SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૮ ] શ્રી અનુયોગદ્વાર સૂત્ર सुक्काणि य कुंड-सर-णदि दह-तलागाइं पासित्ता तेणं साहिज्जइ जहा- कुवुट्ठी आसी । से तं तीतकालगहणं । શબ્દાર્થ - જિત્તા વળી = નિતૃણ–તૃણરહિત વનને, ળિખUOTHસં = અનિષ્પન્ન ધાન્યવાળી, ને = ભૂમિ, સુ ખ-શુષ્ક, પાણી રહિત, તે સાજિદ્દ અનુમાન કરાય છે, સુવુદ્દી આલી = કુવૃષ્ટિ થઈ છે. ભાવાર્થ :- પ્રશ્ન- અતીતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- તુણરહિત વન, અનિષ્પન્ન ધાન્યવાળી ભૂમિ અને સૂકા-પાણી વિનાના કુંડ, સરોવર, નદી, દ્રહ, તળાવો જોઈ અનુમાન કરાય છે કે આ પ્રદેશમાં વૃષ્ટિ થઈ નથી. તે અતીતકાલગ્રહણ છે. |३० से किं तं पडुप्पण्णकालगहणं? पडुप्पण्णकालगहणं- साहु गोयरग्गगयं भिक्खं अलभमाणं पासित्ता तेणं साहिज्जइ जहा दुभिक्खं वट्टइ । से तं पडुप्पण्णकालगहणं । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રત્યુત્પન્ન-વર્તમાનકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ગોચરી ગયેલા સાધુને ભિક્ષા મળતી નથી, તેવું જોઈને અનુમાન કરે કે આ પ્રદેશમાં દુર્મિક્ષ છે. આ વર્તમાનકાળગ્રહણ અનુમાન છે. ३१ से किं तं अणागयकालगहणं? अणागयकालगहणं अग्यं वा वायव्वं वा अण्णयरं वा अप्पसत्थं उप्पायं पासित्ता तेणं साहिज्जइ जहा- कुवुट्ठी भविस्स्इ । सेतं अणागयकालगहणं । से तं विसेसदिटुं । से तं दिट्ठसाहम्मवं । से तं अणुमाणे । શબ્દાર્થ – ય = આગ્નેય મંડળના નક્ષત્ર, વાયબ્સ = વાયવ્ય મંડળના નક્ષત્ર. ભાવાર્થ :- પ્રશ્ન– અનાગતકાળગ્રહણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– આગ્નેય અને વાયવ્ય નક્ષત્ર અથવા અન્ય કોઈ અપ્રશસ્ત ઉલ્કાપાત વગેરે ઉત્પાત જોઈ અનુમાન કરવામાં આવે કે કવૃષ્ટિ થશે. વરસાદ થશે નહીં, તેને અનાગતકાળ ગ્રહણ કહે છે. આ રીતે વિશેષદષ્ટ, દષ્ટ સાધર્મવત્ અને અનુમાન પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થયું. વિવેચન : વિશેષદષ્ટ સાધર્યવતુ અનુમાનમાં વિશેષનું ગ્રહણ કોઈને કોઈ નિમિત્તથી થાય છે. કાળના નિમિત્તથી
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy