________________
| ૨૦ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આત્મા અનેક આગમતઃ દ્રવ્ય છે, તેવા કથનનો સ્વીકાર કરતો નથી. તે બધા અનુપયુક્ત આત્માને એક દ્રવ્યાવશ્યક રૂપે માને છે. જુસૂત્ર નય પૃથકત્વ-ભેદને સ્વીકારતો નથી. તેથી તેના મતે એક અનુપયુક્ત આત્મા જ્ઞાનાપેક્ષયા એક દ્રવ્ય આવશ્યક છે(વર્તમાનકાલીન એક જ આગમતઃ દ્રવ્ય આવશ્યકનો તે સ્વીકાર કરે છે.)
ત્રણે શબ્દનય, શિબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂતની જ્ઞાયક અનુપયુક્ત હોય તો તેને અવસ્તુ, અસત્ માને છે. જે જ્ઞાયક હોય તે ઉપયોગ શૂન્ય હોય શકે નહીં અને જો ઉપયોગ શૂન્ય હોય તો તે જ્ઞાયક કહેવાય નહીં. આ આગમથી દ્રવ્યાવશ્યક છે.
વિવેચન :
નય – વસ્તુ અનંત ધર્માત્મક છે. એક સમયે એક જ ધર્મનું કથન થઈ શકે, તેથી અન્ય ધર્મને ગૌણ કરી એક ધર્મને મુખ્યતાએ જે ગ્રહણ કરે તે નય કહેવાય છે. વસ્તુમાં અનંત ધર્મો હોવાથી નયો પણ અનંત થાય છતાં સુગમતાથી બોધ કરાવવા તેને સાત વિભાગમાં વિભક્ત કર્યા છે, તે જ સાત નય રૂપે પ્રસિદ્ધ છે. (૧) નૈગમનય - વસ્તુમાં રહેલ સામાન્ય અને વિશેષ બંને ધર્મોનો સ્વીકાર કરે છે. તે અનેક પ્રકારે વસ્તુનો બોધ કરાવે છે. વિશેષરૂપ ભેદને પ્રધાન બનાવી આ નય જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલા આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે. (૨) વ્યવહારનય – સંગ્રહનય દ્વારા ગૃહીત પદાર્થમાં વિધિપૂર્વક વિભાગ જે અભિપ્રાયથી કરવામાં આવે તે અભિપ્રાયને વ્યવહારનય કહેવામાં આવે છે. આ નય લોકવ્યવહારને પ્રધાનતા આપે છે. તે વ્યવહારમાં વિશેષ' ઉપકારી છે. પાણી લાવવું હોય તો ઘટ વિશેષમાં લાવી શકાય, ઘટત્વ સામાન્યથી કાર્ય થઈ શકતું નથી. વ્યવહારનય 'વિશેષને જ માન્ય કરે છે તેથી વિશેષગ્રાહીનૈગમનય જેવું જ તેનું વક્તવ્ય છે. તે જેટલા અનુપયુક્ત આત્મા, તેટલા આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે.
નૈગમનય જેવી જ પ્રરૂપણા હોવાથી સૂત્રકારે ક્રમ પ્રાપ્ત સંગ્રહનયને છોડી વ્યવહાર નયનું પહેલા કથન કર્યું છે. બાકી સાત નયમાં સંગ્રહાય બીજા ક્રમે અને વ્યવહાર નય ત્રીજા ક્રમે છે. (૩) સંગ્રહનયઃ- પ્રત્યેક પદાર્થમાં રહેલ વિશેષ ધર્મોને ગૌણ કરીને સામાન્યને સ્વીકારી પ્રત્યેક પદાર્થને એકરૂપે સ્વીકારે તેને સંગ્રહાય કહે છે. અનેક ઉપયોગ શૂન્ય આત્માઓમાં અનુપયુક્તત્વ એક સમાન છે તે સામાન્યને લક્ષ્યમાં રાખી સંગ્રહનય એક આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે. (૪) અસત્રનય :- જે કેવળ વર્તમાન અને સ્વકીય પર્યાયને સ્વીકારે તેને ત્ર&જુસૂત્રનય કહે છે, તેના મતે અતીતકાલ વિનષ્ટ છે, અનાગતકાળ અનુત્પન્ન છે, તેથી તે વર્તમાન પર્યાયને જ સ્વીકારે છે. વર્તમાન પર્યાય એક સમયની જ હોવાથી એક છે. તેથી આ નય અનેકતાને સ્વીકારતો નથી, તેના મતે આગમ દ્રવ્ય આવશ્યક એક જ છે, અનેક નહીં. (૫. ૭) શબ્દનય, સમભિ૩ઢનય અને એવભત નય - આ ત્રણે નય શબ્દ પ્રધાન છે. તેના મતે