SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથન ૧૪ ઉદ્દેશક-૩ પ્રાકથન )ROROOROORO આ ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીઓ પરસ્પરના સ્થાનમાં કે ગૃહસ્થના ઘરમાં જાય તે સમયનો વિવેક, ચર્મખંડ ગ્રહણ કરવાનો ઉત્સર્ગ-અપવાદ માર્ગ; વસ્ત્ર, શય્યા, સંસ્તારક આદિની આશાવિધિ; સંયમી જીવનની પ્રવૃત્તિઓમાં રત્નાધિકોની પ્રધાનતા, સાધુનું અવગ્રહ ક્ષેત્ર વગેરે વિષયોનું વર્ણન છે. સાધુ-સાધ્વીએ પરસ્પરના ઉપાશ્રયમાં બેસવું, સુવું, આદિ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. રુંવાટી વિનાના ચામડાના ટુકડાની જરૂરિયાત હોય તો સાધુ-સાધ્વી ગ્રહણ કરી શકે છે. રુંવાટીવાળું ચામડું તેને કલ્પતું નથી. અત્યંત જરૂરી હોય તો ગૃહસ્થના ઉપયોગમાં હમેશાં લેવાતું રુંવાટીવાળું ચામડું એક રાત્રિ માટે સાધુ ગ્રહણ કરી શકે છે. સાધ્વીને માટે તેનો સર્વથા નિષેધ છે. અત્યંત કિંમતી વસ્ત્ર અને અખંડ તાકો અથવા આવશ્યકતાથી વધારે લાંબું વસ્ત્ર સાધુ-સાધ્વીએ રાખવું ન જોઈએ. સાધ્વીએ સ્વયંની નિશ્રાએ વસ્ત્ર ગ્રહણ ન કરવા જોઈએ. અન્ય પ્રવર્તિની સાધ્વી આદિની નિશ્રાએ તે વસ્ત્રને ગ્રહણ કરી શકે છે. દીક્ષા સમયે સાધુ-સાધ્વી રજોહરણ, ગુચ્છો અને આવશ્યક પાત્ર તથા સાધુ ત્રણ અખંડ વસ્ત્ર અને સાધ્વી ચાર અખંડ વસ્ત્ર સાથે લાવી શકે છે. સાધુ-સાધ્વીએ ચાતુર્માસમાં વસ્ત્ર ગ્રહણ ન કરવા જોઈએ, પરંતુ હેમંત કે ગીષ્મ ઋતુમાં તે વસ્ત્ર લઈ શકે છે. સ્વસ્થ સાધુ-સાધ્વીએ વસ્ત્ર અને શય્યા-સંસ્તા૨ક દીક્ષાપર્યાયના અનુક્રમથી ગ્રહણ કરવા જોઈએ અને દીક્ષાપર્યાયના ક્રમથી વંદન આદિ વ્યવહાર કરવા જોઈએ. સ્વસ્થ સાધુ-સાધ્વીએ ગૃહસ્થના ઘરમાં બેસવું આદિ સૂત્રોક્ત કાર્ય ન કરવા જોઈએ તથા ત્યાં અમર્યાદિત વાર્તાલાપ અથવા ઉપદેશ પણ ન આપવો જોઈએ. આવશ્યક હોય તો ઊભા-ઊભા જ મર્યાદિત કથન કરી શકાય છે. સાધુ-સાધ્વીએ શય્યાતરના અને અન્ય ગૃહસ્થના શય્યા-સંસ્તારકને વિહાર કર્યા પહેલા વ્યવસ્થિત કરીને અવશ્ય પાછા આપવા જોઈએ. સાધુ-સાધ્વીએ પ્રાતિહારિક- શય્યા સંસ્તારક ખોવાઈ જવાથી તેની તપાસ કરવી જોઈએ અને જો તે ન મળે તો તેના સ્વામીને ખોવાઈ જવાની સૂચના આપી, અન્ય શય્યા સંસ્તારક ગ્રહણ કરવા. જો તપાસ કર્યા પછી મળી જાય અને જરૂરિયાત ન હોય તો પાછા આપવા જોઈએ. સાધુ-સાધ્વી ઉપાશ્રયમાં, શૂન્ય ઘરમાં અથવા માર્ગ આદિમાં આજ્ઞા લઈને રહ્યા હોય અને તેના વિહાર કર્યા પહેલાં જ બીજા સાધુ વિહાર કરીને આવી જાય તો તે પહેલા સાધુએ ગ્રહણ કરેલી આજ્ઞાથી તેની જેટલા સમયની આજ્ઞા હોય તેટલા સમય સુધી તે ત્યાં રહી શકે છે. તે સાધુને તેટલા સમય માટે નવી આશા લેવાની જરૂરિયાત હોતી નથી. જો શૂન્ય ઘરના કોઈ સ્વામી આવી જાય તો ફરી તેની આશા લેવી આવશ્યક છે. સામાદિની બહાર સેનાનો પડાવ હોય તો ભિક્ષાને માટે સાધુ-સાધ્વી અંદર જઈ શકે છે પરંતુ તેને ત્યાં રાત્રિનિવાસ કરવો કલ્પતો નથી. રાત્રિ નિવાસ કરવાથી તેમને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સાધુ-સાધ્વી જે ઉપાશ્રયમાં રહ્યા હોય ત્યાંથી કોઈ પણ એક દિશામાં અહીં ગાઉ સુધી ગમનાગમન કરી શકે છે. ܀܀܀܀܀
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy