________________
અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા
૧૪૩
સંક્ષેપમાં સૂત્રોક્ત આસક્રિયાઓના ત્યાગ અને વિવેકમાં સાધુના સંયમની સુરક્ષા, ઈર્યાસમિતિનું પાલન અને જિનશાસનનું ગૌરવ તેમજ સમભાવનું પોષણ વગેરે લાભ સમાવિષ્ટ છે તથા જોનારને મુનિની સભ્યતા, શિષ્ટતા પ્રતીત થાય છે. ગોચરીમાં દષ્ટિ વિવેક - १५
आलोयं थिग्गलं दारं, संधिं दगभवणाणि य ।
चरंतो ण विणिज्झाए, संकट्ठाणं विवज्जए ॥ છાયાનુવાદ: આતો છત કારં, શ્વમુવમવનનિ જ
चरेन्न विनिध्यायेत् शङ्कास्थानं विवर्जयेत् ॥ શબ્દાર્થ - વતો = ગોચરીમાં જતાં માનોર્થ = ગવાક્ષ, ઝરૂખા થિ = ભીંતમાં ગાબડું પડ્યા પછી ચણી દીધેલો, પૂરી દીધેલો ભાગ વાર = દ્વારાદિને સંધ = ચોર આદિ દ્વારા કરાયેલા છિંડાને, છિદ્રને, બાકોરાને પામવાણ = પાણિયારાને વિખાણ = તાકી તાકીને ન જુએ સંછઠ્ઠાઇ = તે શંકાના સ્થાનો છે તેને વિવM = છોડી દે. ભાવાર્થ:- ગોચરી ગયેલા ભિક્ષુ ગૃહસ્થોના ઘરની બારીઓ કે ગવાક્ષ, દીવાલોના સાંધાના વિભાગ, બાકોરાં, બારણા અને પાણિયારા વગેરે સ્થાનોની સામે તાકી તાકીને ન જુએ. શંકાના તે સ્થાનોને તાકીને જોવાથી લોકોને સાધુ પર કે તેના ચારિત્ર પર આશંકા થાય; માટે મુનિ તે શંકા સ્થાનો(શંકાઓ ઉત્પન્ન કરનારી પ્રવૃત્તિઓ)નો ત્યાગ કરે.
रण्णो गिहवईणं च, रहस्सारक्खियाणि य ।
संकिलेसकरं ठाणं, दूरओ परिवज्जए । છાયાનુવાદ: રો હપતીના શ્વ, રહસ્થાતિનિ જા
संक्लेशकरं स्थानं, दूरतः परिवर्जयेत् ॥ શબ્દાર્થ – ૨Uળો = રાજાનાાિદવ = ગૃહસ્થના આરજિહથાપિ = સુરક્ષિત રાખેલા રહસ્સ = ગુપ્ત પદાર્થ, ગોપનીય વસ્તુઓ, ધન સામગ્રી સવિરં ટાળ = ક્લેશકારક સ્થાનોને દૂર = દૂરથી પરિવME = છોડી દે.
ભાવાર્થ - રાજા અને શેઠ વગેરે લોકોના ગુપ્ત ધન, શસ્ત્રાદિ રાખવાના ગુપ્ત અને સુરક્ષિત સ્થાનોને મુનિ દૂરથી જ વર્જન કરે; તેની નજીક ન જાય. કારણ કે તેવા સ્થાનો બહુ સંક્લેશના ભાજન (અસમાધિજનક) હોય છે.