SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૨૧૧ ૨૧૨ આપ્તવાણી-૪ રૂપિયા એક કલાક જગત વિસ્તૃત કરવા ખર્ચે તોય તે વિસ્તૃત થાય તેવું નથી. જાતજાતનું યાદ આવે. જમતી વખતે સગાં-વહાલાં માંદા હોય તે જ યાદ આવે ! અલ્યા, તું શું કરવા યાદ આવ્યો ? એટલે સ્મૃતિ જ કૈડે પ્રશ્નકર્તા : પણ પાછું એવી શંકા થાય છે કે જગત વિસ્તૃત રહે તો સેલ્સટેક્ષ, ઇન્કમટેક્ષના કેસોના નિકાલ કેવી રીતે કરવાનો ? એમાં મુસીબત પડે ? દાદાશ્રી : એવું નથી. જગત વિસ્તૃત રહે ને સંસારનાં કામો થાય એવું છે. ઊલટી બહુ સરસ, સહજ રીતે થાય તેમ છે. જ્ઞાતીને સ્મૃતિ ?! આમ, ચૌદ વરસ ભણી જોઉં તો તે દેખાય, વીસ વરસ ભણી જોઉં તો તે દેખાય. અમારી પાસે પૂછવા આવનારની ફાઇલ તપાસીને જવાબ અમારે આપવા પડે. આગળ શું વાત કરી હતી, અત્યારે શું છે, એ બધા ‘કનેકશન’માં જવાબ હોય. દરેકની ફાઇલ જુદી જુદી. તેથી જવાબ જુદો જુદો હોય. જવાબ એની ફાઇલને આધીન હોય. હવે કોઇ કહેશે કે, ‘દાદા, તમે એક જ જાતનો જવાબ બધાને કેમ નથી આપતા ?” અલ્યા, એવું ના હોય. દરેકની ફાઇલ જુદી જુદી, દરેકના રોગ જુદા જુદા, તેથી શીશીઓ જુદી ને દવાય જુદી જુદી અમારી પાસે હોય. દરેકના ક્ષયોપશામ જુદા જુદા હોય. અમારે સૈદ્ધાંતિક વાતમાં કયાંય ફેરફાર ના હોય. એને તો ત્રણે કાળમાં કોઇ ચેકો મારી ના શકે તેમ હોય. આ વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ દરેક નિમિત્તને આધીન હોય. તમે મને જે યાદ કરાવડાવોને તે બધું મને દેખાય. ધંધાનુંય અમને અમારા કનુભાઇ કંઇક પૂછે ત્યારે બધું જ દેખાય. પૂલ દેખાય, તેનાં થાંભલા બધાય દેખાય, કયાં શું છે ને કયાં શું નથી તે બધુંય દેખાય. યાદ કરાવો એટલે ઉપયોગ મૂકીએ,ને એટલે બધું જ ક્રમવાર દેખાય. પ્રશ્નકર્તા : એટલે ઉપયોગથી દેખાય ને ? દાદાશ્રી : યાદ કરાવે એટલે ઉપયોગ ત્યાં જ જાય. કારણ કે એ ઉપયોગ ત્યાં ના જાય તો વ્યવહાર બધો તૂટી જાય. આ સ્મૃતિ જ પીડા ઊભી કરે છે. આ જ્ઞાન થતાં પહેલાં મને બહુ જ સ્મૃતિ હતી, જબરજસ્ત સ્મૃતિ હતી, તે મને ખૂબ પીડા કરે, રાત્રે ઊંઘવા પણ ના દે. તેમાં હિસાબ કાઢયો કે કઇ જગ્યાએ દુઃખ છે ? પણ આમ જુઓ તો બધી રીતે અમે સુખી હતા, પણ આ સ્મૃતિનું પાર વગરનું દુ:ખ હતું. અમને યાદ બહુ રહે, એટ એ ટાઈમ બધું જ યાદ રહે. પણ યાદગીરી એ પૌગલિક વસ્તુ છે, ચેતન નથી. પછી જ્ઞાન થયા પછી ‘દેખાતું' થયું, યાદગીરીનું દર્શન નહીં, પણ યથાર્થ દર્શન થયું. પ્રશ્નકર્તા: આપ કહો છો કે અમને સ્મૃતિ ના હોય, પણ આજથી દસ વર્ષ પહેલાં આપે કોઇ પ્રસંગ કે દાખલો કહયો હોય તે આજે ફરી આપના મુખે સાંભળીએ છીએ ત્યારે એકઝેક્ટ એવી જ રીતે, એ જ લિંકમાં શબ્દેશબ્દ ક્રમબદ્ધ ટેપની જેમ નીકળે છે. એ શું હશે ? એ કઈ શક્તિ ? દાદાશ્રી : રાગદ્વેષને આધીન “મેમરી’ છે. તેથી તેમાં “એકઝેક્ટ’ ના હોય. અમારે જે નીકળે છે તે દર્શનનાં આધારે નીકળે છે, એટલે એકઝેક્ટ’ હોય. અમને બધું દેખાય. નાનપણમાં ચાર વર્ષનો હતો ત્યારથી અત્યાર સુધીનું બધું હું જોઈ શકું ખરો અમારે યાદ કરવું ના પડે. પ્રશસ્ત રાગ, મોક્ષનું કારણ ! ટાઇમ આવે તે ઘડીએ બધું જ યાદ આવી જાય. હજુ અમને સત્સંગ ઉપર રાગ ખરો. તેથી ટાઇમ થાય એટલે જવાનું યાદ આવે. મહાત્માઓ ઉપર પણ રાગ રહે. આ બધા રાગને પ્રશસ્ત રાગ કહેવાય. એ બંધન કરાવે નહીં, પણ મહાવિદેહ ક્ષેત્રને માટે બંધન કરાવે. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી પાસે જવાનું છે બધાને. એટલે
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy