SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ | શ્રી અનુયોગદ્વાર સૂત્ર ઉત્તર-પથમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવાથી સાતમો ભંગ બને. ઘણા પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી પથમિક–ક્ષાયિક-પારિણામિક નામનો આઠમો ભંગ બને? ઉત્તર-પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી આઠમો ભંગ બને. ઘટા પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી પથમિક-સાયોપથમિક-પારિણામિક નામનો નવમો ભંગ બને? ઉત્તર- પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી નવમો ભંગ બને. પલા પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી ક્ષાયિક–ક્ષાયોપથમિક–પારિણામિક' નામનો દસમો ભંગ બને? ઉત્તર– ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી દસમો ભંગ બને છે. ૧૦ વિવેચન : આ બે સૂત્રો દ્વારા સૂત્રકારે ત્રિસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ અને તેના દસ ભેગો ઉદાહરણ સાથે સમજાવ્યા છે. પાંચ ભાવોને ક્રમથી સ્થાપિત કરી ત્રણ-ત્રણને ભેગા કરવાથી ત્રિક સંયોગી ભંગ બને છે. તે આ પ્રમાણે સમજવા. (૧) ઔદયિક, (૨) ઔપથમિક, (૩) ક્ષાયિક, (૪) ક્ષાયોપથમિક, (૫) પારિણામિક. પ્રથમ ભંગ ૧. ૪. ૫ છઠ્ઠો ભંગ ૧. ૨. ૩ ૧. ૨.૪ બીજો ભંગ ૨. ૩. ૪ સાતમો ભંગ ૧. ૨. ૫ ત્રીજો ભંગ ૨. ૩. ૫ આઠમો ભંગ ૧. ૩.૪ ચોથો ભંગ ૨. ૪. ૫ નવમો ભંગ ૧. ૩. ૫ પાંચમો ભંગ ૩. ૪. ૫ દસમો ભંગ. આ દસ ભંગોમાંથી પાંચમો ભંગ 'ઔદયિક–ક્ષાયિક-પારિણામિક કેવળી ભગવાનની અપેક્ષાએ ઘટિત થશે. તેમાં મનુષ્યગતિ, મનુષ્યગતિ નામ કર્મના ઉદયથી છે. ક્ષાયિક સમ્યકત્વ વીતરાગતા આદિમોહનીયના ક્ષયથી અને જીવત્વ પારિણામિક ભાવરૂપે છે. ઘાતિકર્મોનો ક્ષય થઈ જવાથી ઉપશમ તથા
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy