SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથન ૨૦૩ ઉદ્દેશક-૫ પ્રાકથન OROOOOOOR * આ ઉદ્દેશકમાં પ્રાયઃ સાધ્વી માટે નિષિદ્ધ ક્રિયાઓ, નિષિદ્ધ ઉપકરણો તથા બ્રહ્મચર્ય સુરક્ષા સંબંધી અન્ય વિધાનો છે. * દેવ અથવા દેવી સ્ત્રી અથવા પુરુષનું રૂપ વિકુર્તીને સાધુ-સાધ્વીને આલિંગન કરે ત્યારે સાધુસાધ્વી તેના સ્પર્શ આદિથી વિકારભાવનો અનુભવ કરે તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. * કોઈ સાધુ અન્ય ગણમાંથી કલેશ કરીને આવે તો તેને સમજાવીને શાંત કરીને પાંચ દિવસ આદિનું દીક્ષા છેદ પ્રાયશ્ચિત્ત આપી ફરી તેના ગણમાં મોકલી દેવા જોઈએ. ⭑ જો આહાર ગ્રહણ કર્યા પછી વાપરવાના સમયે જણાય કે સૂર્યાસ્ત થઈ ગયો છે અથવા સૂર્યોદય થયો નથી તો તે આહારને પરઠી દેવો જોઈએ. જો વાપરે તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. રાત્રિના સમયે ઉદ્ગાલ-ઘચરકો આવે તો તેને ગળી ન જવો પરંતુ પરઠી દેવો જોઈએ. ⭑ ગોચરી કરતાં ક્યારેક આહારમાં સચેત બીજ, રજ અથવા ત્રસજીવ આવી જાય તો તેને સાવધાનીપૂર્વક કાઢી લેવા જોઈએ. જો નીકળી શકે તેમ ન હોય તો તે આહાર પરઠી દેવો જોઈએ. ગોચરી કરતાં ક્યારેક ગરમ આહારમાં સચેત પાણીના ટીપા પડી જાય તો તે આહાર વાપરી શકાય છે. * રાત્રે મળ-મૂત્રનો ત્યાગ કરતાં સમયે કોઈ સાધ્વીના અંગોને પશુ અથવા પક્ષી સ્પર્શ કરે અથવા અવગાહન કરે અને સાધ્વી વિકારભાવથી તેનું અનુમોદન કરે તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સાધ્વીએ ગોચરી, સ્પંડિલ અથવા સ્વાધ્યાય આદિને માટે એકલા જવું ન જોઈએ તથા ગ્રામાનુગ્રામ વિચરણ અને ચાતુર્માસ પણ એકલા ન કરવું જોઈએ. * સાધ્વીને વસ્ત્ર રહિત રહેવું, પાત્રરહિત રહેવું, શરીરને વોસિરાવીને રહેવું કે ગામની બહાર આતાપના લેવી કલ્પતી નથી, પરંતુ સૂત્રોક્ત વિધિથી તે ઉપાશ્રયમાં આતાપના લઈ શકે છે. સાધ્વીને કોઈપણ પ્રકારના આસનથી પ્રતિજ્ઞાબદ્ધ થઈને રહેવું કલ્પતું નથી. આકુંચનપટ્ટ, આલંબનયુક્ત આસન, નાના સ્તંભયુક્ત પીઢ, નાળવાળુ તુંબડું, કાષ્ટદંડવાળી પાત્રકેસરિકા અથવા પાદપ્રોંછન વગેરે ઉપકરણો સાધ્વીને રાખવા કલ્પતા નથી પરંતુ સાધુ તેને રાખી શકે છે. ⭑ પ્રબળ કારણ વિના સાધુ-સાધ્વીએ એકબીજાના મૂત્રને ઔષધ નિમિત્તે ઉપયોગમાં લેવા કલ્પતા નથી. સાધુ-સાધ્વી રાત્રે રાખેલા આહાર, પાણી, ઔષધ અને લેપ્ય પદાર્થોને પ્રબળ કારણ વિના ઉપયોગમાં લઈ શકતા નથી, પરંતુ પ્રબળ કારણ હોય તો તે ઉક્ત પદાર્થોનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકે છે. * પરિહાર તપ કરનાર સાધુની સેવા માટે નિયુક્ત સાધુ જો તે પોતાની કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કરે તો સેવાકાર્યથી નિવૃત થયા પછી અતિ અલ્પ પ્રાયશ્ચિત દેવું જોઈએ. * અત્યંત પૌષ્ટિક આહાર આવી ગયા પછી સાધ્વીએ અન્ય આહારની ગવેષણા ન કરવી જોઈએ, પરંતુ તે આહારથી જો નિર્વાહ ન થઈ શકે એટલી અલ્પ માત્રામાં હોય તો ફરીને ગોચરી માટે જઈ શકે છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy