SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશવૈકાલિક સત્ર પરીક્ષદ રિવવંતા:- પરીષહરૂપી શત્રુઓને જીતનારા. સંયમ પાલનમાં અનેક પ્રકારના કષ્ટો ઉત્પન્ન થાય છે, તેને મુનિ સમભાવથી સહન કરે છે. તે કષ્ટોને ઉત્તરાધ્યયન સુત્રના બીજા અધ્યયનમાં બાવીસ પરીષહ રૂપે વર્ણવ્યા છે. તે પરીષહ સામાન્ય સાધકોના સંયમ પરિણામોને વિચલિત કે નષ્ટ કરનારા હોવાથી અહીં તેને પરીષહરૂપી શત્રુ તરીકે નિર્દિષ્ટ કરી તે શત્રુઓને દમન કરનાર મુનિને પરીષદ રિપુલાવ કહ્યા છે. તાત્પર્ય એ છે કે ઉચ્ચકોટિના સફલ સાધક કે આદર્શ સાધક ઉપસ્થિત બાવીસ પરીષહોના સંયોગોમાં સમભાવયુક્ત રહી સંયમના નિયમોપનિયમોમાં અને ભગવદાજ્ઞામાં સ્થિર પરિણામી રહે. “યમો – મોહનો અર્થ મોહનીય કર્મ અથવા મોહ–આસક્તિ છે તેથી ધુતમોહનો અર્થ આ પ્રમાણે થાય છે કે જેઓએ મોહને પ્રકંપિત કરી દીધો છે, ધ્રુજાવી દીધો છે અર્થાત્ મોહનો ત્યાગ કર્યો છે તે “તમોહા નિગ્રંથ છે. નલિયા – ઈન્દ્રિયોની વિષય લાલસાથી મુક્ત થનાર જિતેન્દ્રિય કહેવાય છે. સબૂકુવા પહખટ્ટ પfમતિ મતિ – મહર્ષિઓ શારીરિક, માનસિક સમસ્ત દુ:ખોનો નાશ કરવા માટે પરાક્રમ કરે. આ ચરણમાં મહર્ષિઓને ઉપરોક્ત સમસ્તગુણ ધારણ કરવાનો ઉદ્દેશ્ય સૂચિત કર્યો છે. સાધકોનો સમસ્ત પુરુષાર્થ(તપસંયમમાં પરાક્રમ) સંસારના દુખોથી મુક્ત થવા માટે હોય છે. રાગદ્વેષ તે કર્મના બીજ છે. તેનાથી જ જન્મ, જરા, મરણ, રોગ, શોક, તાપ, સંતાપ આદિ જન્મે છે. તેનો નાશ કરવો તે જ સાધકની સાધના છે, તે જ તેનું પરાક્રમ અને પુરુષાર્થ છે. સાધકના જીવનમાં અનાચાર દોષ જ્યારે છૂટી જાય ત્યારે આત્માના ગુણો પ્રગટ થાય છે. ધનના અર્થીને લાભ થાય તેમ લોભ વધે તે રીતે સંયમના અર્થી સાધક, જેમ જેમ ગુણો પ્રગટે તેમ તેમ નિર્જરાનો વિશેષ પ્રયત્ન કરે છે; તેવું ગર્ભિત સૂચન અહીં પ્રાપ્ત થાય છે. અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાધકનું સત્ત્વ જાગૃત થાય છે. ત્યારે તે પરીષહ વિજેતા બને છે. અપ્રમત્તભાવે પુરુષાર્થ કરતા તે ક્રમશઃ સમભાવની વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. સમભાવની પૂર્ણતા પ્રાપ્ત કરી તે સર્વ દુઃખોનો અંત કરે છે. १४ ચારિત્રનું ફળ : दुक्कराई करित्ताणं, दुस्सहाई सहित्तु य । के इत्थ देवलोएसु, केइ सिझंति णीरया ॥ છાયાનુવાદઃ કુળ ત્વા ૨, કુરૂહરિ સત્વા ૨ केचिदत्र देवलोकेषु, केचित्सिद्धयन्ति नीरजसः ॥ શબ્દાર્થ -પુરા દુષ્કર ક્રિયાઓને, અનુષ્ઠાનોને વરિત્તા = કરીને જુદા = અસહનીય હતુ = સહીને, સહન કરીને જે રૂલ્ય = કેટલાક અહીંથી, આ સંસારમાં જ રહીને દેવનોપણું =
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy