SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨ ભાવાર્થ :- અર્ગંધન કુળમાં ઉત્પન્ન થયેલો સર્પ ધૂમાડા કાઢતી, જાજ્વલ્યમાન ભયંકર દુરાશ્રય(અસહ્ય) અગ્નિ જ્વાળામાં પડીને મરી જાય પરંતુ વમન કરેલું પોતાનું વિષ પાછું ચૂસવા ઇચ્છતો નથી. धिरत्थु ते जसोकामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेडं, सेयं ते मरणं भवे ॥ ४३ શબ્દાર્થ:- નસોજાની- સંયમ ઈચ્છુક, હે સંયમ સાધક રથનેમિ ! [અનસોવામાં = હે અપયશના કામી] તે-તને ધિરત્નું-ધિક્કાર છેનો-જેત-તુંનીવિયાRT= અસંયમરૂપ જીવનને માટે વત – વમન કરેલાને, ત્યાગેલા આવેૐ = ફરીથી પીવા છતિ = ઇચ્છે છે તે = તારા માટે મળ = મરી જવું સેવં = શ્રેષ્ઠ મવે = છે. ભાવાર્થ :- હે સંયમ સાધક રથનેમિ ! [હે અપયશના કામી !] તને ધિક્કાર છે કે તું ભોગમય જીવન માટે ત્યાગેલા ભોગોનો પુનઃ સ્વીકાર કરવા ઇચ્છે છે, તેના કરતાં તારે મરી જવું શ્રેયસ્કર છે. अहं च भोगरायस्स, तं चसि अंधगवहिणो । मा कुले गंधणा होमो, संजमं णिहुओ चर ॥ = શબ્દાર્થ:- અહં = હું રાજેમતી મોળાવસ્ત્ર = ભોજરાજની પૌત્રી(ઉગ્રસેનની પુત્રી) છું = = અને તેં – તું બંધાવષ્ફિળો = અંધકવૃષ્ણિના પૌત્ર અક્ષિ = છો ધખા = ગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પ સમાન મા હોમો = ન થઈએ દુિઓ = મનને દઢ કરી સંગમ = સંયમનું ઘર = સારી રીતે પાલન કર. ભાવાર્થ :- હું ભોજરાજની પૌત્રી છું અને તમે અંધકવૃષ્ણિનો પૌત્ર છો. ઉચ્ચ કુળમાં જન્મેલા એવા આપણે ગંધનજાતિના સર્પ જેવા ન થઈએ. તું દઢ થઈને સંયમનું પાલન કર. ४५ जइ तं काहिसि भावं, जा जा दिच्छसि णारिओ । वाया विद्धुव्व हडो, अट्ठिअप्पा भविस्ससि ॥ = શબ્દાર્થ:- તેં = તું ના નગા = જે-જે નારીઓ = સ્ત્રીઓને વિન્છસિ = જોઈશ ઞફ = જો તેના પર માવું . = રાગભાવ, ખરાબ ભાવ ગહિલિ = કરીશ તો વાયાવિદ્રુઘ્ન-હડો વાયુથી પ્રકંપિત હડ નામની વનસ્પતિની જેમ અટ્વિઞપ્પા = અસ્થિર આત્માવાળો વિત્તિ = થઈ જઈશ. ભાવાર્થ :- જો તું કોઈપણ સ્ત્રીઓને જોઈને રાગભાવ કરતો રહીશ તો વાયુથી પ્રકમ્પિત હડ નામની નિર્મૂળ વનસ્પતિની જેમ અસ્થિર ચિત્તવાળો(અસ્થિર આત્મા) થઈ જઈશ. ૪૬ गोवालो भंडवालो वा, जहा तद्दव्वणिस्सरो । एवं अणीस तं पि, सामण्णस्स भविस्ससि ॥ શબ્દાર્થ :- ST = જે પ્રકારે જોવાતો = ગોવાળ, ભરવાડ વા = અથવા મંડવાતો = ભંડારી तद्दव्वणिस्सरो = તે દ્રવ્યનો માલિક હોતો નથી વ = તે પ્રકારે તાપિ = તું પણ સામળસ = શ્રમણધર્મનો ગળીસર = અનીશ્વર(અસ્વામી) મવિક્ષત્તિ = બની જઈશ, સંયમ રહિત થઈ જઈશ. ભાવાર્થ :- જેમ ગોવાળ અથવા ભંડારી ગાયો કે દ્રવ્યોના માલિક હોતા નથી, તેમ સંયમભાવ રહિત અને કેવળ વેશ માત્રથી તું શ્રમણ ધર્મનો માલિક રહશે નહીં.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy