SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનુયોગદ્વાર સૂત્ર કાળ સુધી જ રહી શકે. અનેક આનુપૂર્વી—અનાનુપૂર્વી–અવક્તવ્ય દ્રવ્યોની જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વકાળ છે. કોઈપણ સમય એવો નથી કે જેમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય ન હોય માટે તેઓની સ્થિતિ નિયમતઃ સર્વકાલિક છે. અંતર :२१ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणमंतरं कालओ केवचिरं होइ ? एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं अणंतं कालं, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं । णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाणं अंतरं कालओ केवचिरं होइ ? एग दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज्ज कालं, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं । णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाणं अंतरं कालओ केवचिरं होइ ? एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं अणंतं कालं, णाणादव्वाइं पडुच्च पत्थि अंतरं । ભાવાર્થ - પ્રશ્ન-નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્યોનું અંતર(વિરહાકાળ) કેટલું છે? ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર–વિરહકાળ નથી. પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલું છે? ઉત્તર- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે. અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત અવક્તવ્યદ્રવ્યોનું અંતર કેટલા કાળનું છે? ઉત્તર- એક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક અવક્તવ્ય દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. વિવેચન : આનુપૂર્વી વગેરે દ્રવ્ય પોતાના આનુપૂર્વીત્વ વગેરે સ્વરૂપનો ત્યાગ કરીને જેટલા સમય પછી
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy