SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ] શ્રી આવશ્યક સૂત્ર મધ, માંસ, ચરબી, માખણ, દૂધ, દહીં, ઘી, તેલ, ખાંડ, ગોળ વગેરેનો વ્યાપાર પણ રસવાણિજ્યમાં છે. (૯) વિષ વાણિજ્ય :- વિવિધ પ્રકારના વિષ(ઝેર) નો વ્યાપાર. તલવાર, છરા, બંદૂક, ધનુષ્ય, બાણ, ડી.ડી.ટી. પાઉડર વગેરે હિંસક વસ્તુઓનો વ્યાપાર પણ વિષ વાણિજ્યમાં આવી જાય છે. (૧૦) કેશ વાણિજ્ય :- અહીં વપરાયેલો 'કેશ' શબ્દ લાક્ષણિક છે. કેશ વાણિજ્યનો અર્થ દાસ, દાસી, ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઊંટ, ઘોડા, વગેરે જીવિત પ્રાણીઓના ક્રય-વિક્રયનો વ્યાપાર છે. કેટલાક આચાર્યો ચમરી ગાયના પૂછડાના વાળના વ્યાપારનું કથન કરે છે. તેના ચામર બને છે પરંતુ મોરપંખ તથા તેના વ્યાપારને કેશવાણિજ્યમાં સમાવિષ્ટ કર્યો નથી. ચમરી ગાયના વાળ પ્રાપ્ત કરવા તથા મોરપંખ પ્રાપ્ત કરવામાં ભેદ એટલો જ છે કે ચમરી ગાયને મારી નાંખવામાં આવે છે. જ્યારે મોરપંખ તથા ઊન માટે મોરને અને ઘેટાને મારી નખાતા નથી. (૧૧) યંત્ર પીડન કર્મ - તલ, સરસવ, મગફળી વગેરેનું ઘાણી દ્વારા તેલ કાઢવાનો ધંધો, તેમજ ચરખા, મિલ, પ્રેસ વગેરેના વ્યાપાર કરવા. (૧૨) નિલંછણ કર્મ – બળદ, પાડા વગેરેને નપુંસક બનાવવાનો ધંધો કરવો. અંગોપાંગનું છેદન કરવું. (૧૩) દાવનિ દાપન - વનમાં આગ લગાડવાનો ધંધો કરવો. આ આગ અત્યંત ભયાનક અને બેકાબૂ હોય છે. તેનાથી જંગલના ઘણા ત્રસ તથા સ્થાવર જીવો મરી જાય છે. (૧૪) સરદહ તડાગ શોષણ – સરોવર, તળાવ વગેરે પાણીનાં સ્થાનોને સુકવી દેવાં. (૧૫) અસતીજન પોષણ - વ્યભિચાર માટે વેશ્યા વગેરેનું પોષણ કરવું. શ્રાવક માટે વાસ્તવમાં આ નિંદનીય કાર્ય છે. આવાં કાર્યોથી સમાજમાં દુરાચાર ફેલાય છે. વ્યભિચારને પોષણ મળે છે. શોખથી હિંસક પશુઓનું પાલન કરવું તેનો પણ આ કર્માદાનમાં સમાવેશ થાય છે. શિકાર માટે શિકારી કૂતરા વગેરે પાળવાં, ઉંદર માટે બિલાડી પાળવી આ સર્વ કાર્યો અસતીજન પોષણમાં અંતર્ગત થાય છે. (૮) અનર્થદંડ વિરમણ વ્રત:| ९ अणत्थदंडे चउव्विहे पण्णत्ते, तं जहा- अवज्झाणारिए पमत्तायरिए हिंसप्पयाणे पावकम्मोवएसे । अणत्थदंडवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, (ण समायरियव्वा) तं जहा- कंदप्पे, कुक्कुइए, मोहरिए, संजुत्ताहिगरणे, उवभोगपरिभोगाइरेगे ।। ભાવાર્થ :- અનર્થાદંડના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) અપધ્યાન, (ર) પ્રમાદાચરણ (૩) હિંસપ્રદાન (૪) પાપકર્મોપદેશ. શ્રાવકોએ અનર્થાદંડ વેરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, પરંતુ આચારવા યોગ્ય નથી. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે. (૧) કંદર્પ (૨) કૌસ્કુચ્ચ (૩) મૌખર્ય (૪) સંયુક્તાધિકરણ (૫) ઉવભોગપરિભોગાતિરેક. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકના બાર વ્રતમાંથી આઠમા વ્રત અને ત્રીજા ગુણવ્રતની પ્રતિજ્ઞા તથા તેના અતિચારોનું કથન છે.
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy