SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય.−૮ : આચાર પ્રણિધિ ૩૭૯ ભાવાર્થ:- સ્વાધ્યાય અને સદ્ ધ્યાનમાં અનુરક્ત ષડજીવનિકાય જીવોના રક્ષક, તપશ્ચર્યામાં તલ્લીન તથા નિષ્પાપ જીવન જીવનાર સાધકનું પૂર્વકાલીન પાપકર્મ અગ્નિથી દૂર થયેલા ચાંદીના મેલની જેમ વિશુદ્ધ થાય છે. ૬૪ सेतारिसे दुक्खसहे जिइंदिए, सुएण जुत्ते अममे अकिंचणे । विरायइ कम्मघणम्मि अवगए, कसिणब्भपुडावगमे व चंदिमे ॥ ॥ત્તિ નેમિ ॥ છાયાનુવાદ : સ તાદશો દુઃસો બિતેન્દ્રિયઃ, તેન યુવન્તોડમમોઽવિશ્વનઃ । विराजते कर्मघनेऽपगते, कृत्स्नाभ्रपुटावगमे इव चन्द्रमाः ॥ इति ब्रवीमि ॥ શબ્દાર્થ:-તારિણે= પૂર્વોક્ત ગુણવાળા તુલસંહે- પરીષહોને સહન કરનાર બિફલિપ્= ઇન્દ્રિયોને જીતનાર સુળ નુત્તે = શ્રુતથી યુક્ત મમે = મમત્વ ભાવથી રહિત અવિળે = પરિગ્રહથી રહિત સ - તે સાધુ જન્મવળમ્મિ = કર્મરૂપ શ્યામ વાદળાઓથી અવગણ્ = દૂર થતાં શિખ પુડાવામે = સંપૂર્ણ અભ્ર પટલથી મુક્ત થઈ જવા પર પવિમા વ = ચંદ્રમાની સમાન વિરાયŞ = શોભા પામે છે. = ભાવાર્થ:- પૂર્વ કથિત(ક્ષમા દયાદિ) ગુણોને ધારણ કરનાર, અનુકૂળ પ્રતિકૂલ સર્વ પરિષહોને સમભાવે સહન કરનાર, શ્રુતજ્ઞાનથી યુક્ત, જિતેન્દ્રિય, નિર્મમત્વી તથા અપરિગ્રહી સાધુ, જેમ સંપૂર્ણ વાદળાઓ દૂર થવાથી ચંદ્ર શોભે તેમ કર્મરૂપ વાદળાઓ દૂર થતાં શોભાને પામે છે. વિવેચન : પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં આચાર પ્રણિધિની સફળ સાધના કરનારના સુફળને પ્રદર્શિત કર્યું છે. સૂત્રકારે ત્રણ ગાથામાં ત્રણ ઉપમાથી આચાર પ્રણિધિની અને તેના સાધકની મહત્તાને પ્રદર્શિત કરી છે. સુરે વ મેળાફ સમત્તમાહે... :- જેમ શૂરવીર યોદ્ધા પાસે સમસ્ત શસ્ત્રો હોય અને પરિપૂર્ણ સેના હોય તો તે વિજયશ્રીને પામે છે. તેમજ આચાર પ્રણિધિના આરાધક મુનિ સહનશીલ, જિતેન્દ્રિય, શાસ્ત્રજ્ઞ, દ્રવ્ય ભાવ પરિગ્રહથી મુક્ત નિરિગ્રહી અને આત્મગુણો રૂપ શસ્ત્રોથી સુસજ્જ હોય છે, તે સંગ્રામ સ્વયંને એકાકીપણે કરવાનો હોય છે. તેથી તેમાં બાહ્ય સેનાની જરૂર નથી. આ રીતે આત્મગુણોથી સુસજ્જ અને સદા જાગૃત સાધક કર્મ સંગ્રામમાં વિજયી બને છે. વિમુખ્મદ્ નશિ માં પુરે ૐ... :- જેમ ચાંદીનો મેલ અગ્નિમાં તપી—તપીને નાશ પામે ત્યારે ચાંદી વિશુદ્ધ બને છે, તેમજ આચાર પ્રણિધિનો સાધક સ્વાધ્યાય, તપ અને સંયમ રૂપ ભાવ અગ્નિમાં
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy