________________
૨૧૦
આપ્તવાણી-૪
(૨૬) યાગીરી - રાગદ્વેષાધીન
તીવ્ર સ્મૃતિ, ત્યાં તીવ્ર રાગદ્વેષ ! અમને કાલે કયો વાર છે તેય યાદ નથી હોતું, છતાં જગત ચાલે છે. કોઇને પૂછીએ ત્યાર હોરા તો ત્રણ જણા બોલી ઉઠે કે રવિવાર છે. યાદ રાખનારા ઘણા બધા લોક છે.
વીતરાગ થયો કોને કહેવાય ? આત્મા સિવાય બીજું કશું યાદ જ ના આવે, આત્મા અને આત્માનાં સાધનો સિવાય બીજું કશું યાદ જ ના
દાદાશ્રી : એને જેમાં ‘ઇન્ટરેસ્ટ’ વધારે હોય તેમાં વધારે માર્ક આવે. ઇતિહાસમાં રાગ હોય તો તેમાં વધારે માર્ક આવે. કેટલાક છોકરાઓને વળી ભણવામાં કશું યાદ નથી રહેતું. તે આપણે જાણીએ કે એને ભણવામાં ‘ઇન્ટરેસ્ટ’ નથી, અને બીજામાં બધું બહુ યાદ રહેતું હોય કે જેમાં ‘ઇન્ટરેસ્ટ’ હોય એને. જેને જેમાં રાગ વધારે તેનો તે
એકસ્પર્ટ' થાય. મને અધ્યાત્મનો રાગ હતો, તેથી હું અધ્યાત્મમાં ‘એકસ્પર્ટ’ થઇ ગયો !
કેટલાકને શાસ્ત્રો પર ખૂબ જ રાગ હોય તેથી તેની સ્મૃતિ તેમને જબરજસ્ત હોય. આમાં આત્મા પર રાગ થાય એટલે બીજે બધે, સંસારમાં વિસ્મૃતિ કહેવાય.
સ્મૃતિ-વિસ્મૃતિ, રવી મુશ્કેલ ! પ્રશ્નકર્તા : પંદર વર્ષ સુધી કશું યાદ મને ના આવ્યું ને આજે આવ્યું, તે શું કહેવાય ? એ કયો રાગ-દ્વેષ કહેવાય ?
દાદાશ્રી : એ રાગ-દ્વેષ પર આધાર રાખે છે. કેટલીક બાબતોનું એવું હોય કે જે સતત યાદ આવ્યા જ કરે ને કેટલીકનું એવું હોય કે એનો કાળ પાકે ત્યારે ફળ આપ્યા કરે.
પ્રશ્નકર્તા: કંઇ પણ યાદ રાખવું સહેલું છે પણ વિસ્તૃત કરવું બહુ મુશ્કેલ છે, એનું શું કારણ ?
દાદાશ્રી : યાદ રાખવુંય સહેલું નથી ને વિસ્કૃત કરવું સહેલું નથી, બેઉ અઘરું છે. જેને યાદ ન રહેતું હોય તેને યાદ કરવું બહુ અઘરું પડે છે. ત્યારે તેને તે વિસ્તૃત કરવું બહુ સહેલું જ હોય ને ? અને જેને યાદગીરી બહુ આવતી હોય તેની વિસ્મૃતિ લાવવીય બહુ વસમી પડી જાય.
પ્રશ્નકર્તા : જગત વિસ્તૃત કરવું કેમ ? ભૂલવું કેમ ? એ એક સવાલ છે.
દાદાશ્રી : જગત એક કલાક પણ વિસ્મૃત થાય તેમ નથી. હજારો
જેટલી સ્મૃતિ ગઇ એટલા વીતરાગ થયા. વીતરાગને કોઇ પણ જાતની સ્મૃતિ ના હોય. જગતની વિસ્મૃતિ એને જ મોક્ષ કહ્યો.
સ્મરણશક્તિ માટે જગત આખું માથાકટ કરે છે. પણ સ્મરણશક્તિ નામની કોઇ શક્તિ નથી. સ્મરણશક્તિ એ રાગદ્વેષને કારણે છે. મને રાગદ્વેષ નથી તેથી મને સ્મરણશક્તિ ના હોય. અત્યારે આપણને આપણી યાદગીરી ઉપરથી ખબર પડે કે આ જગ્યાએ રાગ છે ને આ જગ્યાએ દ્વેષ છે. તેથી તો લોકોએ જગત વિસ્તૃત કરવા માટે શોધખોળ કરેલી.
પ્રશ્નકર્તા : પહેલે નંબરે પાસ થાય તેને રાગદ્વેષ બહુ કહેવાય ?