SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ દોષ કે, ‘ભઇ, અમારી શી ભૂલ થઇ છે ?” તો એ કહે કે, ‘આ તમે દસ દિવસ પછી જવાના હતા ને સાતમે દિવસે કેમ જાવ છો ?” તો અમે ખુલાસો કરીએ, પછી તે લીલો વાવટો ધરે ત્યાર પછી જ અમે જઇએ. ભૂલને તો ભૂલ કહી ભાંગવી તો પડશે જ ને ! એ ભૂલ જો સામો ના ભાંગે તો આપણે જ ભાંગવી પડશે ને ? અમને કોઇ લાલ વાવટો ના ધરે ને ધરે તો અમે પૂછીએ કે ‘શી વિગત બની ? શાથી લાલ વાવટો ધરે છે ?” લોકો તો લાલ વાવટો ધરે એટલે બૂમાબૂમ કરે, ‘અલ્યા, જંગલી છે તું? શું કામ ઊંધું કરે છે ?’ આ લાલ વાવટો ધર્યો, માટે ધેર ઇઝ સમથિંગ. અમને તો નાનાં છોકરાં પણ દબડાવી શકે. જગતના લોકો લાલ વાવટો ધરનારને કહે કે તારામાં આમ નથી ને તું તો આવો છે, અક્કલ વગરનો છે. ને આ મોટા અક્કલના કોથળા ! વેચવા જાય તો ચાર આના યે ના આવે. અમારામાં પહેલેથી અક્કલ ઓછી. અમે તો અબુધ કહેવાઇએ. આ તો આપણી ભૂલ છે તેથી લાલ વાવટો ધરે છે. એને ખુલાસો કરીએ તો તો તે પછી જવા દે. ૧૫૧ યથાર્થ લૌક્કિ ધર્મ જગતના લોકોને અમે લૌકિક માર્ગ બહુ સરળ આપીશું. આ ક્રિયાકાંડના તોફાન નહીં આપવાનાં. કોઇ ગામડાનો માણસ આવે તેને કહીએ કે ‘સત્ય બોલજે, ચોરી કરીશ નહીં, દયા રાખજે, જૂઠું કરીશ નહીં.’ તો એ બધું સાંભળીને બાજુ મૂકી દે. પણ એને ‘અમે’ એક જ વાક્ય કહીએ કે ‘ભઇ, તું ગૂંચો ના પાડીશ.' તો પછી એ પૂછે કે ‘ગૂંચો એટલે શું ? તો એને અમે ફરી સમજ પાડીએ, ‘આ તારા સામેના ખેતરમાં ગલકાં દીઠાં ને મન થાય તો તું તે કાઢી લે. તો એ કોઇનું વગર પૂછયે લઇ લેવું એ ગૂંચ કહેવાય. સમજાયું તને ?” તો એ તરત જ કહેશે, ‘હા, સમજી ગયો ગૂંચને. હવે એવી ગૂંચ નહીં પાડું, આવી તો મેં બહુ ગૂંચો પાડી છે.' પછી એ એની બૈરીને લઇ આવે તો એને આ ગૂંચની સમજણ પાડું. તેની બૈરી કહે કે, “દાદા, ‘એ’ મારી જોડે ગૂંચો બહુ પાડે છે.” આપ્તવાણી-૨ તે પછી તેનેય હું ગૂંચની સમજણ પાડી દઉં. આ પછી જ્યારે જ્યારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં. ‘અમે’ તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે, આ તો ગૂંચ શબ્દથી તરત જ સમજણ પડે. આ લોકો ‘સત્ય, દયા, ચોરી નહીં કરો' એ સાંભળીને તો થાકી ગયા છે. ૧૫૨ આ લૌકિક ધર્મ તો ઘડીકમાં જ અમે સમજાવી દઇએ ! પણ અલૌકિક ધર્મ માટે જરા ટાઇમ લાગે. પ્રશ્નકર્તા : થોડી ગૂંચો પડી ગઇ છે તે ઉકેલાતી નથી તો શું કરું? દાદાશ્રી : વખત ગૂંચવે છે અને વખત ઉકેલે છે, પણ ભૂલ કોની? આપણે આપણી ગૂંચો પાડેલી તે ટાઇમ આવે ત્યારે એની મેળે ગૂંચ ઉકેલાતી જાય. એક પણ ગૂંચ વગરનાની જોડે તમે બેઠા છો, માટે તમારી પણ બધી જ ગૂંચો ઉકલી જાય તેમ છે અને ગૂંચોવાળા માણસ જોડે બેઠા હો તો તમારી ગૂંચ વધારે ગૂંચાઇ જશે. એવો નેચરલ કાયદો છે. ગૂંચો આવે છે એ જે ટાઇમે ગૂંચો નાખી છે એજ ટાઇમે ગૂંચો ઉકેલાશે. આ ગૂંચ ઉકેલવાની સત્તા આપણા હાથમાં નથી. માટે ભગવાને શું કહ્યું કે એવા વખતે તું ધર્મધ્યાન, દેવદર્શન, કંઇક કર. આ વાળ વધી જાય છે ત્યારે કપાવવા માટે કંઇ દોડાદોડ કરવી પડે છે ? ના. કારણ કે સંયોગ ભેગા થઇ જાય છે અને વાળ કપાઇ જાય છે. તેમ આ ગૂંચો ટાઇમ પાકશે એટલે ઉકેલાતી જશે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ‘પઝલ’ છે, ગૂંચ સમાન થઇ પડ્યું છે. જો આ ઉકેલો તો કામ થાય ! ‘લખ રે ચોરાશીની ભુલભુલામણીના ફેરા મારા કોણ ટાળે ?' આ લખ ચોરાશીમાંથી નીકળાય શી રીતે ? કોણ કાઢે એમાંથી ? કૃપાળુ દેવ કહે છે કે જે જીવ ચોર્યાશી લાખના ફેરામાંથી નીકળે તેને તો મોટામાં મોટો મહાન માનું. આ તો તમને છટકવાનો રસ્તો મળ્યો, ‘જ્ઞાની પુરુષ' મળ્યા. તે એનાથી છટકી જવાશે. ‘જ્ઞાની પુરુષ' તમારી ભૂલ માટે
SR No.008825
Book TitleAptavani 02
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy