________________
અણુવ્રત-મહાવ્રત
બહારનું ફળ મળે ત્યારે દાનત બહુ ખોટી હતી, એવું સાબિત થઇ જાય ! છતાં સંજોગવશાત્ કોઇ પણ જાતનો ગુનો કરે તેને અમે ગુનેગાર ગણતા જ નથી. આ સંજોગવશાત્ છે અને પેલું તો સ્વભાવમાં છે. સ્વભાવમાં અને સંજોગવશાત્માં બહુ ફેર. જેને સ્વભાવમાં ચોરી કરવાની છે તેની તો દૃષ્ટિ જ એ બાજુ પડ્યા કરે, ફર્યા કરે અને ગમે ત્યાંથી ઉઠાવ્યા વગર રહે જ નહીં. આપણી સાથે વાત કરતો હોય ને એની દૃષ્ટિ ‘ક્યાંથી ઉઠાવું’ એમાં ને એમાં જ હોય; જ્યારે સંજોગવશાતને ગુનેગાર કહેવાતો નથી. સંજોગવશાત તો રાજાનેય ચોરી કરવી પડે. વ્રત ને મહાવ્રત સમજ્યો તું ? કંઇ લૂગડાં ધોળાં પહેર્યાં એટલે કંઇ વ્રત નથી કહેવાતાં. મન-વચન-કાયાથી ચોરી નથી કરી એને અસ્તેય મહાવ્રત કહેવાય; પછી એ સાધુ હો કે ગૃહસ્થ, ત્યાગી હો કે ગૃહસ્થલિંગ હો, એ બધાં સંસારી જ છે.
૩૪૧
સારી ઊંચી નાતોમાં ચોરી નથી હોતી, દગાફટકા નથી કરતા. ત્યારે આ લોકો જૂઠ તો અમથી નાની બાબતોમાં બહુ બોલે પણ મોટી બાબતોમાં નહીં બોલતા હોય, પણ અત્યારે તો બધું બગડી ગયું છે ને? મહાવ્રતય બધાં કહોવાઇ ગયાં, સડી ગયાં છે ! અણુવ્રતેય સડી ગયાં! હતાં તો સારાં, પણ સડી ગયાં તે શું થાય ?! તોય પાછું સંજોગવશાત્ છે. અત્યારે આખું હિંદુસ્તાન જ બગડ્યું છેને ! નહીં તો હિંદુસ્તાન આવું હોય નહીં અને આ બગડ્યું છે તેય સંજોગવશાત્ બગડ્યું છે, માટે ગુનેગાર નથી ગણાતું.
આલોચતા - પ્રતિક્રમણ - પ્રત્યાખ્યાત
આલોચના એટલે જે કંઇ દોષ થઇ ગયા હોય તે ‘જેમ છે તેમ’ આપ્તજન પાસે, ‘જ્ઞાની પુરુષ' પાસે વર્ણવવા તે ! આલોચના કરે એટલે બધો દોષ જાય, એકલી આલોચનાથી મોક્ષ છે. એક જણે ગજવું કાપ્યું હોય અને તે મારી પાસે આવીને આલોચના કરે ને હું તેને વિધિ કરી આલું તો બધું જ ઊડી જાય, તે હળવો થઇ જાય ! સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યાં આલોચના કરાય, નહીં તો આ જગત તો દુરુપયોગ કરે તેવું છે. આપણા માટે કોઇને ખાતરી થાય તો તેને સો ટકા ખાતરી થાય તેવું કરવું, તેનો વિશ્વાસઘાત ના કરાય. ખરી રીતે આપ્તજન, ‘જ્ઞાની પુરુષ’ પાસે જ આલોચના થાય. ભગવાને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ઉપર બહુ ભાર મૂકેલો.
પ્રત્યાખ્યાન એટલે થયેલો દોષ ફરી ના થાય તે માટે દ્રઢ નિર્ણયનિય કરવો તે.
આજથી પંદરેક વરસ ઉપરની વાત છે. મામાની પોળમાં, ઓટલે અમે પાંચ-છ જણા વાતો કરતા બેઠા હતા; તેટલામાં એક ડોસા, ૭૮ વર્ષના, હાથમાં દાબડી લઇને દેરાસરમાં રઘવાયા રઘવાયા થઇને જતા હતા. તેમને મેં પૂછ્યું, ‘કેમ કાકા, ક્યાં જાવ છો આમ ?’ તે બોલ્યાઃ ‘ભાઇ, પડકમણું કરવા.’ મેં તેમને પૂછ્યું, ‘પડકમણું એટલે શું ?” ત્યારે એમણે કહ્યું, ‘ઊભા રહો. કાલે મહારાજને પૂછી આવીને કહીશ તમને.'
ભગવાને જાણેલું કે કાળ વિચિત્ર આવવાનો છે, તેથી તેમાં ટકી રહેવા આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોટાં હથિયાર આપેલાં.
પ્રતિક્રમણ એટલે શું ?