SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય.-૯, ઉદ્દે.-૨ઃ વિનય સમાધિ | ૪૦૯ | પુરુષોની ૭૨ કલા અને સ્ત્રીઓની ૬૪ કલા શીખવામાં આવતી હતી. તેમાં (૧) કેટલીક કલાઓ પોતાની સુરક્ષા માટેની થતી હતી (૨) કેટલીક બીજાઓની સુરક્ષા–સહાય માટે ઉપયોગી થતી. (૩) કેટલીક વિધાઓ કલાઓનો ઉપયોગ પોતાના જીવન નિર્વાહ અર્થે થતો હતો. આ રીતે તે સર્વ કલાઓ કે શિલ્પનો પ્રયોગ કે ઉપયોગ આ લોક માટે અર્થાત માત્ર મનુષ્ય જીવનના નિર્વાહ માટેનો જ હોય છે. ને વધું વાંચો... - ઇહલૌકિક સુખના લક્ષે શિલ્પકળા શીખવા માટે વિદ્યાર્થીને ગુરુનો વિનય, આજ્ઞાપાલન વગેરે કરવું જ પડે છે. તેમ કરતાં તેમને ક્યારેક માર–પીટ, બંધન કે દારુણ કષ્ટ પણ ગુરુશિક્ષકના સહન કરી લેવા પડે છે. એક જન્મમાં સુખી થવા માટેની કલા શીખવા તે કેટલાય કષ્ટો સહન કરીને પણ ગુરુનો સત્કાર સન્માન વગેરે અધિકાધિક કરતા જ રહે છે. પ્રાચીનકાળમાં ઘણાં સુકુમાર શરીર– વાળા રાજકુમાર, શ્રેષ્ઠી પુત્રો આદિ ગુરુકુળમાં ભણવા માટે ઉક્ત સમસ્ત કો યુક્ત ગુરુના કડક અનુશાસનનો સ્વીકાર કરતા હતા. વિંદ પુળ ને સુયાદી... – ઈહલૌકિક લાભ માટે પણ અનુશાસન સ્વીકારવાનું દષ્ટાંત આપી શાસ્ત્રકારે આ ગાથામાં મોક્ષ સાધકને નમ્ર બનવાની અને અર્પણતા રાખવાની પ્રેરણા કરી છે. મોક્ષના આત્યંતિક, અનંત સુખને મેળવનાર શિષ્ય ગુરુનું સર્વ અનુશાસન સહર્ષ સ્વીકારવું જ જોઈએ, તે સહજ સમજી શકાય તેવી વાત છે. વિનયનું આચરણ તેના જ હિત માટે થાય છે. કારણ કે ગુરુની આજ્ઞાના પાલન વિના અને ગુરુ ચરણના શરણ વિના મોહનીયકર્મનો નાશ દુષ્કર બની જાય છે. જ્યારે સાધનાનું લક્ષ્ય જ મોહકર્મ સહિત સર્વ કર્મોનો ક્ષય કરવાનું હોય છે. સિપ્પા M૩ળિયાજિ:- શિલ્પ = કુંભાર, સોની, સુથાર, લુહાર આદિની કાર્યકળા તેમજ ચિત્રકળા વગેરે લૌકિક કળાઓ. નિપુણતા = કુશળતા. તે સર્વ કલાઓમાં સિદ્ધહસ્ત (પારંગત) થવું. તિક્રિયા = જેની ઇન્દ્રિયો લાડ પ્યાર પામતી હોય, જેની ઇન્દ્રિયો સુંદર અને ક્રિીડાશીલ હોય છે, તે સુકોમળ શરીરવાળાને લલિતેન્દ્રિય કહેવાય છે. વિનય વિધિ : णीयं सेज्जं गई ठाणं, णीयं च आसणाणि य । १७ णीयं च पाए वंदिज्जा, णीयं कुज्जा य अंजलिं ॥ છાયાનુવાદઃ નીઃ શાં ર્તિ સ્થાન, નિર્વશ્વાસનનિ જા नीचैश्च पादौ वन्देत, नीचैः कुर्याच्चाञ्जलिम् ॥ શબ્દાર્થ -ળાય = ગુરુદેવથી નીચી સેન્ન = શય્યા ન = નીચી ગતિ, નમ્ર ગતિથી ટાઈ = નીચું સ્થાન આસાણિ = આસન શુન્ના = કરે, રાખે નીચું = સમ્યક પ્રકારથી નમ્ર થઈને સંગલિ =
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy