________________
પદ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અવયવની જ વિવક્ષા છે. ત્યાં જીવપ્રદેશથી અવ્યાખ નખ-કેશ વગેરેની વિવક્ષા નથી. જ્યારે આ અનેકદ્રવ્ય સ્કન્ધમાં જીવપ્રદેશથી વ્યાપ્ત અવયવ સાથે જીવપ્રદેશથી રહિત એવા નખાદિ અવયવની પણ વિવક્ષા છે.
મિશ્ર સ્કન્દમાં હાથી–અશ્વ-તલવાર વગેરે સચિત્ત-અચિત્તદ્રવ્ય પૃથક પૃથક રૂપથી અવસ્થિત હોય. અનેક દ્રવ્ય સ્કન્દમાં સચેત-અચેત દ્રવ્યોનો વિશિષ્ટ પરિણામથી પરિણત એક સમુદાય રૂપ સમુદાયની વિવેક્ષા છે.
આ રીતે દ્રવ્યસ્કન્ધની વક્તવ્યતા પુરી થાય છે.
ભાવસ્કન્ધ :|१७ से किं तं भावखंधे ? भावखंधे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य, णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન– ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવસ્કન્ધના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે–આગમતઃ ભાવસ્કન્ધ અને નોઆગમતઃ ભાવસ્કન્ધ.
આગમતઃ ભાવસ્કન્ધ :१८ से किं तं आगमओ भावखंधे ? आगमओ भावखंधे जाणए उववत्ते । से तं आगमओ भावखधे । ભાવાર્થ :- પ્રશ્ન– આગમતઃ ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સ્કન્ધપદના અર્થમાં ઉપયોગવાન જ્ઞાતા આગમતઃ ભાવસ્કન્ધ છે.
વિવેચન :
આવશ્યક સુત્રરૂપ શ્રુતસ્કંધનું જ્ઞાન અને તેમાં ઉપયોગ હોય ત્યારે તે આગમતઃ ભાવ શ્રુતસ્કંધ કહેવાય છે.
નોઆગમતઃ ભાવરસ્કન્ધ :|१९ से किं तं णोआगमओ भावखंधे ?
णोआगमओ भावखंधे एएसिं चेव सामाइयमाइयाणं छण्हं अज्झयणाणं