SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર ઉદ્દેશક-૩ zzzzzzzzzzzzz સાધુ-સાધ્વીને પરસ્પરના ઉપાશ્રયમાં પ્રવૃત્તિ નિષેધ:| १ णो कप्पइ णिग्गंथाणं णिग्गंथीणं उवस्सयंसि चिट्ठित्तए वा णिसीइत्तए वा तुयट्टित्तए वा णिद्दाइत्तए वा पयलाइत्तए वा असणं वा पाणं वा खाइमं वा साइम वा आहारमाहारेत्तए, उच्चारं वा पासवणं वा खेलं वा सिंघाणं वा परिट्ठवेत्तए, सज्झायं वा करित्तए, झाणं वा झाइत्तए, काउसग्गं वा ठाणं ठाइत्तए । ભાવાર્થ :- સાધુઓએ સાધ્વીઓના ઉપાશ્રયમાં – (૧) ઊભા રહેવું (૨) બેસવું (૩) સૂવું (૪) નિદ્રા લેવી (૫) ગાઢ નિદ્રા લેવી (૬ થી ૯) ભોજન, પાણી, મીઠાઈ(ખાદિમ), મુખવાસ, આ ચારે પ્રકારનો આહાર કરવો (૧૦ થી ૧૩) મળ, મૂત્ર, કફ, નાકનો મેલ વગેરે પરઠવો (૧૪) સ્વાધ્યાય કરવો (૧૫) ધ્યાન કરવું તથા (૧૬) કાયોત્સર્ગ કરી સ્થિર થવું કલ્પતું નથી. | २ णो कप्पइ णिग्गंथीणं णिग्गंथाणं उवस्सयंसि चिट्ठित्तए वा जाव काउस्सग्गं वा ठाइत्तए । સાધ્વીઓએ સાધુઓના ઉપાશ્રયમાં ઊભા રહેવું યાવત્ કાયોત્સર્ગ કરી સ્થિર થવું કલ્પતું નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને પરસ્પર એકબીજાના સ્થાનમાં જઈને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનો નિષેધ છે. સાધુઓએ સાધ્વીઓના ઉપાશ્રયમાં અને સાધ્વીઓએ સાધુઓના ઉપાશ્રયમાં કારણ વિના ન જવું જોઈએ, કારણવશ જવું પડે તો ઊભા-ઊભા જ કાર્ય કરીને શીધ્ર પાછા ફરી જવું જોઈએ. ત્યાં સૂત્રોક્ત પ્રવૃત્તિઓ કરવી ન જોઈએ કારણ કે વધારે સમય સુધી રહેવાથી લોકોમાં ઘણા પ્રકારની આશંકાઓ ઉત્પન્ન થાય છે, વધારે પરિચય થવાથી બ્રહ્મચર્યમાં પણ દોષો લાગવાનો સંભવ છે. સાધ્વીઓએ સાધુ પાસે સ્વાધ્યાય માટે અને પરસ્પર વાચના આપવા માટે જવાનું વિધાન વ્યવહાર સૂત્ર, ઉદ્દે –૭ માં છે તથા સેવા આદિ કાર્યોથી પણ એકબીજાના ઉપાશ્રયમાં આવવા-જવાનું કથન ઠાણાંગ સૂત્રમાં છે. આ રીતે કોઈ પણ વિશિષ્ટ કારણથી સાધુ-સાધ્વી પરસ્પરના સ્થાનમાં જાય, તે આગમસંમત છે. તેઓ જે પ્રયોજનથી ગયા હોય, તે પ્રયોજન પૂર્ણ થતાં તુરંત સ્વસ્થાનમાં આવી જવું જોઈએ. પ્રસ્તુત સૂત્ર દ્વારા સાધુ-સાધ્વીને કારણ વિના પરસ્પરના સ્થાનમાં, નિરર્થક વાતો કરવી કે સૂત્રોક્ત નિષિદ્ધ પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી, તેમ સ્પષ્ટ થાય છે. ચર્મ ખંડ ગ્રહણ:| ३ णो कप्पइ णिग्गंथीणं सलोमाइं चम्माइं अहिट्ठित्तए । ભાવાર્થ :- સાધ્વીઓએ રુંવાટીવાળા ચામડાનો ઉપયોગ કરવો કલ્પતો નથી.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy