SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જૈતાદ્વૈત ૩૯૧ ૩૯૨ આપ્તવાણી-૨ મરજિયાત માનીને ચાલે છે. અદ્વૈત એટલે એક બાજુ, દ્વૈત એટલે બીજી બાજુ અને આ તો તૃતીયમ !āતમાં હોય ત્યાં સુધી પાંસરો રહે; વૈતાદ્વૈતમાં હોય ત્યાં આત્મા હોય અને તૃતીયમ ત્યાં નર્યો સંસાર ! જોય-જ્ઞાતાનો સંબંધ દ્વત છે, પોતે પોતાની જાત માટે અદ્વૈત છે. એટલે આત્મા દ્વૈતાદ્વૈત છે, બીજું બધું જ તૃતીયમ. ‘મરજિયાત’ એ તૃતીયમ ના કહેવાય, ‘ફરજિયાત’ એ બધું તૃતીયમ છે. થઇ બેઠા, તે દુકાનો માંડીને બેઠા છે ! કોઇ જગ્યાએ એકલો દ્વત શબ્દ મુકાય જ નહીં ને એકલો અદ્વૈત શબ્દ પણ મુકાય નહીં. આ લોક તો દ્વત કે અદ્વૈત શબ્દનો અર્થ પણ સમજતા નથી ને દ્વતની કે અદ્વૈતની દુકાનોમાં પેસી જાય છે ! જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી શુદ્ધાત્મા એ વૈતાદ્વૈત છે. એકલો અદ્વૈત કોઇ થઇ શકે જ નહીં. અંત એ વિકલ્પ છે અને દ્વતના આધારે છે. વીતરાગો તો ગજબના થઇ ગયા ! કંકોના સાગરમાં અદ્વૈતનું રક્ષણ કરવા માટે સામા સાથે ઝઘડવું, એનું નામ જ વૈતભાવ ! અદ્વૈતના રક્ષણ માટે સામા જોડે વાદમાં ઊતરવું એ જ દ્વત છે! અદ્વૈતને ભગવાને રાંડેલો કકો ને દૈતને માંડેલો કક્કો ! ભગવાન તો તાદ્વૈત છે, તું વંદ્વાતીત થઇશ તો ઉકેલ આવશે. આ સંસાર કોઇનય છોડે નહીં તેવો છે. પાંડવોનું તેલ કાઢી નાખ્યું અને રામ તો જંગલમાં ગયા ત્યાં તેમની સ્ત્રી ઉઠાવી ગયા ! એવું છે આ જગત !! વીતરાગો કહે, “આ ચંદુભાઇ ન હોય અને છેય ખરા. અસ્તિ નાસ્તિ- છેય અને નથી. સ્વરૂપનું ભાન ના થાય તો એ ચંદુભાઇ છે અને સ્વરૂપનું ભાન થાય તો એ ચંદુભાઇ નથી. જગત આખું એકાંતિક છે, એક વસ્તુ નક્કી જ કરી નાખે કે આમ જ હોય. ‘જ્ઞાની પુરુષ” અન્-એકાંતિક હોય, તદ્દન નિરાળા હોય! આ જગતમાં પોઇઝન પણ એક ગુણવાળું નથી અને અમૃત પણ એક ગુણવાળું નથી, દ્વિગુણવાળાં છે બધાં; માટે કોઇનીય માટે એકાંતિક ના બોલવું. ‘આ ડૉક્ટર ખરાબ છે' એમ ના બોલાય, અથવા ‘બધાય ડૉક્ટરો સારા છે” એમ પણ ના બોલાય, પણ આપણે વ્યુ પોઇન્ટ લક્ષમાં રાખવું કે અમુક અપેક્ષાએ અમુક છે અને અમુક અપેક્ષાએ અમુક છે. આ પોઇઝનમાંય ઘણા સારા ગુણો છે, જો અમુક લિમિટમાં પોઇઝન ખાવામાં આવે તો બધાય રોગ મટાડે અને જો એથી વધારે ખવાય તો જ મારી નાખે તેમ છે ! મનુષ્ય જીવનમાં એન્ડ સુધી બધું જ ફરજિયાત છે. આખો સંસાર જ ફરજિયાત છે, દ્વિતીયમ નહીં પણ તૃતીયમ છે; પણ આખું જગત
SR No.008825
Book TitleAptavani 02
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy