ? એ બધું તમને ‘વિઝન’ છે જ, એ ‘વિઝન'થી તમે યથાર્થ રીતે જોતા નથી. તમે આમ બગવાયા બગવાયા ‘વિઝન'થી જુઓ છો. યથાર્થ ‘વિઝન'માં તમે સ્થિરતામાં રહીને જોઇ શકો. નિયમ એવો છે કે અમુક બાઉન્ડ્રી સુધી તમે જુઓ તો તમને યથાર્થ ‘વિઝન’ મળશે ને એ ‘બાઉન્ડ્રીની આગળ આજે જોશો તો અત્યારે ઠોકર ખાશો.