________________
૪૧૪ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત ગાથા ઉદ્દેશકની પૂર્વ ગાથાઓના સંક્ષિપ્ત સારરૂપ છે. તેમાં વિનીત અને અવિનીત શિષ્યને પ્રાપ્ત થતી લાભ કે હાનિનું કથન છે.
જીવને લાભ કે હાનિની દઢ પ્રતીતિ ન થાય ત્યાં સુધી તે હાનિથી દૂર રહેવાનો અને લાભ માટે પ્રયત્નશીલ રહેવાનો ઉદ્યમ કરતો નથી. જ્યારે વિનય-અવિનયના ફળને યથાર્થરૂપે જાણે ત્યાર પછી જ તેનામાં અવિનયનો ભય અને વિનયનો આદર પ્રગટ થાય છે અને તે યથાર્થ જ્ઞાન અને આચરણને પ્રાપ્ત કરે છે.
२३
વિવરી વિનયસ - પ્રથમ અને દ્વિતીય ઉદ્દેશકમાં અવિનીતના કેટલાક ગેર લાભ અને વિપત્તિઓ દર્શાવવામાં આવી છે. તે આ લોકમાં વધ, બંધન, તિરસ્કાર આદિ વિપત્તિઓને પામે છે. તેના સમ્યગુદર્શનાદિ આત્મગુણરૂપ સંપત્તિ નાશ પામે છે અને અજ્ઞાનાદિ દુર્ગુણરૂપ વિપત્તિને પ્રાપ્ત કરે છે. સપત્ત વિજયસ – તે જ રીતે આ ઉદ્દેશકમાં સુવિનીતની અનેક ઉપલબ્ધિઓનું કથન છે. તેને સારી રીતે સમજી વિચારીને શિષ્ય ઉચ્ચતમ વિનીત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુમુક્ષુની પાત્રતા-અપાત્રતા અને પરિણામ :
जे यावि चंडे मइ इड्डिगारवे, पिसुणे णरे साहस हीणपेसणे ।
अदिट्ठधम्मे विणए अकोविए, असंविभागी ण हु तस्स मुक्खो ॥ છાયાનુવાદઃ ચશ્વા િવષ્નો મટિરિવઃ શિશુનો નર: સાહસિવ રીનષ: I
अदृष्टधर्मा विनयेऽकोविदः, असंविभागी नैव तस्य मोक्षः ॥ શબ્દાર્થ -ને યાવિ = જે કોઈનરે = મનુષ્ય વડે = ક્રોધી છે
મ રવું = ઋદ્ધિ આદિના ગર્વમાં જેની બુદ્ધિ નિમગ્ન છે ઉપમુખે = ચુગલીખોર છે સાદ = અયોગ્ય કાર્યમાં સાહસી હીંગ પર = ગુરુ આજ્ઞાથી ઓછું કરનારો, સંપૂર્ણ રીતે આજ્ઞાનું પાલન ન કરનાર વિદૂધને ધર્મને યથાર્થ નહીં પામેલો વિના જોવા = વિનયથી અજાણ છે તથા અવિનાશ = જે સંવિભાગી નથી ત« = તેનો જ દુ મુણો = કદાપિ મોક્ષ નથી. ભાવાર્થ:- જે સાધુ ક્રોધી છે, જેને બુદ્ધિ અને ઋદ્ધિનો ગર્વ છે, જે ચાડી-ચુગલી કરનાર, સાહસિક, સંપૂર્ણ રીતે ગુરુ આજ્ઞાનું પાલન ન કરનાર, ધર્મને યથાર્થ ન જાણનાર, વિનયધર્મથી અજાણ અને અસંવિભાગી છે, તેનો મોક્ષ થતો નથી.
णिद्देसवित्ती पुण जे गुरूणं, सुयत्थधम्मा विणयम्मि कोविया । २४
तरित्तु ते ओघमिणं दुरुत्तरं, खवित्त कम्मं गइमुत्तमं गया ॥ त्ति बेमि ॥