SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય.-૧: ધ્રુમપુષ્પિક્રા છાયાનુવાદઃ યથા દુર્ણ પુષ્પષ, બર આપત્તિ રસ न च पुष्पं क्लामयति, स च प्रीणयत्यात्मानम् ॥२॥ एवमेते श्रमणा मुक्ता, ये लोके सन्ति साधवः । विहङ्गमा इव पुष्पेषु, दानभक्तषणे रताः ॥३॥ શબ્દાર્થ -નર = જેવી રીતે કરો = ભ્રમર તુમ = વૃક્ષના પુસુ = ફૂલોમાંથી પસં= રસને ગાવિય = મર્યાદાપૂર્વક પીવે છે ય = અને, પરંતુ પુ ફૂલને = નથી ય = પાદપૂર્તિ માટે વિરુનાફ = પીડા આપતો તો તે ભ્રમર અMયંત્ર આત્માને, પોતાને = તૃપ્ત કરે છે. અને એવી રીતે, આ પ્રમાણે તાપ = લોકમાં ને = જે કુત્તા = બંધનથી મુક્ત સમMT = શ્રમણો સદુપો- સાધુઓ સંતિક છે = દાતાના આપેલા મસT= પ્રાસુક-નિર્દોષ આહારાદિ અને એષણામાંથી = રત રહે છે, લીન રહે છે જે પ્રમાણે પુસુ= ફૂલોમાં વિરામ = ભ્રમર. ભાવાર્થ – જેમ ભ્રમર વૃક્ષના ફૂલોમાંથી ફૂલોને કષ્ટ આપ્યા વિના મર્યાદાપૂર્વક રસ પીએ છે અને પોતાના આત્માને તૃપ્ત કરી લે છે. તેમજ આ લોકમાં બાહ્ય અને આત્યંતર ગ્રંથીથી મુક્ત થયેલા શ્રમણો, ભ્રમર જેવી અમદાયક વૃત્તિથી ગૃહસ્થ દ્વારા અપાતા નિર્દોષ આહારની ગવેષણામાં દત્તચિત્ત રહે છે.ર-૩ વિવેચન : ધર્મનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ બતાવ્યા પછી આ બે ગાથાઓમાં મોક્ષ પ્રાપ્તિના સાધનભૂત શરીરના નિર્વાહ માટે અહિંસક જીવન વૃત્તિને સમજાવતાં ભ્રમરવૃત્તિનું દષ્ટાંત આપ્યું છે. નિરા ડુમસ પુસુ - ભ્રમરની આહાર પ્રાપ્તિનું કેન્દ્ર સ્થાન દ્રુમપુષ્પવૃક્ષ પરના ખીલેલા પુષ્પો) છે. વૃક્ષ સ્વર્ય પાણી, માટી વગેરેમાંથી પોષણ મેળવી પુષ્પિત થાય છે. ભ્રમર ફરતા ફરતા અનેક પુષ્પો પર બેસીને એક પણ પુષ્પને અંશ માત્ર પણ પીડા પહોંચાડ્યા વિના; તેના વર્ણ, ગંધ કે રસ, સ્પર્શમાં હાનિ કર્યા વિના તેમાંથી મર્યાદિત રસ પીએ છે. ભ્રમર નિષ્પરિગ્રહી છે. પોતાની આવશ્યકતા અનુસાર નિર્દોષ રીતે રસપાન કરે છે. તે જ રીતે શ્રમણો પણ ઘણા ઘરોમાં ભ્રમણ કરતાં કરતાં તવંગર–ગરીબના ભેદભાવ વિના, ગૃહસ્થને કે અન્ય કોઈ પણ જીવોને પીડા પહોંચાડ્યા વિના; ગૃહસ્થ પોતાના જીવન નિર્વાહ માટે બનાવેલા આહારમાંથી મર્યાદિત આહાર ગ્રહણ કરીને જીવન નિર્વાહ કરે છે. લાખમત્તેરને રથ:- શ્રમણો અને ભ્રમરોની જીવનવૃત્તિમાં અનેક પ્રકારનું સામ્ય હોવા છતાં શ્રમણોની અહિંસક જીવનવૃત્તિમાં કંઈક વિશેષતા છે; સૂત્રકારે તે મરેલો શબ્દ દ્વારા પ્રગટ કરી છે. આ પદ નિગ્રંથ શ્રમણની ભિક્ષાવૃત્તિનો મૂળ મંત્ર છે. ભ્રમર અદત્ત રસને ગ્રહણ કરે છે જ્યારે ભિક્ષુ ગૃહસ્થો દ્વારા
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy