________________
વેદાન્ત
૩૮૧
૩૮૨
આપ્તવાણી-૨
ભેદ રહે છે. શ્રદ્ધા ને જ્ઞાનથી એક રહે, પણ ચારિત્ર્યથી ભેદ પડે છે. અમે તો ‘હુંહી, હું હીં’ બોલીએ. ‘તું’ ને ‘હું'નો ભેદ પાડે તો ક્યારે ઠેકાણું પડે ? આ તો ભગવાન ને ભગત, એમ ‘તું” ને “હું” બે જુદા એવો ભેદ પડે, તો તો આપણું ઠેકાણું ક્યારે પડે ? છતાં, એમને કોઇ ‘જ્ઞાની પુરુષ” મળી જાય તો ઉકેલ આવી જાય.
શક્તિપાત પ્રશ્નકર્તા : શક્તિપાત એટલે શું ?
દાદાશ્રી : એક છ ફૂટનો પાણીનો વેંકડો છે, વહેણ છે. હવે તમને બૂટ કાઢવાની મુશ્કેલી પડે, ને તમે ઊભા રહી જાવ. બે-પાંચ જણ તો તમારા દેખતાં એ વહેણ કૂદી જાય ને તમારું મન પાછું પડે, ત્યારે હું કહું કે “અરે, ચંદુભાઇ, શું ઊભા છો? કૂદી જાવ.' ને તમે તરત જ કૂદી જાવ. આ શક્તિપાતનો દાખલો છે. એ શક્તિપાતને અને મોક્ષને કશો જ સંબંધ નથી. આ તો પૌગલિક શક્તિપાત કહેવાય, એ તો વધે અને ઘટે, આપનારની શક્તિ ઘટે અને લેનારની શક્તિ વધે.
જ અન્ય માર્ગ છે; નહીં તો જીભને તે વળી તાળવે લગાડવી પડતી હશે ? આ બધું શાથી કરવું પડે છે ? આ બહાર આટલો બધો તાપ છે તે પછી તળાવડીમાં માથું બહાર રાખીને પડી રહે છે, તેના જેવું છે ! પણ આત્મા જાણ્યા વગર ઉકેલ આવે તેવું નથી ! જ્યાં સુધી જ્ઞાન ના મળે ત્યાં સુધી કો’ક ખૂણામાં પડી તો રહેવું જોઇએ ને ? પણ એ બધો હઠાગ્રહીનો માર્ગ છે, એ મોક્ષનો, વીતરાગનો માર્ગ નથી.
આ કેટલાક ‘અહં બ્રહ્માસ્મિ' એમ બોલ્યા કરે છે, તેનો તો ઊલટાનો ભ્રમ વધ્યો છે, કારણ કે બ્રહ્મને જાણ્યા વગર ‘અહમ્ બ્રહ્માસ્મિ' બોલે શું વળે ? આ હિંદુસ્તાનમાં કઇ દુકાન ના ચાલે ? આ જગતમાં તો બધી જ દુકાનો ચાલે. આજથી બે હજાર વર્ષ ઉપર એવો ધર્મ નીકળેલો કે દેવું કરીને ઘી પીઓ, લૂંટબાજી કરો તોય વાંધો નથી ! એ લોકોનું પણ ચાલ્યું ! આ જગતમાં બધી જ દુકાનો ચાલે !
હિંદુસ્તાનમાં જુદાં જુદાં દેવ-દેવીઓને માને છે તે શાથી ? કારણ કે દરેકના વ્યુ પોઇન્ટ જુદાં હોય છે, બુદ્ધિના ફેરફાર, મતિના ફેરફાર હોય છે. મનુષ્યોમાં ૧૪ લાખ થર હોય છે, તે દરેક ઘરના મનુષ્યોનું ડેવલપમેન્ટ જુદું જુદું હોય અને દરેકને તેના ડેવલપમેન્ટના હિસાબે ધર્મ અને દેવ મળી રહે. ધર્મોના ભેદ શાથી ? ઘણા પુનર્જન્મમાં માને છે ને ઘણા નથી માનતા, દરેક માણસ જુદી જુદી ડિગ્રીમાં હોય છે તે પ્રમાણે મત ધરાવતા હોય છે.
આત્મભાત, તે બિન્દુ સંયુક્ત પ્રશ્નકર્તા : હિંદુઓને જયારે તકલીફ પડે છે ત્યારે જાતજાતની બાધા-આખડી રાખે છે, તે સારું છે ?
દાદાશ્રી : જેને આ વાતમાં શ્રદ્ધા છે તેને માટે વાત સારી છે, ન માને તેને મારી ઠોકીને બેસાડી ન શકાય. પૂર્વનું નિમિત્ત, પૂર્વના કનેકશન્સ હોય તો નિમિત્તથી કામ થઇ જાય; માટે માનતા રાખનારની નિંદા ન કરવી.
પ્રશ્નકર્તા : તાળવા ઉપર જીભ લગાડીને અમૃત ગળવાનું કહે છે એ શું છે ?
દાદાશ્રી : આ બધો હઠાગ્રહીઓનો માર્ગ છે, જેને માર ખાવાની ટેવ પડી હોય તેણે આવો માર્ગ પકડવો. અલ્યા, તારે તે શી જરૂર પડી આની ? જીભ અને તાળવું પુદ્ગલ છે, રસ ટપકશે એ પણ પુદ્ગલ છે, એ ન હોય આત્મા, એ તો મહેનતનું ફળ છે. આઇસ્ક્રીમવાળા કોઠીનું હેન્ડલ મારે છે તો તેને મહેનતનું ફળ આઇસ્ક્રીમ ખાવા મળે ને ? જગતનાં સાધુ, સંન્યાસી બધાંની મહીં વિષનાં નિરંતર ટપકાં પડતાં જ હોય છે અને વાણી પણ વિષમય હોય અને “અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ ત્યારથી નિરંતર અમૃતનાં ટપકાં પડે !' આ તો કોના જેવું ? કે બીજો કોઇ સાચો રસ્તો ના મળ્યો એટલે ગારામાં પડ્યા ! આત્મા જ્ઞાનસ્વરૂપ હોય. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ એ મોક્ષનો માર્ગ છે, એ સિવાયના બીજા બધા