SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] શ્રી બૃહક૯પ સૂત્ર ભાવાર્થ :- શય્યાતરે પૂજ્ય પુરુષોના ભોજનના ઉદ્દેશથી લોટ-ચોખા આદિ સીધું-સામાન તેઓને અપાઢીહારા (વધે તો પાછા ન આપતા, તમારી ઇચ્છા પ્રમાણે ઉપયોગ કરજો, તેમ કહીને) આપ્યા હોય અને પૂજ્યજનો શય્યાતરના ઉપકરણ-વાસણમાં રસોઈ બનાવી, થાળી આદિમાં કાઢીને ભોજન કરી લીધા પછી વધેલો આહાર શય્યાતર કે શય્યાતરના પરિવારજનો સાધુ-સાધ્વીને આપવા ઇચ્છે, તો સાધુ-સાધ્વીને તે આહાર લેવો કલ્પતો નથી. २८ सागारियस्स पूयाभत्ते उद्देसिए चेइए पाहुडियाए, सागारियस्स उवगरणजाए णिट्ठिए, णिसटे अपाडिहारिए, तं णो सागारिओ देइ णो सागारियस्स परिजणो देइ सागारियस्स पूया देइ, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- શય્યાતરે પૂજ્ય પુરુષોના ભોજનના ઉદ્દેશથી લોટ-ચોખા આદિ સીધું-સામાન તેઓને અપાઢીહારા (વધે તો પાછા ન આપતા તમારી ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરવાનું કહીને) આપ્યા હોય અને પૂજ્યજનો શય્યાતરના ઉપકરણ-વાસણમાં રસોઈ બનાવી, થાળી આદિમાં કાઢીને ભોજન કરી લીધા પછી વધેલો આહાર શય્યાતર કે શય્યાતરના પરિવારજનો નહીં પણ શય્યાતરના પૂજ્યજનો જ સાધુ-સાધ્વીને આપવા ઈચ્છે, તો તે આહાર સાધુ-સાધ્વીને લેવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં શય્યાતરના પૂજ્યજનોના આહાર ગ્રહણનો વિવેક પ્રદર્શિત કર્યો છે. પૂયામ7- પૂજ્યભક્ત. શય્યાતરના નાના, મામા, બનેવી, જમાઈ, વિદ્યાગુરુ, કલાચાર્ય, સ્વામી અથવા મહેમાન આદિ પૂજ્યજનોના નિમિત્તે જે ભોજન-પાણી બનાવાય છે તેને પૂજ્યભક્ત કહે છે. શય્યાતરના લોટ આદિ પૂજ્યજનોને ભોજન માટે સમર્પિત કર્યા હોય અથવા બજારમાંથી મંગાવી પૂજ્યજનોને ભેટરૂપે મોકલ્યા હોય, શય્યાતરના વાસણોમાં રાંધેલું હોય, તેના પાત્રમાંથી કાઢેલું હોય અને તે પૂજ્યજનોને પ્રાતિહારિક રૂપે આપ્યું હોય અર્થાત્ પૂજ્યજનોને જમાડ્યા પછી જે ભોજન વધે તે પાછું આપવાનું હોય, તો તે આહાર શય્યાતર સ્વયં સાધુને આપે, તેના સ્વજન પરિજન આપે અથવા ઉક્ત પૂજ્યજનો આપે તો પણ સાધુ-સાધ્વીને તે આહાર આદિ લેવો કલ્પતો નથી કારણ કે શેષ વધેલો આહાર ફરી શય્યાતરને પાછો આપવાનો હોવાથી તે આહાર આદિ શય્યાતરની માલિકીનો જ કહેવાય છે. તે જ આહાર પૂજ્યજનોને અપ્રાતિહારિક રૂપે આપી દીધો હોય અર્થાત્ ભોજન કરી લીધા પછી વધેલો આહાર શય્યાતરને પાછો આપવાનો ન હોય, તેવા આહારને સાધુ પૂજ્યજનોના હાથેથી ગ્રહણ કરી શકે છે. તે આહારને શય્યાતર અથવા તેના પરિજન આપે તો ગ્રહણ કરવો કલ્પતો નથી, સુત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે શય્યાતરના સ્વામિત્વથી રહિત આહાર પણ શય્યાતરના હાથથી અથવા તેના પુત્ર, પૌત્ર, સ્ત્રી, પુત્રવધૂ આદિના હાથે લઈ શકાતો નથી, તેની વિવાહિત દીકરીઓના હાથે તે આહાર લઈ શકાય છે. સાધુ-સાધ્વીને માટે કલ્પનીય વસ્ત્ર:२९ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा इमाई पंच वत्थाई धारित्तए वा परिहरित्तए वा, तं जहा- जंगिए, भगिए, साणए, पोत्तए, तिरीडपट्टे णाम पंचमे।
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy