SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] શ્રી દશવૈકાલિક સત્ર સંતોષથી લોભનો નાશ થઈ શકે છે. જેમ ઘોર અંધકાર પ્રકાશના એક કિરણથી નાશ પામે છે, તેમ આત્મગુણરૂપી પ્રકાશ કિરણથી દોષરૂપી અંધકાર સમૂહનો નાશ થાય છે. સંસાર વૃક્ષનો નાશ કરવા ઇચ્છતા સાધકો તેના મૂળને સિંચન કરનાર કષાયોની પરિવાર વૃદ્ધિને રોકી તેને નેસ્તનાબૂદ કરી નાખે અર્થાત્ ઉદયમાં નહીં આવેલા ક્રોધાદિ કષાયોનો ઉપશાંત પરમ ઉપશાંત રૂપે નિરોધ કરે અને ઉદયમાં આવેલા ક્રોધાદિને ક્ષમાદિ દ્વારા નિષ્ફળ કરે; તો તે સાધકના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ બધા ય સાર્થક થઈ જાય છે. કારણ કે સંયમની સાધના કરનારે ઘર સંસારથી તો મુક્તિ લીધી જ હોય છે, તે પછી તો તેને કષાય મુક્તિની જ આવશ્યકતા રહે છે. માટે આચાર પ્રણિધિ અધ્યયન પ્રસંગે શાસ્ત્રકારે સાધકને તે સંબંધી દિશા નિર્દેશ કરી સજાગ કર્યા છે. સિM :- ટીકાકારે તેના બે સંસ્કૃત રૂપ આપ્યા છે– સ્ન= સંપૂર્ણ. #M = સંક્લિષ્ટ. ખરેખર તો કષાયોની પરિપૂર્ણતા એ જ તેની પ્રબળતા અને ભયંકરતા છે. આવો ભાવ સિખ શબ્દ અને તેની વજન છાયાર્થથી નીકળે છે. કૃષ્ણ શબ્દનો પ્રકત રૂપટ્ટિ થાય છે, માટે અહીં સૂત્ર છાયાથી જ યથેચ્છ અર્થ તાત્પર્યાર્થ કરવો ઉપયુક્ત છે. કષાય નિગ્રહમાં સહકારી ગુણો - | रायणिएसु विणयं पउंजे, धुवसीलयं सययं ण हावइज्जा । __ कुम्मुव्व अल्लीणपलीणगुत्तो, परक्कमेज्जा तवसंजमम्मि ॥ છાયાનુવાદઃ રત્નાધિવિનયં પ્રયુબ્બત, ઘુવીતતાં સતતં ! कूर्म इवालीनप्रलीनगुप्तः, पराक्रमेत तपःसंयमे ॥ શબ્દાર્થ – રળિપણુ = રત્નાધિક, સંયમમાં મોટા સાધુ, આચાર્યાદિ પ્રત્યે વિયં = વિનયનો પડને = પ્રયોગ કરે સચેય = તથા નિરંતર યુવતીય - ધ્રુવ શીલતાનો હવફન્ના = હાસન કરે તેમજ મુળ = કૂર્મની સમાન સ્ત્રીનપતીનપુર = પોતાના અંગોપાંગોને સારી રીતે ગોપવીને, ગુપ્ત રાખીને તેવલન = તપ સંયમમાં પરમિન્ના = પરાક્રમ કરે. ભાવાર્થ:- સાધુ રત્નાધિકો- દીક્ષામાં મોટા હોય તેનો વિનય કરે તથા અઢાર હજાર–શીલાંગ રૂ૫ બ્રહ્મચર્યનો નાશ થવા ન દે, તેમાં નિશ્ચલ રહે, કાચબાની પેઠે અંગોપાંગ-ઇન્દ્રિયાદિને ગોપવીને તપસંયમમાં પુરુષાર્થશીલ રહે. ઉપર્યુક્ત ક્રિયાઓથી આત્મવિશુદ્ધિ થાય છે. વિવેચન : પૂર્વ ગાથાઓમાં નિર્દિષ્ટ કષાય નિગ્રહ સંબંધી ઉપદેશ પછી આ પ્રસ્તુત ગાથામાં સંયમાચારની સાધના(અચગુણો) તરફ સાધકનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સાર એ છે કે માનવ ભવમાં જીવવા માટે
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy