SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ | શ્રી દશવૈકાલિક સૂત્ર આવશ્યકતા ઊભી થઈ હોય, ઈત્યાદિ કારણે પુનઃ ગોચરી જવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. તે ઉપરાંત વિહાર, તપસ્યા વગેરેના સંકલ્પથી પણ બીજીવાર ગોચરીએ જવાની આવશ્યકતા બને છે. સેક્ઝા, ળિસહિપ - આ બે શબ્દોના અહીં બે પ્રકારે અર્થ થાય છે– (૧) સેન્ના = ઉપાશ્રય અને ખિલહિયા = સ્વાધ્યાય સ્થળ (૨) સેન્ના = શયન યોગ્ય સ્થળ અને પાહિયા= અલ્પકાલ માટેનું વિશ્રામ યોગ્ય સ્થળ. સ્થાન બે પ્રકારના હોય છે– (૧) જ્યાં સંપૂર્ણ દિવસ અને રાત્રિ રહી શકાય તેમજ દિવસ રાત્રિની સર્વ પ્રવૃત્તિ જ્યાં કરી શકાય તે (૨) જ્યાં માત્ર સ્વધ્યાય કરવા કે થોડીવાર બેસવા માટે જતા હોય અથવા વિહાર કરતાં એક—બે કલાક માટે રોકાયા હોય તે આ બંને સ્થળોમાં આહાર કરી શકાય છે. તેથી પ્રસ્તુતમાં આહાર સ્થળ માટે બે શબ્દોનો પ્રયોગ કરી સૂત્રકારે બંને પ્રકારના સર્વ સ્થાનોનું સંકલન કર્યું છે. ગયાવયજ્ઞા - અપર્યાપ્ત, જરૂરીયાત કરતાં ઓછો આહાર, ભૂખ કરતાં ઓછો આહાર. અહીં આથાવકુ પાઠાંતર પ્રાપ્ત થાય છે. આ પાઠાંતરની અપેક્ષાએ ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છેઆત્માર્થે, સંયમાર્થે, સંયમ નિર્વાહ માટે મુક્વા = આહાર કરીને જ તે સંથરે = જો તે આહારથી બીજા દિવસ સુધી ચાલી શકે તેમ ન હોય; શરીર, તપસ્યા, વિહાર વગેરેની વ્યવસ્થા જાળવી શકાય તેમ ન હોય તો વરખ સમુપ્પ = તેવું કોઈપણ કારણ ઉત્પન્ન થતાં(સમજાતાં) મત્તપાપ વેસણ = આહાર–પાણી માટે મુનિ ગોચરી જાય. વિવિM :- પ્રથમ ઉદ્દેશકની સો ગાથામાં ગોચરી સંબંધી જાણકારી આપીને શાસ્ત્રકારે આ બીજા ઉદ્દેશકમાં પુનઃ ગોચરી જવાના માધ્યમથી અન્ય અનેક ગોચરીના નિયમો અને વિષયોને સમજાવ્યા છે. તેને માટે પુષ્કળ = પૂર્વોક્તવિધિ અને સત્તા = ઉત્તરોક્ત વિધિ, એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. ગૌચરીના ગમન કાલનો વિવેક : कालेण णिक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जित्ता, काले कालं समायरे ॥ છાયાનુવાદઃ નેન નિદ્ મિશુ, તે જ પ્રતિકાત્ अकालं च विवर्ण्य, काले कालं समाचरेत् ॥ શબ્દાર્થ - બિહૂ = સાધુ વાર્તા = જે ગામમાં ભિક્ષાનો જે સમય હોય તે સમયમાં વિશ્વને = ભિક્ષા માટે જાય છે = વળી તે = યથા સમયે પતિને = ભિક્ષા લઈને પાછો ફરી જાય અત્ત = અકાલને, ભિક્ષાના અસમયને વિવન્નિત્તા છોડીને વત્તે વાર્તા - યથા સમયે જ, સમય અનુસાર, કાલયોગ્ય કાર્યનું સમાયરે = સમાચરણ કરે. ભાવાર્થ – ભિક્ષા મળી શકે તેવા સમયે જ મુનિ ગોચરી માટે જાય અને સમયનું ધ્યાન રાખીને ગોચરી લઈને પાછો ફરે (ઉપાશ્રયે આવી જાય). ગોચરીના તે ક્ષેત્રિક અકાલનો ત્યાગ કરી ગોચરી મળવાના
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy