________________
અધ્ય.-૫, ઉદ્દે.-૨: પિંડેષણા
૨૦૫
આહાર કરતાં પુનઃ આહારાર્થ ગમન :
सेज्जा णिसीहियाए, समावण्णो य गोयरे । अयावयट्ठा भोच्चाणं, जइ तेणं ण संथरे ॥ तओ कारणसमुप्पण्णे, भत्तपाणं गवेसए ।
विहिणा पुव्वउत्तेणं, इमेण उत्तरेण य ॥ છાયાનુવાદ: શાય નૈષધ, સમાપન્નધ્ય જોવરે !
अयावदर्थ भुक्त्वा , यदि तेन न संस्तरेत् ॥२॥ तत: कारणे उत्पन्ने, भक्तपानं गवेषयेत् ।
विधिना पूर्वोक्तेन, अनेनोत्तरेण च ॥३॥ શબ્દાર્થ – સેના – ઉપાશ્રયમાં બિનહિ = સ્વાધ્યાય ભૂમિમાં, અલ્પ સમય માટેનું સ્થળ, અન્ય સ્થળ ગોયરે - ગોચરીમાં સમાવી લાવેલો આહાર જો કાયાવકુ = અપર્યાપ્ત હોય જોવા = ભોજન કરીને ન = જો તે = તે આહારથી સંથરે = નિર્વાહ થઈ શકે તેમ ન હોય તમો = તો વાળ = આહારનું કારણ ૩Movો = ઉત્પન્ન થવા પર પુત્રવત્તળ = પૂર્વોક્ત, પ્રથમ ઉદ્દેશકમાં કથિત ખ = આ ૩ત્તરેખ = ઉતર, આગળની વિહિપ = વિધિથી મત્તાન = અન પાણીની સાસણ = ગવેષણા કરે, શોધ કરે. ભાવાર્થ:- ઉપાશ્રયમાં કે સ્વાધ્યાય કરવાના સ્થાનમાં ભિક્ષાથી પ્રાપ્ત આહાર કરતાં મુનિને જો તે આહાર અપર્યાપ્ત થાય અર્થાત્ આહાર ઓછો થાય; ક્ષુધા શાન્ત ન થાય અને પુનઃ આહાર લાવવાની આવશ્યકતા ઊભી થાય તો મુનિ પ્રથમ ઉદ્દેશકમાં દેખાડેલી વિધિથી તથા આ આગળ કહેવામાં આવશે તે વિધિથી આહાર પાણીની ગવેષણા કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં આહાર કર્યા પછી પણ પુનઃ ગૌચરી જવા માટે સૂચન કર્યું છે.
ગોચરી જનાર ભિક્ષુ માયાને = આહારની માત્રાનો(પ્રમાણનો) જાણકાર હોય છે, વિશેષજ્ઞ હોય છે. તે અનુભવી શ્રમણ પોતાની કે સામુહિક રૂપે અન્ય અનેક શ્રમણોની આહારની માત્રાને યથાર્થરૂપે જાણીને પર્યાપ્ત માત્રામાં જ આહાર લાવે છે. તો પણ ક્યારેક– (૧) ભૂલથી ઓછો આહાર આવ્યો હોય (૨) આહાર મળવાની દુર્લભતા થઈ હોય (૩) કોઈ નવી વસ્તુ સંબંધી અનુમાન ખોટું થયું હોય (૪) કોઈ પદાર્થની ઉપલબ્ધિ બરોબર ન થઈ હોય (૫) વરસાદ વગેરેનું કોઈ અંતરાય કારણ આવી ગયું હોય (૬) શ્રમણ વિહાર કરીને આવ્યા હોય (૭) ખાદ્ય પદાર્થ અને શારીરિક સંયોગના કારણે કોઈ પદાર્થની