SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય.-s: મહાચાર કથા ૨૪૫ જ પૂર્વ = અન્ય મતમાં ગતકાળમાં ન હતો ભવિ = આગામી કાળમાં હશે નહિ. ભાવાર્થ:- લોકમાં આ પ્રકારના અત્યંત દુષ્કર આચારનું કથન નિગ્રંથ દર્શન સિવાય અન્યત્ર નથી. મોક્ષની આરાધના કરનારાઓ માટે આ પ્રકારનો આચાર અન્યદર્શનોમાં અતીતમાં કહેવાયો નથી અને ભવિષ્યમાં કહેવાશે પણ નહીં, ઉપલક્ષણથી વર્તમાન કાળમાં પણ છે નહિં. सखुङगवियत्ताणं, वाहियाणं च जे गुणा । अखंडफुडिया कायव्वा, तं सुणेह जहा तहा ॥ છાયાનુવાદઃ સશુલ્તવ્યસ્તાના, વ્યાધિતાના વ ચે મુળી: अखण्डास्फुटिताः कर्तव्यास्तान् श्रृणुत यथातथा ॥ શબ્દાર્થ -ને = જે મુખT = ગુણો અર્થાત્ નિયમો સહુ વિચાઈ = સર્વે આબાલ વૃદ્ધોને વાદિયા = રોગીઓને વ = નિરોગીને અડડયા = અખંડ અને અસ્ફટિતરૂપે અર્થાત્ સર્વથા વિરાધના રહિત છેTયબ્બા = ધારણ કરવા જોઈએ, પાલન કરવા જોઈએ તે = તે નિયમો ગરા = જેમ છે તહીં = તેમ મારી પાસેથી સુખદ = સાંભળો. ભાવાર્થ:- બાલ, વૃદ્ધ, રોગી કે નિરોગી સર્વ મુમુક્ષુ સાધકોએ, જે ગુણોની આરાધના અખંડિત અને અસ્ફટિતરૂપે કરવી જોઈએ; તેને તમે યથાર્થરૂપે સાંભળો. વિવેચન : પ્રસ્તુત ગાથાઓ આચાર કથનની પૂર્વભૂમિકા રૂપ છે. જેમાં સૂત્રકારે નિગ્રંથાચારની કઠિનતા તેમજ અલૌકિકતાને પ્રદર્શિત કરી છે. જે રાજાદિને આચારનું સ્વરૂપ સાંભળવા માટે પ્રેરક બને છે. તેસિં સો ળિદુઓ:- આચારનું સ્વરૂપ કહેનાર આચાર્ય ભગવંત સ્વયં આચારની મૂર્તિ છે. આચારનું જીવંત સ્વરૂપ છે. તેઓશ્રીનો પરિચય સૂત્રકારે પાંચ ગુણો દ્વારા આપ્યો છે. (૧) gિો = નિશ્ચલ ચિત્ત. શાંત અને એકાગ્રચિત્તવાળા. (૨) સંતો = ઇન્દ્રિયોનું દમન કરનાર. (૩) ધ્વમૂયસુહાવો = પ્રાણી માત્ર માટે સુખાકારી. (૪) જિલ્લા સમાતો = સૂત્ર અને અર્થના અભ્યાસ રૂપ શિક્ષા ગ્રહણ અને આચારનું પાલન અને અનાચારના ત્યાગથી રૂ૫ આસેવન શિક્ષાથી યુક્ત. અર્થાત્ આચાર નિષ્ઠ. (૫) વિયgો = સમયાનુસાર યથોચિત વ્યવહારમાં કુશળ; એવા ગુણ સંપન્ન તે આચાર્ય ભગવંત હતા જેઓ પાસે રાજાદિ લોકોએ જિજ્ઞાશા પ્રકટ કરી. ભીમં, કુલિં :- આ બે શબ્દો દ્વારા ચોથી ગાથામાં નિગ્રંથાચારની કઠિનતાને પ્રદર્શિત કરી છે– (૧) જે આચાર નિયમોને સાંભળતાં જ સામાન્ય જનને કંપારી છૂટે, હૃદય હચમચી જાય, તેવા કઠોર આચાર નિયમો માટે ભીમ શબ્દ ઉપયુક્ત છે. યથા– સમગ્ર દેશનું હાથથી લુંચન કરવું, જીવનપર્યત પાદ
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy