SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહારિક સુખદુ:ખ સમજ ! ૧૬૯ ૧૭૦ આપ્તવાણી-૨ રહેશે તો ? આ બધાંનો ટાઇમ હોય. કાળ પાકે એટલે દુ:ખતું બંધ થાય. એક અવસ્થા અડતાલીસ મિનિટથી વધારે ટકે નહીં એવા નિયમવાળું જગત છે ! અવસ્થામાં સુખ હોય નહીં. અવસ્થા તો નિરંતર ફર્યા કરવાની. બગીચામાં સુખ હોય તો પાછું ઘેર આવવું પડે છે, એના કરતાં આ દુ:ખના હાંલ્લામાં પડ્યા રહીએ કે જે જગ્યાએ દુ:ખ છે ત્યાં જ પડ્યા રહીએ તો સુખ થાય. દુ:ખ સહન કરનારને સુખ ઓટોમેટિક આવ્યા કરે, કારણ કે તાપમાં ચાલેલાને બાવળિયા નીચે સુખ આવે જ, અને જો કોઈને બાવળિયા નીચે સુખ ના આવતું હોય તો તેને ચાર-પાંચ કલાક તાપમાં ફેરવીએ તો ત્યાંય તેને સુખ લાગશે. આ સંસારની કલુષિત ક્રિયાને એનાં ફળ રૂપે સુખ ઉત્પન્ન થાય છે ! પછી એ ઘેર જઇને પંખો ફેરવીને બેસે તો ‘હાશ, સુખ થયું” કહે ! પછી એ નિરાંતે ચા-પાણી પીએ. અને આખો દા'ડો ઘરમાં બેસી રહેલા શેઠને પંખો ફેરવે તો ના ફાવે, ચા-પાણી ના ગમે. આ સંસારમાં કોઇ પણ સુખ છે એ થાક્યાનાં ફળ રૂપે છે. તાત્વિક સુખસનાતન સુખ આવે પછી ક્યારેય પણ જાય નહીં ! કેટલીક જગાએ ઓરત ધણીને દુઃખ આપે તો કોઇ જગ્યાએ ધણી ઓરતને દુઃખ આપે. પણ એ દુ:ખ શાથી લાગે છે? ત્યારે કહે, પ્રમાણથી ઓછું દુઃખ આપે છે, તેથી. જો પ્રમાણથી વધારે દુ:ખ પીરસે તો સુખ લાગે. ત્યારે અહીં જ્ઞાન શું બોલે કે આ તો વાગ્યા જ કરશે. તે પછી સુખ ઉત્પન્ન થઇ જાય ! આ ચક્રવર્તી રાજાઓને મહેલોમાં સુખ ના લાગ્યાં ને આ ગરીબોને ઝૂંપડીમાં સુખ લાગ્યા કરે છે એ જ અજાયબી છે ને ? સુખ તો ટકાઉ હોવું જોઇએ, આવ્યા પછી જાય નહીં. સુખ તો ‘દાદા’ને છે તેવું હોવું જોઇએ, એક ક્ષણ પણ એ જાય નહીં, ‘દાદા’ને નિરંતર સહજ સમાધિ રહે ! ના જાય. પણ ઘેર જ સંતોષ ના રહે તો પછી એ બહાર ખાવા જાય, તેવું સુખમાં અસંતોષ છે એટલે સુખ ખોળે છે. જીવ અતીન્દ્રિય સુખને માટે ભટકે છે, પોતાનું સુખ કોઇએ ચાખેલું જ નહીં, આ કલ્પિત સુખ તો કેટલું ટકે ? ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો અતીન્દ્રિય સુખ મળી જાય! કલ્પિત સુખથી તો તૃપ્તિ ના થાય, સંતોષ થાય ખરો. જ્યાં સુધી જ્ઞાન ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી ‘અવળા-હવળા’નું ભાન મનુષ્યને હોય નહીં. બુદ્ધિ છે તો સંસારનાં હિતાહિતનું ભાન બતાવે પણ મોક્ષના હિતાહિતનું ભાન ના બતાવે. એ તો હું મરી જઇશ એવું બતાવે ! આ જગત ક્રમે ગોઠવાયેલું છે. પદ્ધતિસર જગત છે. કોઇનેય મનનાં દુ:ખ નથી. એક મનુષ્ય નામના પ્રાણીને જ દુ:ખ છે. પ્રાણી શાથી? કે પ્રાણના આધારે જીવે છે. બીજા કોઇ જનાવરને મનનાં દુ:ખો નથી. ભૂખ લાગે તો તેમને વેદના થાય પણ જરાક ખોરાક મળે એટલે વેદના શમી જાય. એમને લોભ જ નહીં ને ! આ મનુષ્યોને જ લોભ છે. તે પોતાના ગમાણનું તો ખાય પણ જોડેનાની ‘ગમાણ’નું પડાવી લેવા ફરે ! લોભથી જ દુ:ખો ઊભાં છે ! આ માણસોને પૈડપણમાં પગ દુ:ખે તો ડૉક્ટર પાસે દોડે, દવા કરાવે. પણ આ પક્ષીઓને કે માછલાંઓને છે ડૉક્ટર ? એમને ભોગવ્યા જ કરવાનું. એમને છે એ કેય વિષય ? આહારસંશા હોય તેથી ખાવા જોઇએ, પણ જીભના વિષય નહિ. એમનેય જો ખાવા-પીવાના વિષયો હોય તો તેમનેય દાઢો દુ:ખત, ચશ્માં આવત. જનાવરોનેય પૈડપણમાં દુ:ખો આવવાનાં, પણ મૂંગે મોઢે સહન કર્યા કરવાનાં તેમને ! આ બળદને આખો દહાડો ખેતરમાં ખેતી કરાવે ને પોતાનો બળદ પોતાના ખેતરમાંથી કશું ખાઇ ના જાય તે માટે મોટે શકી બાંધે, તે બળદ જાણે કે મારે કશું ખાવાનું નહીં. એક ખેડૂતભાઇને રાતે સિનેમા જોવાનું મન થયું. તે બળદને ઘાસ-બાસ સરસ સરસ મૂકીને જતો રદ્ધો, પણ શકી કાઢવાનું ભૂલી ગયો. બિચારો બળદ શું કરે ? પેટમાં ભૂખ લાગી પણ કરે શું? કોને કહે ? રાતે બાર વાગ્યે ખેડૂત આવ્યો ને સૂઇ ગયો. બળદની કંઇ તપાસ-બપાસ કરી નહીં. બળદ તો જમીન પર પગ પછાડ પછાડ પ્રશ્નકર્તા : જીવ બીજે સુખ શા માટે ખોળે છે ? દાદાશ્રી : આ છોકરાને દાળભાત સરસ ખાવા મળે તો તે હોટલમાં
SR No.008825
Book TitleAptavani 02
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy