SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૩ ૨૭૫ સંઘના અનેક કાર્યોમાં ઇષ્ટ, સંમત. (૬) સમ્મુદ્દાળિ- ગચ્છમાં ઉત્પન્ન થયેલા કલેશને શાંત કરીને ગચ્છને પ્રસન્ન રાખનાર. (૭) અનુમાણિ-વધુમાણિ – ગચ્છમાં રહેલા બાળ, ગ્લાન, વૃદ્ધ આદિ સર્વ સાધુઓને માન્ય, બહુમાન્ય આદેયવચની. (૮) તેહિ šહિં નાવ તેહિં વધુમ- તેવા ભાવિત, સર્વને માન્ય પરિવારના સદસ્યોમાંથી કોઈ દીક્ષા લેનાર સાધુ હોય તો તેને બદ્ આયરિય-વચ્છ્વાયત્તાર્ ૩લિક્ષિતિજ્ તદિવસ- તે જ દિવસે એટલે દીક્ષાના દિવસે જ દીક્ષા આપીને આચાર્ય–ઉપાધ્યાયપદ આપી શકાય છે. (૨) શ્રુતની પૂર્ણતાનો સંકલ્પ – પદ પ્રદાન સમયે સાધુમાં યથાયોગ્ય શ્રુતની અપૂર્ણતા હોય, પરંતુ તે સમયે તે સાધુ પદ ગ્રહણ કરતા પહેલા અથવા પછી શીઘ્ર શેષ રહેલા અધ્યયનને પૂર્ણ કરવાનો સંકલ્પ કરે અને તે પ્રમાણે કાર્યરત થાય, તેને જ આચાર્ય આદિ પદે સ્થાપિત કરાય છે. જો તે સાધુ શ્રુતની પૂર્ણતાનો સંકલ્પ ન કરે અથવા સંકલ્પ કર્યા પછી પણ તે પ્રમાણે કાર્યરત ન થાય તો તે સાધુને પદ આપી શકાતું નથી. આ રીતે આપવાદિક પરિસ્થિતિમાં પણ સુયોગ્ય સાધુને જ પદ પ્રદાન કરવામાં આવે છે અને તો જ તે પદને વફાદાર રહીને પોતાના કર્તવ્યનું યોગ્ય પાલન કરી શકે છે. આચાર્ય આદિના નેતૃત્વની અનિવાર્યતા : ११ णिग्गंथस्स णं णव- डहर-तरुणस्स आयरिय- उवज्झाए वीसुंभेज्जा, जो से कप्पइ अणायरिय-उवज्झाइए होत्तए । कप्पर से पुव्वं आयरियं उद्दिसावेत्ता तओ पच्छा उवज्झायं । से किमाहु भंते ? दुसंगहिए समणे णिग्गंथे, तं जहाआयरिएण य, उवज्झाएण य । ભાવાર્થ :- નવદીક્ષિત, બાલ અથવા તરુણ સાધુના આચાર્ય અને ઉપાધ્યાયનું જો મૃત્યુ થઈ જાય તો તેને આચાર્ય અને ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. તેને પહેલાં આચાર્યની અને પછી ઉપાધ્યાયની નિશ્રા સ્વીકારીને જ રહેવું જોઈએ. પ્રશ્ન– હે ભગવાન ! તેનું શું કારણ છે ? ઉત્તર- શ્રમણ-નિગ્રંથ આચાર્ય અને ઉપાધ્યાય, આ બે ના નેતૃત્વમાં જ રહે છે. १२ णिग्गंथीए णं णव- डहर-तरुणीए आयरिय-उवज्झाए पवत्तिणी य वीसुंभेज्जा, णो से कप्पइ अणायरिय-उवज्झाइयाए अपवत्तिणीए य होत्तए । कप्पइ से पुव्वं आयरियं उद्दिसावेत्ता तओ पच्छा उवज्झायं तओ पच्छा पवत्तिणि। से किमाहु અંતે ? તિસાહિદ્ સમળી બિનંથી, તેં નહા- આણ્િ ય, વાળ ય, पवत्तिणीए य । ભાવાર્થ :- નવદીક્ષિત, બાલ અથવા તરુણી સાધ્વીના આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિનીનું જો મૃત્યુ થઈ જાય તો તેને આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના રહેવું કલ્પતું નથી. તેને પહેલાં આચાર્ય, પછી ઉપાધ્યાય અને પછી પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને જ રહેવું જોઈએ. પ્રશ્ન- હે ભગવાન ! તેનું શું કારણ છે ? ઉત્તર– શ્રમણી-સાધ્વી આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની, આ ત્રણના નેતૃત્વમાં જ રહે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં નવદીક્ષિત, બાલ અને તરુણ સાધુ–સાધ્વીને માટે આચાર્ય કે ઉપાધ્યાયની નિશ્રા વિના રહેવાનો નિષેધ છે.
SR No.008811
Book TitleAgam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages234
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vyavahara
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy