SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આવશ્યક સૂત્ર નારકીઓને તે પાંદડા ખેરવીને ભેદનારા દેવ. (૧૦) ધનુષ– ધનુષ્યથી છોડેલા અર્ધચંદ્રકાર બાણોથી નારકીઓના આંખ, કાન આદિ અવયવોને છેદનારા દેવ. (૧૧) કુંભ– ઊંટડી–સાંઢણી આદિના આકારવાળી કુંભીઓમાં નારકીઓને નાંખીને પકાવનારા દેવ. (૧૨) વાલુક— વજ્રમય રેતીમાં નારકીઓને ચણાની જેમ શેકનારા દેવ. (૧૩) વૈતરણી— અત્યંત દુર્ગંધ યુક્ત લોહીથી ભરેલી, તપેલા જસત અને કથીરથી ઉકળતી, અત્યંત ક્ષાર યુક્ત પાણીથી ભરેલી વૈતરણી નદીની વિકુર્વણા કરીને તેમાં નારકીઓને નાંખીને દુઃખી આપનારા દેવ. (૧૪) ખરસ્વર– તીક્ષ્ણ વજ્ર જેવા કાંટાવાળા, ઊંચા શેમલના ઝાડ ઉપર ચઢાવીને બૂમો પાડતા નારકીઓને ખેંચનારા, કરવતથી વિદારનારા દેવ. (૧૫) મહાઘોષ– અત્યંત વેદનાના ડરથી હરણની જેમ નાસભાગ કરતા, વાડામાં પૂરાયેલા પશુઓની જેમ મહાગર્જના કરતા નારકીઓને પકડનારા દેવ. ૯૨ આ રીતે પંદર પ્રકારના પરમાધામી દેવો કેવળ પોતાના મનોવિનોદ માટે અત્યંત નિર્દયપણે નારકી જીવોને પીડિત કરે છે. પરમાધામી દેવોના અધમાધમકૃત્યોની મનથી અનુમોદના કરવી અથવા સક્લિષ્ટ પરિણામોથી પરમાધામી દેવપણું પ્રાપ્ત થાય, તેવી પ્રવૃત્તિ કરવી, તે અતિચાર છે. તે અતિચારોનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સોળ અધ્યયન : २७ सोलसहिं गाहासोलसएहिं । ભાવાર્થ:- ગાથા ષોડશક. શ્રી સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનથી ‘ગાથા’ નામક સોળમા અધ્યયન સુધીના ભાવોની શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શનામાં દોષ સેવન થયું હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. તે સોળ અધ્યયન આ પ્રમાણે છે– (૧) સ્વ સમય-પર સમય, (૨) ચૈતાલી, (૩) ઉપસર્ગ પરિક્ષા (૪) સ્ત્રી પરિજ્ઞા, (૫) નરક વિભક્તિ, (૬) વીરસ્તુતિ(પુચ્છિસુi), (૭) કુશીલ પરિભાષા, (૮) વીર્ય, (૯) ધર્મ, (૧૦) સમાધિ, (૧૧) માર્ગ, (૧૨) સમવસરણ, (૧૩) યથાતથ્ય, (૧૪) ગ્રંથ, (૧૫) આદાનીય અને (૧૬) ગાથા. સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આ સોળ અધ્યયન છે. તે જિનકથિત ભાવોમાં શંકા કુશંકા કરી હોય, તે ભાવોની દઢતમ શ્રદ્ધા, સત્ય પ્રરૂપણા કે યથાર્થ પાલન ન કર્યું હોય, તજ્જન્ય દોષોનું સેવન, અતિચાર રૂપ છે. સાધકે પ્રતિદિન તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. સત્તર પ્રકારના અસંયમઃ २८ सत्तरसविहे असंजमे । ભાવાર્થ :- સત્તર પ્રકારના અસંયમનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન : સત્તર પ્રકારના અસંયમ- (૧) પૃથ્વીકાય, (૨) અષ્કાય, (૩) તેઉકાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિ કાય, (૬) બેઇન્દ્રિય, (૭) તેઇન્દ્રિય, (૮) ચૌરેન્દ્રિય, (૯) પંચેન્દ્રિય, આ નવ પ્રકારના જીવોની હિંસા કરવી, કરાવવી, અનુમોદના કરવી. તે ક્રમશઃ પૃથ્વીકાય અસંયમ આદિ છે,(૧૦) અવકાય અસંયમ- અજીવ હોવા છતા પણ જે વસ્તુઓ દ્વારા અસંયમ થાય છે તેવા બહુમૂલ્યવાન વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવા તથા ઉપકરણો અજતનાથી લેવા-વાપરવા તથા પરઠવા આદિ ક્રિયા, અજીવ અસંયમ
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy