SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૬૩ પ્રશ્નકર્તા : ગુરુ જે આજ્ઞા કરે તે આજ્ઞામાં જ રહેવું જોઇએ ને ? દાદાશ્રી : હા, ગાંડી આજ્ઞા કરે તોય આજ્ઞામાં જ રહેવું જોઇએ. તમારે જો મોક્ષે જવું હોય, તો ગુરુ કરો તો ગુરુને ઠેઠ સુધી ‘સિન્સિયર’ રહો. શિષ્ય કોને કહેવાય કે ગુરુના સુખમાં પોતાનું સુખ માને. ગુરુને શેમાં આનંદ થાય છે તે જુએ. અને જો આખી જિંદગી ચલાવે તો બધાંય કષાય ખલાસ થઇ જશે. તમારા કષાયો ધોવાનું સાધન ગાંડો ગુરુ હોય, નહીં તો ‘જ્ઞાનીપુરુષ’ એને ધોઇ આપે. વચગાળાનાં તો બધા રઝળપાટ કરાવે. ‘મુક્ત પુરુષ’ની આજ્ઞાવશ રહેવું તેનું નામ ધર્મ. જેને એક ફેરો આપણે ગુરુ તરીકે સ્થાપન કરી નમસ્કાર કર્યા હોય, પછી એવા કોઇ પણ ગુરુ હોય, ચક્રમ હોય કે ગાંડો હોય પણ એક ફેરો નમસ્કાર કર્યા પછી એમની નિંદામાં ના પડવું જોઇએ. ગુરુની પોલ બહાર નીકળી ત્યારે આપણે નિંદા કરીએ, તે ના હોવું જોઇએ. ગુરુ ઊંધું કરે તો એ જોખમદારી ગુરુની છે, બીજા કોઇની નથી. આ ખોજા કોમ ગુરુની નિંદા ના કરે. કેટલી ડહાપણની એમની વાત છે ! એમના આ ડહાપણનો ગુણ સ્વીકારવો જોઇએ. વીતરાગો શું કહે છે કે કોઇપણ માણસનો ડહાપણનો ગુણ હોય તો તે સ્વીકારવો જોઇએ. જ્યારે હિંદુઓ તો બહુ ડેવલપ’ કોમ એટલે તરત જ નિંદા કરે કે આમ કેમ થાય ? તે આ લોક ગુરુનાય ન્યાયાધીશ ! ડખામાં પડે છે, તે બુદ્ધિને મેલને પૂળો અહીંથી. આ લોકોને પૂર્વ વિરાધક જીવો શાથી કહું છું કે કચરો રહ્યો તે જ આ કાળમાં આવ્યો છે. ચોથા આરાનો તો સતયુગ, દ્વાપર ને ત્રેતાનું જે ‘રબિશ મટિરિયલ્સ’ છે તે જ આજના જીવો છે, તે વિરાધનાવાળા જ હોય. જે ખાવાનું આપે તેની વિરાધના કરે, ગુરુ શિખવાડે તો તેની વિરાધના કરે, મા-બાપ ખાવાનું આપે તો પણ તેમનું અવળું બોલે. તે પાડોશીને એમ કહે કે, ‘મારા પપ્પા મમ્મીને લડતા હતા, નાલાયક છે !’ તે પછી છોકરાને પાડોશી ફટવે. પોતે પોતાના ઘરની વાત બહાર કરી દે ! એટલે ‘સિન્સિયારિટી’ રહી જ નથી આ કાળમાં. ‘જ્ઞાતીપુરુષ’તો કેવો સિદ્ધાંત !! જેને પૂજ્ય ગણ્યા હોય પછી એ ગમે તેટલું ખરાબ કરે, પણ તું આપ્તવાણી-૪ તારી દૃષ્ટિ ના બદલીશ. મારો તો પહેલીથી જ સિદ્ધાંત કે મેં જે છોડવો પાણી પાઈને ઉછેર્યો હોય તો ત્યાંથી મારે રેલવે લાઇન પણ લઇ જવી હોય તો તેને બાજુથી વાળી લઉં, પણ મારો ઉછેરેલો છોડવો ના ઉખેડું! સિદ્ધાંત હોવો જોઇએ. એક ફેર મંડન કર્યા પછી ખંડન કયારેય પણ ના ૧૬૪ કરાય. ખંડનની વાત તો ક્યાં રહી, પણ તમે ભેગા થયા છો ત્યારથી તમારા માટે જે અભિપ્રાય બાંધ્યો છે તે એક સેકન્ડ પણ મારો અભિપ્રાય ના ફરે ! આજે હું નક્કી કરું કે આ માણસ ચોખ્ખો છે, પછી એ માણસે મારા ખિસ્સામાંથી પૈસા લીધા હોય, કોઇ પુરાવો આપતો હોય કે મેં એને જાતે ચોરી કરતા જોયો છે તોય હું કહું કે એ ચોર નહોય. કારણ કે અમારી સમજ જુદી છે. એ માણસ કાયમને માટે કેવો છે એવું અમે જોઇ લીધું હોય, પછી સંજોગવશાત્ એ માણસ ગમ્મે તે કરે તેની અમે નોંધ કરીએ નહીં. જગત આખું સંજોગવશાતની નોંધ કરે છે. મૂળ પૂર્વવિરાધક જીવડાં તે વિરાધનાનો તેમને વિચાર આવે જ, તેમાં એનો અમે દોષ ગણતા નથી. અમે શું કહીએ છીએ કે વિરાધનાનો વિચાર તો તમને આવે જ, પણ વિરાધનામાં ‘આપણે’ ભળવું ના જોઇએ, તે રૂપ ના થવું જોઇએ. દરેક ભૂલ ભાંગી મોક્ષે જવાશે. ભૂલ ભાંગ્યા વગર મોક્ષે નહીં જવાય. ગમે તેવા સંજોગો ભેગા થાય છતાં સ્થિરતા ના તૂટે, ધ્યેય ના બદલાય એ ધર્મ પામ્યો કહેવાય. આ તો લોકો આબરૂ રાખવા માટે સારા રહે છે કે પછી અવળા પાટાના સંજોગ ભેગા ના થાય એટલે સારા રહ્યા ! આપણો ધ્યેય ‘શુદ્ધાત્મા’ને મોક્ષ, એટલે બીજું કશું અડે જ નહીં. પરપરિણતિ અડે જ નહીં. અત્યારે તમે આખો દહાડો પ૨પરિણતિમાં રહો છો ને મોક્ષ ખોળો છો ? મોક્ષે જવું હોય તો એ એક જ ધ્યેય જોઇએ. ધર્મતો મર્મ ! ધર્મ તો બહારેય રહ્યો છે. તે આટલા બધા લોકો ધર્મમાં જાય છે, મંદિરમાં જાય છે, ઉપાશ્રયમાં જાય છે ત્યાં બધે ધર્મ રહ્યો છે. પણ મર્મ રહ્યો નથી, ત્યાં મર્મ જેવું કશું જ ના મળે. આવડી મોટી હાફૂસની કેરી
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy