________________
અનુવાદિકાની કલમે
સદાનંદી બા.. સાધ્વી શ્રી સુમતિબાઈ મ.સ. અનેક સોતોના સંગમ સમી અને જીવંતતાની આગવી લાક્ષણિકતા માટે સુવિખ્યાત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓ દષ્ટિગોચર થાય છે. વૈદિક સંસ્કૃતિમાં જે સ્થાન “ગીતા”નું છે, બૌદ્ધ સંસ્કૃતિમાં જે સ્થાન ધમ્મપદ'નું છે, ઇસ્લામમાં જે સ્થાન “કુરાન'નું છે, પારસીઓમાં જે સ્થાન “અવેસ્તા”નું છે, ઈસાઈઓમાં જે સ્થાન “બાઈબલ’નું છે, તેવું જ સ્થાન જૈન સંસ્કૃતિમાં ‘ઉત્તરાધ્યયન’ સૂત્રનું છે. ભગવાન મહાવીરની વાણીનો અણમોલ ખજાનો એટલે ઉત્તરાધ્યયન સૂત્ર. એ જીવન સૂત્ર છે. તેમાં સર્વ સૂત્રોનો નિચોડ છે. તેમાં આધ્યાત્મિક, દાર્શનિક તેમજ નૈતિક જીવનનો ત્રિવેણી સંગમ થયો છે. આ શાસ્ત્ર વૈરાગ્યબોધક પ્રકરણોનું એક પ્રેરણાસ્થાને છે. તેથી જ સમયે-સમયે મૂર્ધન્ય મનીષી વિજ્જનોની કલમ આ આગમનો પાવક સંસ્પર્શ પામીને ધન્ય બની છે. ઉત્તરાધ્યયન સૂત્ર એક એવું આગમ છે, જે ગંભીર અધ્યેતાઓ માટે ઉપયોગી હોવા છતાં સામાન્ય સાધકોને પણ તેમાંથી સાધનાની પર્યાપ્ત સામગ્રી મળી રહે છે. પ્રસ્તુત સંસ્કરણ - સૌરાષ્ટ્ર કેસરી પૂ.દાદા ગુરુદેવશ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી ઉજવવા, તેમના 'આમ્ર' ઉધાનમાં મહેકતાં મુક્તાફળ સમા સાધકો તેમને શું અર્પી શકે ? ગુરુદેવશ્રી પોતે જ આગમના સાક્ષાત્ પ્રતિમૂર્તિ હતા; તેથી આગમ સાહિત્યને આધુનિક તેમજ માતૃભાષા(ગુજરાતી)માં પ્રકાશિત કરવાનો સ્વ. પૂ. ઉષાબાઈ મ.ને સંકલ્પ જાગ્યો અને પ્રાણ પરિવારના સર્વ સતીજીઓનો તેમાં સહર્ષ સૂર પૂરાણો, પૂ. તપસ્વી ગુરુદેવની કૃપાશિષની અમીધારા વરસી. આ સંકલ્પને મૂર્તરૂપ મળતાં અલ્પ સમયમાં જ અનેક આગમો મુમુક્ષ વાચકોના કરકમલમાં પહોંચ્યા છે. જેનાથી જિજ્ઞાસુઓને આગમોના રહસ્યનો ઉકેલ સરળતાપૂર્વક થઈ શક્યો છે. તે જ પરમ પાવની રહસ્યાવલીને જોડતી કડીમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું સરળ ગુજરાતી ભાષામાં આ નૂતન સંસ્કરણ છે.
આ સંસ્કરણમાં અધ્યયન પરિચય, શુદ્ધ મૂળપાઠ, શબ્દાર્થ, ભાવાનુવાદ અને આગમના ગંભીર રહસ્યોને સ્પષ્ટ કરવા માટે પ્રાચીન વ્યાખ્યા સાહિત્યના આધારે સરળ વિવેચન આપવામાં આવ્યા છે.
(
43