SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૪ . [ ૨૦૧] પ્રસ્તુતમાં સૂત્રકારે પાંચ મહાનદીઓના નામ આપ્યા છે, પરંતુ ઉપલક્ષણથી બીજી મહા નદીઓનું પણ ગ્રહણ થઈ જાય છે. સૂત્રમાં પ્રયુક્ત સરિતા એટલે સ્વયં પાણીમાં પ્રવેશ કરીને પાર કરવું તથા સંતરિત્તા એટલે નાવ આદિમાં બેસીને પાર કરવું, તે પ્રમાણે અર્થ થાય છે. સાધુ સ્વયં જળમાં પ્રવેશ કરીને નદીને પાર કરે, તો પાણીના જીવોની વિરાધના થાય છે. ક્યારેક પાણીના પ્રવાહમાં વહી જવાથી આત્મવિરાધના પણ થાય છે. નાવ આદિથી નદી પાર કરવાથી પાણીના જીવોની વિરાધનાની સાથે છકાયજીવોની વિરાધના પણ થાય છે અને નાવિકના સહયોગ પર આધાર રાખવો પડે છે. નાવિક નદી પાર કરાવ્યા પહેલાં કે પછી પૈસા માંગે તો પણ સમસ્યા ઉત્પન્ન થાય છે ઇત્યાદિ અનેક દોષોની સંભાવના રહે છે, તેથી સાધુ જો અન્ય માર્ગ હોય તો સામાન્ય રીતે નદી પાર કરે નહીં પરંતુ અન્ય માર્ગ ન હોય અને તે ક્ષેત્રમાં જવું જરૂરી હોય, તેવી વિકટ પરિસ્થિતિમાં મહાનદીને એક મહિનામાં એકવાર પાર કરી શકે છે, બે કે ત્રણ વાર પાર કરે, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. જે નદી ગંધ સંક્તિ - જંઘા પ્રમાણ. પગની પિંડી ડૂબે તેટલા પાણી વાળી હોય, તો તે નદી શાસ્ત્રોક્ત વિધિથી એક મહિનામાં બે કે ત્રણ વાર પાર કરી શકે છે. ત્યારે પણ પાણીના જીવોની અલ્પ વિરાધના થાય, તે દૃષ્ટિકોણથી એક પગ પાણીમાં અને એક પગ સ્થલમાં અર્થાત્ જળથી ઉપર અદ્ધર રાખે. સંક્ષેપમાં પાણી ચીરીને જવાથી પાણીના જીવોની અધિક વિરાધના થાય છે, તેથી એક-એક પગ ક્રમશઃ ઉપાડીને યતનાપૂર્વક મૂકે. આ પ્રમાણે નદી પાર કરે. જો આ પ્રમાણે પાર થઈ શકે તેમ ન હોય અર્થાતુ નદીમાં પાણી વધારે હોય તો તે નદીને મહિનામાં બે કે ત્રણ વાર પાર કરે નહીં. શાસ્ત્રોક્ત વિધિથી નદી પાર કરનાર સાધુને પણ અપ્લાયિક જીવોની વિરાધના માટે નિશીથ સૂત્ર ઉદ્દે–૧૨ માં પ્રાયશ્ચિત્તનું કથન છે. ઘાસથી ઢાંકેલા નીચા ઉપાશ્રયમાં રહેવાનો વિવેકઃ २८ से तणेसु वा तणपुंजेसु वा, पलालेसु वा पलालपुंजेसु वा अप्पंडेसु जाव मक्कडासंताणएसु, अहे सवणमायायाए णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तहप्पगारे उवस्सए हेमंत गिम्हासु वत्थए । ભાવાર્થ :- જે ઉપાશ્રય ઘાસ, ઘાસપંજ, પરાલ કે પરાલjજથી બનેલો હોય, તે ઈડા યાવત કરોળિ યાના જાળાથી રહિત હોય, પરંતુ તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી નીચે હોય, તો તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓએ હેમંત અથવા ગીષ્મઋતુમાં રહેવું કલ્પતું નથી. | २९ से तणेसु वा जाव मक्कडासंताणएसु उप्पि सवणमायाए, कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तहप्पगारे उवस्सए हेमंत-गिम्हासु वत्थए । ભાવાર્થ :- જે ઉપાશ્રય ઘાસ આદિથી બનેલો હોય યાવત કરોળિયાના જાળાથી રહિત હોય અને તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી ઊંચી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓએ હેમત તથા ગીષ્મઋતુમાં રહેવું કહ્યું છે. | ३० से तणेसु वा, जाव मक्कडासंताणएसु अहे रयणिमुक्कमउडे, णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तहप्पगारे उवस्सए वासावास वत्थए ।
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy