SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] શ્રી બૃહતક૯પ સૂત્ર અપાવે છે. જેથી સામાન્યજનતાને પણ જાણ થઈ જાય છે કે તે સાધુ કોઈ વિશિષ્ટ તપની આરાધના કરી રહ્યા છે. ત્યાર પછી આચાર્ય કે સંઘના કોઈ પણ સાધુ તેને ભોજન-પાણી આપતા નથી, પરંતુ તેની વૈયાવચ્ચ માટે જે સાધુને આચાર્ય નિયુક્ત કરે તે તેના ભોજન-પાણી અને સમાધિનું ધ્યાન રાખે છે. પરિહારતપ કરનાર સાધુ જ્યારે સ્વયં ઉઠવા, બેસવા, ચાલવા, ફરવા આદિ કાર્ય કરવામાં અસમર્થ થઈ જાય ત્યારે તેની સેવા કરનાર સાધુ તેને સહાયતા કરે છે અને ગોચરી લાવવામાં અસમર્થ હોય તો તેને ભોજન-પાણી લાવી આપે છે. આ રીતે ગમે તે દોષનું સેવન કરનાર વ્યક્તિ પણ જ્યારે આત્મશુદ્ધિનો માર્ગ સ્વીકારે, ત્યારે તેનો તિરસ્કાર ન કરતાં તેની સાથે સંવેદનશીલતા અને સહાનુભૂતિપૂર્વકનો વ્યવહાર કરવો, તે જ જિનશાસનની વિશાળતા અને ઉદારતા છે. પારિહારિક તપ સંબંધી કથન નિશીથ ઉ. ૪ તથા ઉ.૨૦માં પણ છે. મહાનદી પાર કરવાનો વિવેક - | २७ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा इमाओ पंच महण्णवाओ महाणईओ उद्दिट्ठाओ गणियाओ वियंजियाओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा સત્તરિત વા સત્તર વા, તેના- , , સરયુ, પરીવર્ડ(વોલિયા), મહી ! अह पुण एवं जाणेज्जा एरावई कुणालाए जत्थ चक्किया एगं पायं जले किच्चा, एग पाय थले किच्चा, एवण्ह कप्पइ अंतो मासस्स दुक्खुत्तो वा, तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा । जत्थ एवं णो चक्किया एवण्हं णो कप्पइ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा । ભાવાર્થ- સાધુ-સાધ્વીઓને મહાનદીરૂપે કહેવાયેલી, ગણાયેલી, પ્રસિદ્ધ, મહાર્ણવ(સમુદ્ર) જેવી પાંચ મહાનદીઓને એક માસમાં બે અથવા ત્રણ વાર ઉતરવી અથવા હોડી દ્વારા પાર કરવી કલ્પતી નથી, પાંચ નદીઓના નામ આ પ્રમાણે છે– (૧) ગંગા (૨) યમુના (૩) સરયુ (૪) એરાવતી(કોશિ) (૫) મહી. જો તે જાણે કે કુણાલા નગરીની પાસે જે એરાવતી નદી છે, તે નદીને એક પગ પાણીમાં અને એક પગ ધરતી પર રાખીને પાર કરી શકાય તેમ છે, તો તેને એક માસમાં બે અથવા ત્રણવાર ઉતરવી અથવા પાર કરવી કલ્પ છે. ઉક્ત પ્રકારથી પાર કરી ન શકાય તેવી નદીઓને એક મહિનામાં બે અથવા ત્રણવાર ઉતરવી અથવા પાર કરવી કલ્પતી નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મહાનદીને ચાલીને ઉતરવાની કે નૌકાથી પાર કરવાની મર્યાદાના અતિક્રમણનો નિષેધ કર્યો છે. મધખો - જે નદીઓ ખૂબ ઊંડી હોય, જેમાં અગાધ પાણી હોય, તે મહાનદી કહેવાય છે. સૂત્રકારે મહાનદી માટે ચાર વિશેષણ પ્રયુક્ત કર્યા છે. ફ્લિા-ઉદિષ્ટ. જે નદીને ઉદ્દેશીને “આ મહાનદી છે', તેમ કહેવામાં આવતું હોય. પિયાગો- ગણિતક. જે નદીની મહાનદીરૂપે ગણના થતી હોય. વિનિયો - વ્યંજિત. પોતાના નામથી જ મહાનદીરૂપે પ્રસિદ્ધ હોય. મહાવો - મહાર્ણવ. જે નદીમાં સમુદ્રની જેમ અગાધ જલરાશિ હોય, જે નદીઓ સમુદ્રમાં મળતી હોય તેને મહાર્ણવ કહે છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy