SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ | ઉદ્દેશક-૨ [ ૧૫૯ ] આંશિક રૂપે પણ સંબંધ હોય, સર્વથા સંબંધ વિચ્છેદ ન થાય ત્યાં સુધી તે અવ્યવચ્છિન્ન છે. (૩) વોડાવો-અવ્યાકૃત - વ્યાકૃત એટલે ભાગનું સ્પષ્ટીકરણ કરવું કે આટલો ભાગ તમારો છે અને આટલો ભાગ મારો છે, આ રીતે નામ નિર્દેશપૂર્વક નિર્ણય ન થાય ત્યાં સુધી તે અવ્યાકૃત કહેવાય છે. (૪) ખૂઠાનો-અનિયંઢ:-નિકુંઢ-નિશ્ચિત કરેલા વિભાગને જુદો કરી લેવો. જ્યાં સુધી શય્યાતરનો અંશ તે ભોજનમાંથી કાઢી ન નખાય ત્યાં સુધી તે અનિર્મૂઢ કહેવાય છે. આ રીતે શય્યાતર સહિત અનેક વ્યક્તિઓની ખાધ સામગ્રીમાંથી શય્યાતરનો અંશ અવિભાજિત, અવ્યવચ્છિન્ન, અનિર્ણિત અને અનિષ્કાસિત હોય ત્યાં સુધી તે ભોજનના આયોજકોમાંથી કોઈ સાધુને તે સહિયારા આહારનું નિમંત્રણ કરે, તો તે સાધુને માટે કલ્પનીય નથી. સાગારિકનો અંશ, વિભાજિત, વ્યવચ્છિન્ન, નિર્ધારિત અને નિષ્કાસિત થઈ જાય છે ત્યારે તે અન્ય ભાગીદારોની ભોજન સામગ્રીમાંથી અપાતો આહાર સાધુને માટે ગ્રાહ્ય છે અને સાધુ તેને લઈ શકે છે. તાત્પર્ય એ છે કે ચાર-પાંચ વ્યક્તિએ ખાદ્ય પદાર્થો સાથે બનાવરાવ્યા હોય, તેમાંથી શય્યાતરનો ભાગ અલગ ન થયો હોય, તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. શય્યાતરનો ભાગ અલગ કાઢી લીધા પછી શેષ આહારમાંથી અન્ય ભાગીદારો સાધુને આહાર આપે તો લેવો કલ્પ છે. શય્યાતરના પૂજ્યજનોને આપેલા આહારનું ગ્રહણ: २५ सागारियस्स पयाभत्ते उद्देसिए चेइए पाहडियाए,सागारियस्स उवगरणजाए णिट्ठिए णिसढे पाडिहारिए, तं सागारिओ देइ सागारियस्स परिजणो देइ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- શય્યાતરે પૂજ્ય પુરુષના ભોજનના ઉદ્દેશથી લોટ-ચોખા આદિ સીધું-સામાન તેઓના પાઢીહારા(વધે તો પાછા આપવાનું કહીને) આપ્યા હોય અને પૂજ્યજનો શય્યાતરના વાસણમાં રસોઈ બનાવી, થાળી આદિમાં કાઢીને, જમી લીધા પછી વધેલો આહાર શય્યાતરને પાછો આપે, તે આહાર શય્યાતર કે શય્યાતરના પરિવારજનો સાધુ-સાધ્વીને આપવા ઇચ્છે, તો સાધુ-સાધ્વીને તે આહાર લેવો કલ્પતો નથી. २६ सागारियस्स पूयाभत्ते उद्देसिए चेइए पाहुडियाए, सागारियस्स उवगरणजाए णिट्ठिए णिसटे पाडिहारिए, तं णो सागारिओ देइ णो सागारियस्स परिजणो देइ, सागारियस्स पूया देइ तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ - શય્યાતરે પૂજ્ય પુરુષના ભોજનના ઉદ્દેશથી લોટ-ચોખા આદિ સીધું-સામાન તેઓને પાઢીહારા(વધે તો પાછા આપવાનું કહીને) આપ્યા હોય અને પૂજ્યજનો શય્યાતરના વાસણમાં રસોઈ બનાવી, થાળી આદિમાં કાઢીને, જમી લીધા પછી વધેલો આહાર શય્યાતર કે શય્યાતરના પરિવારજનો નહીં પણ પૂજ્યજન સાધુ-સાધ્વીને આપવા ઇચ્છે, તો સાધુ-સાધ્વીને તે આહાર લેવો કલ્પતો નથી. २७ सागारियस्स पूयाभत्ते उद्देसिए चेइए पाहुडियाए सागारियस्स उवगरणजाए णिट्ठिए णिसढे अपाडिहारिए, तं सागारिओ देइ सागारियस्स परिजणो देइ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहित्तइ ।
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy