SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૫૯ ૧૬૦ આપ્તવાણી-૪ જરૂર ? દાદાશ્રી : સેન્ટ્રલ સ્ટેશન આવવાનું છે, પણ સ્ટેશન આવ્યા પછી જ એમ કહેવાય. દરેક જીવો અનાદિથી છે, પણ “જ્ઞાની” મળે ને જ્ઞાન થાય ત્યાર પછી જ સાદિ સાંતમાં આવે છે. પ્રશ્નકર્તા : એટલે મોક્ષના માર્ગમાં ગુરુની જરૂર ખરી ? દાદાશ્રી : હા, કેટલાક કહે છે કે ગુરુની જરૂર નહીં ને ! આ તો લાઇટને હોલવી નાખવા જેવી વાત છે. ગુરુ તો પ્રકાશ છે, પણ ગુરુ તો ઓળખાવા જોઇએ ને ? આ તો અંધારાને પ્રકાશ માને તો શી રીતે કામ થાય ? ગુરુ' તો આ બધા આચાર્યો-મહારાજો છે તે ગુરુ કહેવાય. ‘સદ્ગુરુ” કોણ ? કે જેને સત્ પ્રાપ્ત થયું છે તે. જેને સત્ પ્રાપ્ત થયું હોય તે આપણે અવળું કર્યું હોય તોય અકળાય નહીં, અને “જ્ઞાની પુરુષ' તે સ્વપુરુષાર્થ સહિત હોય. ‘જ્ઞાની પુરુષ' તો ‘વ’ની અજાયબી કહેવાય ! પ્રશ્નકર્તા : “જ્ઞાની”ને ઓળખવા શી રીતે ? દાદાશ્રી : “જ્ઞાની'ને કહેવું કે, “સાહેબ, મારો ઊકેલ લાવી આપો. ત્યારે એ જો એમ કહે કે, 'આટલું કરી લાવો.’ તો આપણે કહેવું કે, ‘સાહેબ, આટલો બધો વખત કર કર જ કર્યું તોય પાર ના આવ્યો.’ આ નાના છોકરા પાસે ધક્કો ખવડાવીએ તો કશું કરે ખરો ? એ તો મોટાએ જ કરવું પડે. તેમ ‘જ્ઞાની પુરુષ’ મળે તો એમની પાસે સીધું જ માગી લેવાનું હોય. સંસારમાંથી મુક્તિ અપાવડાવે તે ગુરુ સાચા ! બાકી, બીજા બધા ગુરુ તો ઘણાય હોય તે શું કામના ? એ તો અહીંથી સ્ટેશને જવું હોય તોય રસ્તાનો ગુરુ કરવો પડે. મેળવી આપે અને ગાડીને દિલ્લીના પાટે વાળે. આજે તો દિલ્લીને બદલે સુરત તરફ વાળે છે તે ગાડીઓ બધી સામસામી અથડાઇ ગઇ ! અલ્યા, પોઇન્ટમેન’નો પગાર ખાઓ છો તે એટલું તો કામ કરો ! આ તો વાદવિવાદમાં હરાવીને જગતગુરુ થઇ બેઠા ! એ ગુણવાચક નામ છે કે નામવાચક નામ છે? ન્યાય આપવો પડેને આનો ? જો ગુણવાચક નામ હોય તો બીજા પ્રશ્નો ઊભા થશે. ને નામવાચક હોય તો વાંધો નથી ! ભગવાને તો શું કહેલું કે, “અમે આખા જગતના શિષ્ય છીએ.’ આખા જગતનો કોઇ ગુરુ થઇ શકે નહીં. આ તો બધા વેપાર માંડી બેઠા છે, ક્યાંય ધર્મની નિષ્ઠા જ રહી નથી. આ તો ખાન-પાન ને માનની જ નિષ્ઠા છે. આ અમારે કડક બોલવું પડે તે અમને કંઇ ગમતું હશે ? છતાં તમે ચેતતા રહો તે માટે કહીએ છીએ. સત્ય કોણ બોલે કે જેને કંઇ જ જોઇતું નથી. આમાં કેટલાક સાચા પુરુષો હશે ખરા. પણ તે બહુ ઓછા, સેંકડે બે-પાંચ ટકા જ મળે. છતું ચલાવનાર કોણ કે જે પોતે સો ટકા છતું ચાલતો હોય તે જ બીજાને છતું ચલાવી શકે. પોતાનામાં ઊંધું હોય તો બીજાને શી રીતે ઉપદેશ આપી શકે ? હું જેમાં સો ટકા ‘કરેક્ટ’ હોઉં તેનો તમને ઉપદેશ આપું, તો જ વચનબળ ચાલે. રીલેટિવ' ધર્મ, તો સથવારા જેવા ! આ “રીલેટિવ ધર્મો છે તે સંગાથ જેવા છે. સંગાથમાં સારો માણસ જરા મજબૂત માણસ હોય તો રસ્તામાં સારું પડે ને બહારવટિયા જેવો મળે તો લુંટી લે. સંગાથ એટલે જેનું ‘બીગિનિંગ' હોય અને જેનું ‘એન્ડ’ હોય. જેનું ‘બીગિનિંગ' ના હોય ને “એન્ડ’ પણ ના હોય, એવો સંગાથ શા કામનો ? સંગાથ એટલે કુદરતી રીતે એક વિચારના ભેગા થઇ જાય તે. આપણું તો આ “સાયન્સ' છે, ફ્રોમ ઝીરો ટૂ હંડ્રેડ’ સુધીનું છે. આ તો ઠેઠ સુધીનું છે અને આગળ-પાછળના “રીલેશન’ સાથેનું છે. ધર્મ તો આરપાર લઇ જાય છે. એવું તો કોઈ વખત ઉત્પન્ન થતું જ નથી ને ? થાય તો કામ જ નીકળી જાય. જો કે કશું ના મળ્યું હોય તેના કરતાં આ ‘રીલેટિવ ધર્મના સંગાથ સારા. લૌક્કિ ગુરુઓ લૌકિક ગુરુઓ ભલે જ્ઞાની નથી, પણ એ કોણ છે એ ખબર છે? એ પેલા રેલવેના ‘પોઇન્ટમેન' જેવા છે. ગાડી દિલ્લીની હોય તે પોઇન્ટ
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy