SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રી દશવૈકાલિક સૂત્ર Re મૈથુનથી સર્વથા વિરત થયેલા શ્રમણોને વિભૂષાથી શું પ્રયોજન હોય? અર્થાત્ આવા શરીર નિરપેક્ષ સાધુને વિભૂષા કરવાની કોઈ જરૂર રહેતી નથી. विभूसावत्तियं भिक्खू, कम्मं बंधइ चिक्कणं । संसारसायरे घोरे, जेणं पडइ दुरुत्तरे ॥ છાયાનુવાદ: વિભૂષાપ્રત્યય fમણુક વર્ગ વળાતિ વિનમ્ | संसारसागरे घोरे, येन पतति दुरुत्तरे ॥ શબ્દાર્થ - બિહૂ = સાધુ વિભૂષાવત્તિયં = વિભૂષાના નિમિત્તે વિM = ગાઢ, ચિકણા લ = કર્મ બંધક્ = બાંધે છે નેજ = જેનાથી કુત્તરે = દુસ્તર પોરે = ભયંકર સંસારલાયરે - સંસાર સાગરમાં પ૬ = પડે છે. ભાવાર્થ - વિભૂષાની પ્રવૃત્તિ કરવાથી શ્રમણ ચિકણા કર્મો બાંધે છે. તે કર્મોના પરિણામે તે મહાન દુઃખકર અને દુસ્તર એવા સંસાર સાગરમાં પરિભ્રમણ કરે છે. |६७ विभूसावत्तियं चेयं, बुद्धा मण्णंति तारिसं । विभूसाव सावज्जबहुलं चेयं, णेयं ताईहिं सेवियं ॥ છાયાનુવાદ: વિભૂષાપ્રયં વેદ, યુદ્ધ મચત્તે તાદાત્ सावद्यबहुलं चैतत्, नैतत् त्रायिभिः सेवितम् ॥ શબ્દાર્થ – = તીર્થકરદેવવિધૂસર્વિત્તિયંવિભૂષા નિમિત્તક વેચું = ચિત્તનેતારિd =વિભૂષાની પ્રવૃત્તિ જેવો જ મMતિ બંધનનો હેતુ માને છે - અને તે ચિત્ત પણ સાવષ્યવહુi = ઘણા પાપનું કારણ બને છે તાઉં છકાયના રક્ષક શ્રમણો દ્વારા ય સેવિય- તે સેવ્ય નથી, સેવન કરવા યોગ્ય નથી. ભાવાર્થ - જ્ઞાનીજનો વિભૂષા સંબંધી સંકલ્પ-વિકલ્પ કરનારા ચિત્તને પણ વિભૂષા પ્રવૃત્તિની જેમજ બહુ કર્મબંધનું કારણ માને છે. તેથી છકાય જીવોનું રક્ષણ કરનારા શ્રમણો દ્વારા તે સેવ્ય નથી અર્થાત્ શ્રમણોએ વિભૂષા વૃત્તિવાળું માનસ પણ રાખવું ન જોઈએ. વિવેચન : ગાથા ૬૩માં અસ્નાન વ્રતના સંદર્ભમાં સાધકને સ્નાન કરવાનો નિષેધ કરેલ છે. તેના અનુસંધાનમાં ગાથા ૬૪માં શરીરની શોભા માટે સ્નાન યોગ્ય અને વિભૂષાકારક અંગ પ્રક્ષાલન ચૂર્ણ, સુગંધિત ઉબટન, લોધ્ર પુષ્પનો પરાગ, પાકેસર, વૃક્ષની છાલનું ચૂર્ણ, કુકુંમયુક્ત દ્રવ્ય આદિનો ઉપયોગ કરવાનો નિષેધ કરેલ છે. આમ કોઈપણ પ્રકારે શરીરને શણગારવાનો નિષેધ કરેલ છે.
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy