SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ શ્રી દશવૈકાલિક સત્ર વિવેકથી બેસવા, ઊભા રહેવાની સભ્યતા શીખડાવવી છે. અર્થાત્ ગાથા-૪૪માં બહુશ્રુત પર્યાપાસના મહાભ્ય, ગાથા-૪૫માં ગુરુ સાંનિધ્યમાં બેસવાની વિધિ અને ગાથા-૪૬માં ગુરુ સમીપે અવિધિથી ઊભા રહેવાનો નિષેધ છે. बहुसुय ગુવાસિM :- જેમણે ઘણા શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય, આગમોના મર્મને જાણ્યો હોય, છેદ સૂત્રોના પારગામી હોય, તેવા ગીતાર્થ અનુભવી શ્રમણ બહુશ્રુત કહેવાય છે. ભાષ્ય ચૂર્ણિ વ્યાખ્યાઓમાં બહુશ્રુતનું સ્વરૂપ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ જ્ઞાનની અપેક્ષાએ સમજાવ્યું છે. (૧) આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રને ધારણ કરનાર શ્રમણ જઘન્ય બહુશ્રુત, ચૌદપૂર્વના ધારક શ્રમણ ઉત્કૃષ્ટ બહુશ્રુત અને તેની મધ્યના કૃતધારક શ્રમણ મધ્યમ બહુશ્રુત કહેવાય છે. બહુશ્રતની, આચાર્ય–ઉપાધ્યાયની કે ગુર્નાદિકની ઉપાસના તે જ શિષ્યના સર્વાગી વિકાસનું કારણ છે. ગુરુની ઉપાસનાથી શિષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય, તે જ્ઞાન દ્વારા જ તેના ચારિત્રનું ઘડતર થાય, ચારિત્ર વિશુદ્ધિથી તેમજ પરિણામ વિશુદ્ધથી કર્મક્ષય અને મોક્ષગતિની અથવા તો દિવ્ય–દેવગતિની પ્રાપ્તિ થાય છે. આ રીતે બહુશ્રુત ઉપાસના આ લોક અને પરલોકના લાભનું કારણ બને છે. અનાજ મુત્તો ઉપાણી - અંગોપાંગ વગેરેને સારી રીતે સંયમમાં રાખનાર આલીન ગુપ્ત કહેવાય છે. આલીન = ગુરુની ન અતિ દૂર, ન અતિ નજીક પરંતુ યોગ્ય સ્થળે રહેનાર હોય તેને આલીન કહે છે. મનથી ગુરુના વચનમાં દત્તચિત્ત હોય અને પ્રયોજનવશ બોલનાર હોય તેને ગુપ્ત કહે છે. વિનીત શિષ્ય ગુરુની સામે શરીરને, હાથ-પગને સ્થિર રાખી, નેત્રોને ગુરુ મુખ તરફ કરીને, જ્યાં ત્યાં ફેરવ્યા વિના, કાનથી ગુરુવચન સાંભળવામાં સંપૂર્ણ લક્ષ્ય જોડીને, ઈન્દ્રિયોને વશમાં રાખીને, અવયવોને ગોપવીને, સ્થિરાસને એકાગ્ર થઈને, અંગોપાંગને વ્યવસ્થિત ગોઠવીને બેસે તેનાથી સાધકને સંયમ ધર્મના પાલન સાથે અનેકાનેક લાભ થાય અને તેથી જોનારની દષ્ટિમાં વિનય ધર્મનું મૂલ્યાંકન થાય છે. ભાષા સંયમ : ___ अपुच्छिओ ण भासेज्जा, भासमाणस्स अंतरा । ४७ पिट्ठिमंसं ण खाएज्जा, मायामोसं विवज्जए । છાયાનુવાદ: ૩ પૃષ્ઠો નૈવ માત, ભાષણક્ય વારા पृष्ठमांसं न खादेत्, मायामृषा विवर्जयेत् ॥ શબ્દાર્થ - ૩રપુચ્છનો = આજ્ઞાકારી શિષ્ય ગુરુદેવ દ્વારા પૂછાયા વિના માસમાણસ = ગુરુદેવ બોલતા હોય ત્યારે અંતર = વચ્ચે જ માસિકના = બોલે નહિfa = પિશુનતા–પાછળથી નિંદા ન લ Mા = ન કરે માથાનોએ = કપટ–પ્રપંચનો જૂઠ કપટનો તથા અસત્યનો પણ
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy