________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
છાયાનુવાદ : સ્યાદા શીર્ષેન શિરિમપિ મિન્હાત, સ્યાદા સિંહઃ વ્રુષિતો ન ક્ષેત્ । स्यान्न भिन्द्याद्वा शक्त्यग्रं, न चापि मोक्षो गुरुहीलनया ॥
૩૯૦
શબ્દાર્થ:- સિયા - કદાચિત્ લીમેળ = મસ્તકથી Řિ પિ = પર્વતને મિવે = ભેદી શકે વિઓ = કુપિત થયેલો સીન્હો - સિંહ ળ મત્તે = ભક્ષણ કરે નહિ ત્તિઅને = ભાલાની ધાર ૫ મિલિTM = હસ્તાદિને વિંધે નહિ, આ સર્વ વાતો કદાચિત્ બની જાય પરંતુ ખ યાવિ મોવો ગુરુદ્દીતળાÇ = ગુરુની અવહેલના કરનારનો મોક્ષ થતો નથી.
ભાવાર્થ :- કદાચિત્ કોઈ(પોતાની શક્તિથી અથવા દૈવયોગે) મસ્તક વડે પર્વતને ભેદી નાખે, કોપેલો
-
સિંહ કદાચ ભક્ષણ કરે નહિ તથા ભાલાની અણી પણ કદાચ વિંધે નહિ પરંતુ ગુરુનો કરેલો તિરસ્કાર કે તેની અવગણના નિષ્ફળ જતી નથી અર્થાત્ તે સાધકના મોક્ષમાર્ગમાં બાધા ઉત્પન્ન કરે જ છે. आयरियपाया पुण अप्पसण्णा, अबोहि आसायण णत्थि मोक्खो । तम्हा अणाबाहसुहाभिकंखी, गुरुप्पसायाभिमुहो रमेज्जा ॥
છાયાનુવાદ : ભાવાર્થવારા: પુનઃપ્રસન્ના:, अबोधिमाशातनया नास्ति मोक्षः । तस्मादनाबाधसुखाभिकाङ्क्षी, गुरुप्रसादाभिमुखो रमेत ॥
=
શબ્દાર્થ:- આરિયપાયા - પૂજ્યપાદ આચાર્ય અવ્વસમ્બા= અપ્રસન્ન થયેલા હોય તો અવોહિ = અબોધિકારક થાય છે, તેથી નિશ્ચિત છે કે આસાયળઞ- આશાતનાથી મોવો- મોક્ષ સ્થિ = થાય નહિ તન્હા = તે માટે અળાવાહસુહામિહી= અવ્યાબાધ સુખના ઇચ્છુક ભવ્યાત્માએ ગુરુમ્બસાયાભિમુહો
=
- ગુરુની પ્રસન્નતાને કેળવતો રમિખ્ખા = વિનય, સંયમ–તપમાં લીન રહે, રમણ કરે.
ભાવાર્થ:- ઉપરોક્ત ગુરુ આચાર્યાદિની અપ્રસન્નતા દ્વારા નિષ્પન્ન અબોધિ, આશાતના અને અનિર્વાણને જાણીને મોક્ષના અવ્યાબાધ સુખને ઇચ્છનાર સાધક સદા ગુરુનો કૃપાપાત્ર થાય; તેવા વિનય, સંયમ, તપના આચરણોમાં લીન રહે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે આશાતનાના દુષ્પરિણામોને સમજાવવા માટે કુલ આઠ ઉપમાઓ આપી છે. પહેલી અને બીજી ગાથામાં વાંસનું ફળ અને અગ્નિ એમ બે દષ્ટાંતો આપ્યા છે.
સાધક જીવનમાં ગુર્વાશા પાલનનું અનેરું મહત્ત્વ છે. ગુરુકૃપા વિના અધ્યાત્મ વિકાસ શક્ય નથી. અહંકારાદિ કષાયનો નાશ ગુરુ ઉપાસનાથી સહજ થઈ શકે છે. આ રીતે આત્મ સાધનાના માર્ગમાં ગુરુ દેવ સહચારી ભોમિયા સમા છે. સાધક આશાતનાથી દૂર રહે તેવો શુભ હેતુ આ ગાથા દ્વારા વ્યક્ત થાય છે. તેના દૃષ્ટાંતો આ પ્રમાણે છે—