SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] શ્રી બૃહક૯પ સૂત્ર ભાવાર્થ :- જે ઉપાશ્રય ઘાસ આદિથી બનેલો હોય યાવત કરોળિયાના જાળાથી રહિત હોય પરંતુ તે ઉપાશ્રયના છતની ઊંચાઈ રત્નમુક્તમુગટ- બંને હાથ ઊંચા રાખીને ઊભેલી વ્યક્તિની ઊંચાઈથી ઓછી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓએ વર્ષાવાસમાં રહેવું કલ્પતું નથી. |३१ से तणेसु वा जाव मक्कडासंताणएसु उप्पि रयणिमुक्कमउडे, कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तहप्पगारे उवस्सए वासावासं वत्थए । त्ति बेमि । ભાવાર્થ :- જે ઉપાશ્રય ઘાસ આદિથી બનેલો હોય યાવત કરોળિયાના જાળાઓથી રહિત હોય અને તે ઉપાશ્રયના છતની ઊંચાઈ બંને હાથ ઊંચા રાખીને ઊભેલી વ્યક્તિની ઊંચાઈથી વધારે હોય, તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓએ વર્ષાવાસમાં રહેવું કહ્યું છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં ઘાસ આદિની છતવાળા નીચા ઉપાશ્રયમાં રોષકાલ કે વર્ષાવાસમાં રહેવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. ઉપાશ્રયની છત સૂકા ઘાસ કે ધાન્યના સૂકા પરાળ આદિથી બનેલી હોય, તેમાં કીડી-મંકોડા આદિ ત્રસ જીવજંતુઓ કે લીલ ફૂગ, ઓસબિંદુ આદિ સ્થાવર જીવો ન હોય, તો તે ઉપાશ્રય સાધુ માટે કલ્પનીય છે, પરંતુ પ્રસ્તુત ઉપાશ્રયમાં તેની છતની ઊંચાઈની અપેક્ષાએ કલ્પનીયતા-અકલ્પનીયાનું કથન છે. દે સવ/નવUિ- પોતાના કાનથી નીચે. જે સ્થાનમાં છતની ઊંચાઈ પોતાના કાનથી નીચી હોય, જે સ્થાનમાં મસ્તક ઝૂકાવીને અંદર પ્રવેશ કરવો પડતો હોય, અંદર ગયા પછી સીધું ઊભુ રહી શકાતું ન હોય, તેવું સ્થાન નિર્દોષ હોવા છતાં અન્ય અનેક પ્રકારે આપત્તિજનક અને અસમાધિકારક હોવાથી સાધુને રહેવું કલ્પતું નથી. વારંવાર નીચું નમીને આવવા-જવામાં ક્યારેક માથું ભટકાઈ જાય છે. કાયોત્સર્ગ, વંદના વગેરે અનુષ્ઠાનો સહજ રીતે સુખપૂર્વક થતાં નથી, તેથી સાધુ તેવા સ્થાનમાં રહે નહીં. ૩પ સવનવા પોતાના કાનથી ઊંચે. જે સ્થાનમાં છતની ઊંચાઈ પોતાના કાનથી ઊંચી હોય, જે સ્થાનમાં અંદર પ્રવેશ કરવા માટે મસ્તક નમાવવું પડતું ન હોય, પરંતુ મસ્તક છત સાથે ભટકાશે, તેવો ભય રહેતો હોય, હાથ ઊંચા કરવાથી છતને સ્પર્શ થતાં છતમાંથી ઘાસ વગેરે નીચે પડતું હોય, તેવું સ્થાન પણ સમાધિજનક ન હોવાથી સાધુ-સાધ્વી રહે નહીં. તેમ છતાં હેમંત કે ગ્રીષ્મ ઋતુમાં વિહાર કરતા ક્યાંક તેવું સ્થાન પ્રાપ્ત થાય, તો ત્યાં બે ચાર દિવસ રહી શકે છે. અદે રામુfમડે- સ્થળ - રત્ની એટલે હાથ. બંને હાથ ઊંચા કરીને ભેગા કરવાથી તેનો આકાર મુકુટ જેવો થાય છે. તેને રત્નમુક્તમુગટ કહે છે. ઉપાશ્રયની છતની ઊંચાઈ રત્નમુક્તમુગટથી અર્થાતુ બંને હાથ ઊંચા કરીને ઊભેલા પુરુષથી ઓછી હોય તો સાધુ-સાધ્વી ત્યાં ચાતુર્માસ રહે નહીં. ચાતુર્માસમાં એક સ્થાને ચાર માસ જેટલો દીર્ઘકાલ રહેવાનું હોવાથી તેમજ ચાતુર્માસમાં સાધુ-સાધ્વીને વિશેષ પ્રકારના અનુષ્ઠાનોની આરાધના કરવાની હોવાથી સ્થાન વ્યવસ્થિત હોવું જરૂરી છે. હાથ ઊંચા કરતાં છતનો સ્પર્શ ન થાય તેવા ખં રણમુમડકેતુ- રત્નમુક્ત મુગટથી અધિક ઊંચાઈવાળા સ્થાનમાં સાધુ પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ સરળતાપૂર્વક કરી શકે છે, તેથી તેના સ્થાનમાં સાધુ ચાતુર્માસ કરે છે. | ઉદ્દેશક-૪ સંપૂર્ણ છે
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy