SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય.-s: મહાચાર કથા [ ૨૬૯ ] ४३ ભાવાર્થ - વનસ્પતિની હિંસા કરનારા સાધક વનસ્પતિના આશ્રયે રહેલાં નજરે દેખાતાં અને ન દેખાતાં અનેક પ્રકારનાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસા કરે. __ तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं । वणस्सइसमारंभं, जावजीवाए वज्जए ॥ છાયાનુવાદઃ તમાકેત વિજ્ઞાન, રોષ યુતિવર્ધનમ્ | वनस्पतिसमारम्भं, यावज्जीवं वर्जयेत् ॥ ભાવાર્થ - વનસ્પતિ જીવો સંબંધી હિંસાની પ્રવૃત્તિ દોષ અને દુર્ગતિને વધારનારી છે, તેવું જાણીને મુનિ જીવનપર્યત વનસ્પતિકાયના આરંભનો ત્યાગ કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં વનસ્પતિના સંયમ માટે વિવિધ પ્રકારે નિરૂપણ છે. વનસ્પતિ એ પણ માનવ શરીરનો આધાર છે. તેમ છતાં મુનિ જીવનપર્યત કંદ, મૂલ, ફળ, ફૂલ શાક પાન આદિ તોડતા નથી, તેનો ઉપયોગ કરતા નથી, એટલું જ નહીં પરંતુ તેનો સ્પર્શ માત્ર પણ કરતા નથી. શરીર નિર્વાહ માટે ગૃહસ્થોને ત્યાંથી અચેત થયેલા તે પદાર્થ નિર્દોષ રીતે ગ્રહણ કરી, જિનાજ્ઞા પ્રમાણે શરીર નિર્વાહ કરે છે. લોખં કુરુ વM - વનસ્પતિના આરંભથી હિંસા પાપ રૂપ દોષ થાય છે અને તે દોષના પ્રભાવે દુર્ગતિ થાય છે. તેથી વનસ્પતિ જીવોની હિંસા દોષોની અને દુર્ગતિની વૃદ્ધિ કરનારી થાય છે. આ રીતે વનસ્પતિકાયની હિંસાને પણ પૂર્વવત્ અનેક દોષનું કારણ જાણી શ્રમણ નિગ્રંથ તેનો સર્વથા ત્યાગ કરે છે. બારમું આચાર સ્થાનઃ ત્રસકાય સંયમ : तसकायं ण हिंसंति, मणसा वयसा कायसा । ४४ तिविहेण करणजोएण, संजया सुसमाहिया ॥ છાયાનુવાદ: ત્રછાયું હૃત્તિ, મનસા વીવા ના त्रिविधेन करणयोगेन, संयता: सुसमाहिताः ॥ ભાવાર્થ- સુસમાધિવત મુનિ, મન, વચન અને કાયાથી ત્રસ કાયના જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી અને તેવા જીવોની હિંસા કરનારને અનુમોદન પણ આપતા નથી. આ રીતે મુનિ ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્રસકાયની હિંસાનો ત્યાગ કરે છે.
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy