________________
આપ્તવાણી-૪
૧૮૩
૧૮૪
આપ્તવાણી-૪
દેહ હોવા છતાં પણ દેહ ને આત્મા છૂટા રહે ત્યાર પછી જ મોક્ષ થાય.
મોક્ષ માટે તો વીતરાગ વાણી વિના અવર ન કોઇ ઉપાય ! બીજી બધી રાગી વાણી હોય. વીતરાગ વાણી એટલે સાદ્વાદ, કોઇ જીવનું પ્રમાણ ના દુભાય. પછી ભલેને કસાઇ આવે, પણ એય એના ધર્મમાં જ છે. વીતરાગની દૃષ્ટિએ કોઇ ઘડીવાર પણ ધર્મની બહાર નથી જતો. ધર્મ વગર તો કોઇ એક ક્ષણ પણ જીવી જ ના શકે, છતાં અધર્મ પેસી જાય છે. આ નાસ્તિક હોય છે એ ભગવાનમાં માનતો ના હોય, ધર્મમાં માનતો ના હોય, પણ છેવટે નીતિમાં માનતો હોય છે ને નીતિ એ તો મોટામાં મોટો ધર્મ છે. નૈતિકતા વગર ધર્મ જ નથી, નૈતિકતા તો ધર્મનો પાયો છે. જે ભગવાનને માનતો નથી એ પણ ધર્મમાં જ છે. ધર્મ વગર તો કોઇ છે જ નહીં. આત્મા છે તો ધર્મ હોવો ઘટે. દરેક માણસ ધર્મમાં છે ! હા, પણ સાથે અધર્મ પણ હોય !!
ધર્મ, પક્ષમાં કે નિષ્પક્ષમાં ?
કરજે, બરોબર કરજે. ભગવાનની આજ્ઞા લાખ વખત પાળે તોય જૂની ના થાય, પણ ભગવાનની આજ્ઞા સમજાતી નથી, તેથી પોલ મારે છે. એમાં એમનો દોષ નથી. વીતરાગ ભગવાનનું ધર્મધ્યાન કયારે થાય કે કોઇ પણ પક્ષમાં ના પડે તો. કોઇપણ પક્ષમાં પડયા તો ધર્મધ્યાન ઊડી જાય. પક્ષમાં રહેવું એટલે ‘લ્યુ પોઇન્ટ'માં પડી રહેવું તે. ‘સેન્ટર’માં બેસે તો મતભેદ ના રહે, ત્યારે મોક્ષ થાય. કોઇ પણ ‘ડિગ્રી” ઉપર બેસે ત્યાં અમારું-તમારું રહે, તેનાથી મોક્ષ ના થાય.
ધર્મમાંય વેપારીવૃતિ ...
બધા ધર્મના વાડાઓ-પંથો મતાગ્રહ અને કદાગ્રહમાં જ રાચે છે. તેઓ દરેક પોતપોતાના ધર્મથી મોક્ષ થશે તેમ માને છે. પણ તે બધા આગ્રહી છે, મહાગ્રહી છે. મતાગ્રહથી કયારેય પણ મોક્ષ ના થાય. નિરાગ્રહીનો જ મોક્ષ છે. પક્ષમાં પડેલો માણસ એ પક્ષનાં શાસ્ત્ર વાંચે તો કશું વળે નહીં. દરેક પક્ષનો ‘એસેન્સ’ કાઢે, અને દરેક પક્ષના, દરેક ધર્મનાં શાસ્ત્રો વાંચે ત્યારે ધર્મ પામ્યો કહેવાય. ‘ધર્મ શું છે?” એ ધારણ કર્યા વગર સમજાય નહીં. બાકી, જેટલા વાડામાં પુરાયફૂ તે બધાય ઘેટાં અને જેટલા વાડાની બહાર નીકળ્યા તે બધા સિંહ. ભગવાન કહે છે કે અમારો વીતરાગ મત છે ને તમારા પક્ષવાળાનો મત વીતરાગરહિત છે. ચોવીસેય તીર્થંકરોનો વીતરાગ મત હતો. પક્ષમાં પડેલા હોય ત્યાં વીતરાગ મત ના હોય. ભગવાનના ગયા પછી પક્ષપાત થઈ ગયા, ફાંટા પડી ગયા. મોક્ષનો માર્ગ તો સાચો ના રહ્યો, પણ વ્યવહારિક ધર્મય સાચો ના રહ્યો. ભગવાનની સાચી આજ્ઞા પાળવી અને તેમાં રહેવું એનું નામ ધર્મ કહેવાય. એમની આશા ઓછી પળાય તો ઓછી ને બે પળાય તો બે, પણ પોલ ના હોવી જોઇએ. આ તો સામાયિક કરે ને શીશી જુએ! ભગવાને કહ્યું કે થાય તો સામાયિક કરજે, બહુ ના થાય તો ઓછી કરજે પણ ચોક્કસ
સંસારમાં જે ધર્મો ચાલી રહ્યા છે એ વેપાર કહેવાય, એમાં સૂક્ષ્મ પણ ઇચ્છા હોય. સૂક્ષ્મ પણ ઇચ્છા છે ત્યાં વસ્તુ પ્રાપ્ત થાય નહીં. એ જ ડૂબેલો હોય તે આપણને શી રીતે તારે ? જ્ઞાન વગર ઇચ્છા જાય નહીં. ઇચ્છા એ પોતે જ અગ્નિ છે. ઇચ્છા થઇ એટલે એ પ્રગટે, અને પછી હોલવવી પડે. આજે એને લોક ‘પેટ્રોલ’થી હોલવે છે ! તમે જો ઘેરથી સારું ધરાઇને ખાઈ-પીને નીકળ્યા હો તો કોઇની દુકાન ભણી જુઓ ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તેમ ‘જ્ઞાની પુરુષ' મહીં તૃપ્તિ કરાવી દે છે, એટલે બહાર ઇચ્છા ના થાય.
પ્રશ્નકર્તા : લોક બધા લૂંટબાજીમાં પડ્યા છે તે તેમનું શું થશે ?
દાદાશ્રી : જે લૂંટાય છે તે બધા કમાણી કરી રહ્યા છે ! રીલેટિવ'માં લૂંટાય ત્યારે “રીયલ'માં કમાય એમ ગણાય છે.
પ્રશ્નકર્તા : મહામોહનીય કર્મ એટલે શું ?
દાદાશ્રી : ધર્મના અંગે દુરુપયોગ કરવો તે મહામોહનીય કર્મ કહેવાય, તે ભયંકર અવતારો બાંધી દે. ધર્મમાં વેપાર કરે, પૈસાસંબંધીનો વેપાર બહુ ખરાબ ના કહેવાય પણ દ્રાચારી હોય તે ભયંકર કર્મ બાંધે. જયારે સંસાર અંગે દુરુપયોગ કરે તે મોહનીય કર્મ ને ધર્મમાં દુરુપયોગ કરે તે મહામોહનીય કર્મ.