SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૮૫ ૧૮૬ આપ્તવાણી-૪ ... તો ‘રિટર્ન ટિક્ટિ' તિર્યંચતી ! લૌકિક ધર્મમાં ‘બાપજી અમારું આમ કરો” એટલું કરો તો બાપજી ખુશ થાય. પણ તે ચાલે. કારણ કે અહંકાર વગર તો જીવાય જ શી રીતે ? પણ લક્ષ્મી કે વિષયો ધર્મમાં ના પેસવા જોઇએ. હું લક્ષ્મી લઉં, લોકોય ભિખારી ને હુંય ભિખારી, તો પછી ‘જ્ઞાની પુરુષ'માં ને લોકોમાં ફેર શો રહ્યો? એટલે ‘જ્ઞાની પુરુષ' તો કોઇ ચીજના ભિખારી ના હોય. એમને કોઇ ચીજની ઇચ્છા ના હોય. અહીં તો માનની ભીખ, લક્ષ્મીની ભીખ, વિષયોની ભીખ, કીર્તિની ભીખ, શિષ્યોની ભીખ-કોઇ પણ પ્રકારની ભીખ ના હોય. જયાં કોઇ પણ પ્રકારની ભીખ છે ત્યાં ભગવાન અને ભક્ત જુદા છે ને કોઇ પણ પ્રકારની ભીખ નથી ત્યાં ભગવાન અને ભક્ત એક થઇ ગયા, અભેદ થઇ ગયા ! ધર્મમાં ઝઘડા બધા લોક કરતા નથી, એ તો જેને ‘રિટર્ન ટિકિટ’ મળેલી હોય તેટલા જ કરે છે. સંસારમાં ઝઘડા કરે તેનો વાંધો નથી, પણ ધર્મમાં ઝઘડા કરવા એ તો ‘રિટર્ન ટિકિટ'વાળાનું કામ છે. પ્રશ્નકર્તા: ‘રિટર્ન ટિકિટ' એટલે શું ? દાદાશ્રી : આ જાનવરમાંથી અહીં આવ્યો ને પાછો ત્યાંથી ‘રિટર્ન ટિકિટ' લઇ આવ્યો છે તે પાછો ત્યાં જવાનો છે. ધર્મમાં ઝઘડા ના હોય કે અમારો મુસ્લિમ ધર્મ, અમારો હિન્દુ ધર્મ. ધર્મ પર હાથ ના નખાય કોઇથી. જે ‘રિટર્ન ટિકિટ’ લઇને આવ્યો હોય તે જ ધર્મમાં હાથ નાખે. કોઇ ધર્મ તરફ નફરત રાખવી તે બધા ધર્મના ઝઘડા કહેવાય. સાચી, સીધી લાઇનવાળા આવું ના કરે. એવા માણસાઇવાળા બહુ ઓછા હોય છે. આત્મા', “જ્ઞાની' જ ઓળખાવે ! ધરાઇને રડવાનુંય મળે ! અહીં તો ધરાઇને રડવાનુંય ના મળે. વીતરાગના માર્ગમાં તો એક શબ્દમાં નવું સુખ વર્તાતું હોય. આ ‘દાદા’ એ કોને ત્યાગ આપ્યો છે? નથી પચ્ચખાણ આપ્યાં, નથી ત્યાગ આપ્યો. જો, એમ ને એમ કેવું સુખ વર્તે છે બધાંને ! ને પાછું ખૂટે નહીં એવું સુખ !! આથમતો જ નથી એવો ઉજાસ આપ્યો છે, અનંત ઉજાસ !!! લૌકિક ધર્મો, હૃદ્ધમાં જ રાખે ! રીલેટિવ’ ધર્મો દ્વન્દ્રો ઊભા કરનારા છે, અને ‘આ’ તો ‘રીયલ' માર્ગ છે. અહીં દ્વન્દથી પર કરનારું છે. જો ધર્મની સાચી દુકાન હોત તોય ઠીક, પણ આ તો ભટકાવી મારે ત્યાં શો ફાયદો ? ત્યાં કહેશે કે, ‘આત્માને ઓળખો'. એટલે આપણે કહીએ કે, ‘એ તો મારા બાપા પણ કહેતા હતા, તેથી તો હું આપની પાસે આવ્યો છું કે જેથી આપ ઓળખાવડાવો.” પણ આ તો જયાં ને ત્યાં શિયાળામાં ટાઢા પાણીએ નવડાવે છે ! જયાં આત્મજ્ઞાનનો એક અક્ષર પણ ભાળ્યો નથી ને થઇ બેઠા છે જ્ઞાની, ક્રોધ, માન, માયા, લોભ જયાં સાબૂત હોય તેને જ્ઞાની કહેવાય જ કેમ ? જ્ઞાની કોને કહેવાય કે સંસારી પ્રવૃતિ એમનામાં ના હોય. ક્રોધ, માન, માયા, લોભ ના હોય. વીતરાગ થયા હોય તે ‘જ્ઞાની’ કહેવાય. આ તો ચામડાની આંખને લીધે ભેદબુદ્ધિ ઊભી થઇ ! બે ભાઇઓ હોય તોય તું-હુંના ભેદ પાડે. ધણી-ધણિયાણી હોય તોય ભેદબુદ્ધિ, ઝઘડે ત્યારે તું ને હું ! આ રીલેટિવ' આવું છે, તે ઠેઠ સુધી કચડી ચડીને ‘ઝીરો’ સુધી ના લાવે ત્યાં સુધી આરો ના આવે. ‘રીલેટિવ’ ધર્મ ભેદ પાડે અને “રીયલ’ ધર્મ ઠેઠ સુધી જુદાઇ ના લાવે, ભેદ ના પાડે, અભેદ રાખે ! રીલેટિવ ધર્મો બધા લૌકિક ધર્મો કહેવાય, તે મોક્ષે તો ના લઇ જાય. એટલે કશુંક કરવાનું કહે કે “આમ કરી, તેમ કરો.’ એમ કરાવે. તેમાં તમે કર્તા નથી. છતાં તમને કર્તાભાવમાં જ રાખે અને અમે તમને કંઈ જ કરવાનું ના કહીએ એટલે આ અલૌકિક કહેવાય. અહીં જે આવ્યો એટલે એનો મોક્ષ થવો જ જોઇએ. એટલે અમે એને પહેલાં પૂછીએ કે, ‘તારે મોક્ષે જવું છે ? તારો રોગ કાઢવો છે ?” ને પછી એની ઇચ્છા હોય તો ‘ઓપરેશન' કરી આપીએ. અને જો એની મોક્ષની ઇચ્છા ના હોય ને સંસારનાં સુખો જોઇતાં હોય તો તેય ‘એડજસ્ટમેન્ટ' કરાવી આપીએ. વીતરાગોની વાત આવી જૂકી નીકળે કાંઇ ? સાસુ-વહુના જેવી કંઇ લાગે ? નહાવાની ટેવ પડી છે તેથી કાદવ ચોપડે છે. હવે આ કટેવ જાય નહીં ત્યાં સુધી કાદવ ચોપડ્યા વગર રહેવાનો નથી. એના કરતાં ભગવાનને ઓળખો, આત્માને જાણો. આત્મા જાણ્યો તેણે બધું જાણ્યું અને આત્મા નથી જાણ્યો તો જંગલમાં જઇને પોક મૂક કે જેથી નિરાંતે
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy